નોટબંધીના નિર્ણયને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-01-02 11:43:48

મોદી સરકારે 8 નવેમ્બર 2016માં એકાએક 500 તેમજ 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી દીધી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બેંકો બહાર લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે આ નોટબંધી યોગ્ય છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની સૂનાવણી આજે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. 


નોટબંધી News in Gujarati, Latest નોટબંધી news, photos, videos | Zee News  Gujarati

નોટબંધીમાં નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું 

નોટબંધીના નિર્ણયને કારણે મોદી સરકારનો વિરોધ થયો હતો. 500 અને 1000ની ચલણી નોટો એકાએક બંધ થઈ જતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. બેંકો બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે સરકારે કયા આધારે નોટબંધી તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે કરવામાં આવવાની છે. આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી માટે જરૂરી પ્રકિયાનું પાલન કરવામાં નથી આવ્યું. 
સુપ્રીમ કોર્ટ : વિમાનુ પ્રીમીયમ નહી ભરવાથી પોલીસી લેપ્સ થાય તો કંપની ક્લેઈમ  નામંજુર કરી શકે છે – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

સુપ્રીમ કોર્ટે આ કેસનો નિર્ણય 7 ડિસેમ્બરથી સુરક્ષિત રાખ્યો હતો

સરકારના નિર્ણયને કારણે દેશમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. 7 ડિસેમ્બરની રાત્રે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે આવતી કાલથી એટલે કે 500 અને 1000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવશે. આ અંગની સુનાવણી સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરના રોજ સાંભળી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરબીઆઈ પાસેથી સરકારના આ નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ આપવાનો નિર્દેશ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ કેસનો ચૂકાદો આપી શકે છે.      



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.