મહારાષ્ટ્રની રાજનીતિનો શિંદે-ઉદ્ધવ જૂથ આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 18:46:57

આજે દશેરાનો દિવસ અને અને આ દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે મહત્વનો માનવામાં આવે છે. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથની દશેરાની અલગ-અલગ રેલી નીકળી હતી. 56 વર્ષમાં પહેલીવાર શિવસેનાની દશેરાની રેલી અલગ-અલગ નીકળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલી શક્તિ પ્રદર્શનના ભાગરૂપે કાઢવામાં આવી હતી જેથી ખબર પડે કે શિંદે જૂથમાં વધારે જોર છે કે ઉદ્ધવ જૂથમાં. 


ઠાકરે જૂથના ધારાસભ્યો અને સાંસદો શિંદે જૂથમાં જોડાશે

હાલની પરિસ્થિતિમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથમાં 40 ધારાસભ્ય અને 12 સાંસદ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથમાં 15 ધારાસભ્ય અને 6 લોકસભા સાંસદ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ દશેરાની શક્તિ પ્રદર્શન રેલીમાં ઉદ્ધવ જૂથના ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાશે. હવે કેટલા MP-MLA જોડાશે તે જોવાનું રહેશે.


વર્ષ 1966માં બાલા સાહેબ ઠાકરેએ પહેલી રેલી કાઢી હતી

બાલા સાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના શિવસેનાનો પાયો નાખ્યો હતો. 30 ઓક્ટોબરે દશેરાના દિવસે દાદરના શિવાજી પાર્કમાં તેમણે શિવસેનાની પહેલી રેલી કાઢી હતી. પરંતુ એ રેલી હતી અને આજે આ રેલી છે.  






ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.