વિરાટ અને ગંભીર વચ્ચે થયેલી બોલાચાલી પાછળની કહાની! જાણો શું થયું હતું ક્રિકેટ ગ્રાઉન્ડ પર જેને લઈ ખેલાડીઓને ફટકારાયો દંડ!


  • Published By :
  • Published Date : 2023-05-02 11:56:15

દરેક જગ્યા પર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થયેલા ઝઘડાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ બંનેના ઝઘડામાં નવીન ઉલ હકની પણ એન્ટ્રી થઈ છે. રોયલ ચેલેન્જર્સ અને લખનઉ સુપરજાયન્ટ વચ્ચે મેચ ચાલી રહી હતી તે દરમિયાન વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે બોલાચાલી થઈ હતી. મેચ દરમિયાન તો બંને વચ્ચે ચાલતી ટસલને આપણે શું જોઈએ પરંતુ મેચ પૂર્ણ થયા બાદ પણ બંને વચ્ચે હાથ મિલાવાને લઈ ઝપાઝપી થઈ હતી. 

Virat Kohli vs Gautam Gambhir Fight: આખરે એવું તે શું થયું કે વિરાટ-ગંભીર  મેદાન પર ઝઘડી પડ્યા, આ અફઘાન ખેલાડી કોણ? જેની વિવાદમાં થઈ એન્ટ્રી!

નવીન અને વિરાટ વચ્ચે થઈ હતી બોલાચાલી!

આ મેચમાં થયેલી બબાલના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં માનવામાં આવી રહ્યું હતું કે બબાલ 17 ઓવર આસપાસ શરૂ થઈ હતી. લખનઉની ટીમે 48 રન કરવાના હતા ત્રણ ઓવરમાં. ક્રિઝ પર અમિત મિશ્રા સાથે નવીન ઉલ હક હતા. આ દરમિયાન નવીન અને વિરાટ કોહલી વચ્ચે બોલાચાલી થઈ હતી. નવીન વિરાટ પાસે આવ્યા, કંઈક કહ્યું અને પછી પાછા જતા રહ્યા. આ બન્યું જેને લઈ અમિત મિશ્રા વચ્ચે પડ્યા. અને પછી ફરી એક વખત નવીન વિરાટને જોઈને કંઈક બોલવા લાગ્યા.આ ઘટના બની જે બાદ વિરાટે એમ્પાયર સાથે વાત કરી.  

Virat Kohli crosses all limits, fights with Naveen-ul-Haq, Gautam Gambhir  and Amit Mishra - Crictoday

મામલો શાંત કરવા વિરાટ અને નવીન વચ્ચે પડ્યા અમિત મિશ્રા!   

આ બાદ એમ્પાયરની સાથે વાતચીત દરમિયાન કોહલીએ પોતાનો પગ ઉપાડ્યો અને બૂટના સોલમાંથી કંઈક કાઢ્યું અને એ વસ્તુ નવીનને બતાવી કંઈક ઈશારો કર્યો હતો. એમ્પાયરે અને મિશ્રાએ વિરાટને રોક્યા અને કંઈક બોલીને આગળ નીકળી ગયા. બોલતા બોલતા વિરાટ પોતાની ફિલ્ડીંગ પોઝિશન પર આવી ગયા અને તે બાદ તે ફરી પાછા આવ્યા. અમિત મિશ્રા તેમજ એમ્પાયર સાથે વાત કરી અને જાણે નવીનની કમ્પ્લેન કરતા હોય તેવી તેમની બોડિલેન્ગવેજ હતી. 


મેચ પત્યા બાદ વધ્યો નવીન અને વિરાટ વચ્ચેનો ઝઘડો!

મેચ પૂરી થઈ પરંતુ વાત મેચ પત્યા પછી વધારે બગડી. આરસીબી મેચને જીતી ગઈ હતી. મેચ બાદ જ્યારે કોહલી અને નવીને ઓપચારિક રીતે હાથ મિલાવ્યો ત્યારે આ મામલો વધારે ગંભીર થઈ ગયો હતો. નવીન સાથે હાથ મિલાવ્યા બાદ નવીને કોહલીના હાથને ઝટકી દીધો. અને કંઈક કહ્યું. તે બાદ ગંભીર સાથે તેમની બહેસ થઈ ગઈ હતી. આ ઝઘડા બાદ કોહલી અને કે.એલ.રાહુલ વાતો કરતા હતા. ત્યારે નવીન ત્યાંથી પસાર થયો અને રાહુલે નવીનને ત્યાં રોકી દીધો. નવીને પાછા આવવાનો ઈન્કાર કર્યો.

What Prompted Clash Between Virat Kohli and Gautam Gambhir? The Story  Behind Post-Match Storm | Cricket News

અફરીદી સાથે પણ થઈ હતી નવીનની બોલાચાલી!

નવીન ઉલ હક હમેશાં ચર્ચામાં રહ્યા છે. વિરાટ કોહલી સાથે થયેલા વિવાદ પહેલા અફઘાનિસ્તાનના બોલર નવીને અને પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી અફરીદી સાથે પણ થઈ હતી. બંને વચ્ચે થયેલા ઝઘડાની વાત છે 2020ની. શ્રીલંકા પ્રિમિયર લીક ચાલી રહી હતી. 18મી ઓવર દરમિયાન આમિર બેટિંગ કરી રહ્યા હતા અને તે દરમિયાન નવીનની બોલ પર 4 મારી દીધી હતી. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અફરીદી અને નવીન વચ્ચે બોલાચાલી થઈ હતી. અફરીદી ગુસ્સામાં નવીનને કંઈક બોલી રહ્યા હતા. ત્યારે નવીનની ફરી એક વખત બોલાચાલી થઈ છે.

     


ઝઘડાને કારણે લેવાયો નિર્ણય!

વિવાદ વધતા ખેલાડી વિરૂદ્ધ પગલા લેવામાં આવ્યા છે. દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટને તોડવા બદલ 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવવામાં  આવ્યા છે જ્યારે નવીન ઉલની મેચની ફીના 50 ટકા કાપવામાં આવ્યા છે.    




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.