મહારાષ્ટ્રની રાજનીતિનો શિંદે-ઉદ્ધવ જૂથ આમને સામને


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 18:46:57

આજે દશેરાનો દિવસ અને અને આ દિવસ મહારાષ્ટ્રના રાજકારણ માટે મહત્વનો માનવામાં આવે છે. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથની દશેરાની અલગ-અલગ રેલી નીકળી હતી. 56 વર્ષમાં પહેલીવાર શિવસેનાની દશેરાની રેલી અલગ-અલગ નીકળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રેલી શક્તિ પ્રદર્શનના ભાગરૂપે કાઢવામાં આવી હતી જેથી ખબર પડે કે શિંદે જૂથમાં વધારે જોર છે કે ઉદ્ધવ જૂથમાં. 


ઠાકરે જૂથના ધારાસભ્યો અને સાંસદો શિંદે જૂથમાં જોડાશે

હાલની પરિસ્થિતિમાં શિવસેનાના એકનાથ શિંદે જૂથમાં 40 ધારાસભ્ય અને 12 સાંસદ છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથમાં 15 ધારાસભ્ય અને 6 લોકસભા સાંસદ છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ દશેરાની શક્તિ પ્રદર્શન રેલીમાં ઉદ્ધવ જૂથના ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાશે. હવે કેટલા MP-MLA જોડાશે તે જોવાનું રહેશે.


વર્ષ 1966માં બાલા સાહેબ ઠાકરેએ પહેલી રેલી કાઢી હતી

બાલા સાહેબ ઠાકરેએ 19 જૂન 1966ના શિવસેનાનો પાયો નાખ્યો હતો. 30 ઓક્ટોબરે દશેરાના દિવસે દાદરના શિવાજી પાર્કમાં તેમણે શિવસેનાની પહેલી રેલી કાઢી હતી. પરંતુ એ રેલી હતી અને આજે આ રેલી છે.  






પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે

રાજુલા તાલુકાના ધારાનો નેસ ગામમાં રહેતો ધાખડા પરિવાર. રવિરાજભાઈએ આર્મીમાં ફરજ બજાવવાનું સપનું જોયું, વર્ષોથી કાશ્મીરમાં ફરજ બજાવતા હતા. કેન્સર થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નશ્વર દેહ જ્યારે વતન આવ્યો ત્યારે અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.

પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.