નવા સંસદ ભવનના ઉદ્ધાટન મામલે નથી બોલવા માગતી સુપ્રીમ કોર્ટ! રાષ્ટ્રપતિ સંસદ ભવનનું ઉદ્ધાટન કરે તેવી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, અરજકર્તાને કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-26 14:32:03

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવવું જોઈએ. અરજકર્તાનું કહેવું હતું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે, તેમના હસ્તે ઉદ્ધાટન ન કરાવવું એ બંધારણનું ઉલ્લંઘન કહેવાય. આ અરજીની જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી. સુનાવણીની શરૂઆતમાં જ કોર્ટે કહ્યું કે મને સમજાતું નથી કે તમે લોકો આવી અરજી કેમ લાવો છો? આમાં તમને શું રસ છે? આ બાદ અરજદાર એડવોકેટ દ્વારા અરજી પાછી ખેચવામાં આવી હતી.

   


કોર્ટે અરજદારની અરજીને ફગાવી!

સુપ્રીમ કોર્ટમાં જે અરજદારે અરજી દાખલ કરી હતી તે સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને છે. અરજદારનું કહેવું હતું કે ભારત સરકારે ઉદ્ધાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. બંધારણનું સન્માન કરવામાં આવી રહ્યું નથી. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીને ફગાવામાં આવી છે જેને લઈ સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદીના હસ્તે થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલામાં હસ્તક્ષેપ કરવા નથી માગતી. અરજકર્તા ઈચ્છે તો તે હાઈકોર્ટ જઈ શકે છે. હાઈકોર્ટ ન જવાને બદલે અરજકર્તાએ અરજી પાછી ખેંચી લીધી છે.  

નેતાઓએ આપ્યું છે નિવેદન! 

મહત્વનું છે 20 જેટલી રાજકીય પાર્ટી આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આરજેડી, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. જ્યારે 25 જેટલી પાર્ટીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે આ મામલે અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે જેમાં અરવિંદ કેજરીવાલ, સંજય રાઉત જેવા નેતાઓનો સમાવેશ થાય છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.