નોટબંધીના નિર્ણયને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-01-02 11:43:48

મોદી સરકારે 8 નવેમ્બર 2016માં એકાએક 500 તેમજ 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરી દીધી હતી. આ નિર્ણયને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. બેંકો બહાર લાંબી કતારો જોવા મળી હતી. ત્યારે આ નોટબંધી યોગ્ય છે કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસની સૂનાવણી આજે કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. 


નોટબંધી News in Gujarati, Latest નોટબંધી news, photos, videos | Zee News  Gujarati

નોટબંધીમાં નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું 

નોટબંધીના નિર્ણયને કારણે મોદી સરકારનો વિરોધ થયો હતો. 500 અને 1000ની ચલણી નોટો એકાએક બંધ થઈ જતા લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. બેંકો બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે સરકારે કયા આધારે નોટબંધી તે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી આજે કરવામાં આવવાની છે. આ અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે નોટબંધી માટે જરૂરી પ્રકિયાનું પાલન કરવામાં નથી આવ્યું. 
સુપ્રીમ કોર્ટ : વિમાનુ પ્રીમીયમ નહી ભરવાથી પોલીસી લેપ્સ થાય તો કંપની ક્લેઈમ  નામંજુર કરી શકે છે – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking  News, Politics News etc.

સુપ્રીમ કોર્ટે આ કેસનો નિર્ણય 7 ડિસેમ્બરથી સુરક્ષિત રાખ્યો હતો

સરકારના નિર્ણયને કારણે દેશમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. 7 ડિસેમ્બરની રાત્રે વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે આવતી કાલથી એટલે કે 500 અને 1000ની ચલણી નોટ બંધ કરી દેવામાં આવશે. આ અંગની સુનાવણી સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરના રોજ સાંભળી હતી અને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આરબીઆઈ પાસેથી સરકારના આ નિર્ણય સાથે સંબંધિત રેકોર્ડ આપવાનો નિર્દેશ કર્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ આ કેસનો ચૂકાદો આપી શકે છે.      



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.