નોટબંધીના નિર્ણયને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-01-02 11:43:48

મોદી સરકારે 8 નવેમ્બર 2016માં એકાએક 500 તેમજ 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી દીધી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બેંકો બહાર લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે આ નોટબંધી યોગ્ય છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની સૂનાવણી આજે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. 


નોટબંધી News in Gujarati, Latest નોટબંધી news, photos, videos | Zee News  Gujarati

નોટબંધીમાં નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું 

નોટબંધીના નિર્ણયને કારણે મોદી સરકારનો વિરોધ થયો હતો. 500 અને 1000ની ચલણી નોટો એકાએક બંધ થઈ જતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. બેંકો બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે સરકારે કયા આધારે નોટબંધી તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે કરવામાં આવવાની છે. આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી માટે જરૂરી પ્રકિયાનું પાલન કરવામાં નથી આવ્યું. 
સુપ્રીમ કોર્ટ : વિમાનુ પ્રીમીયમ નહી ભરવાથી પોલીસી લેપ્સ થાય તો કંપની ક્લેઈમ  નામંજુર કરી શકે છે – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

સુપ્રીમ કોર્ટે આ કેસનો નિર્ણય 7 ડિસેમ્બરથી સુરક્ષિત રાખ્યો હતો

સરકારના નિર્ણયને કારણે દેશમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. 7 ડિસેમ્બરની રાત્રે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે આવતી કાલથી એટલે કે 500 અને 1000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવશે. આ અંગની સુનાવણી સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરના રોજ સાંભળી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરબીઆઈ પાસેથી સરકારના આ નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ આપવાનો નિર્દેશ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ કેસનો ચૂકાદો આપી શકે છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.