નવા સંસદ ભવનના ઉદ્ધાટન મામલે નથી બોલવા માગતી સુપ્રીમ કોર્ટ! રાષ્ટ્રપતિ સંસદ ભવનનું ઉદ્ધાટન કરે તેવી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, અરજકર્તાને કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-26 14:32:03

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવવું જોઈએ. અરજકર્તાનું કહેવું હતું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે, તેમના હસ્તે ઉદ્ધાટન ન કરાવવું એ બંધારણનું ઉલ્લંઘન કહેવાય. આ અરજીની જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી. સુનાવણીની શરૂઆતમાં જ કોર્ટે કહ્યું કે મને સમજાતું નથી કે તમે લોકો આવી અરજી કેમ લાવો છો? આમાં તમને શું રસ છે? આ બાદ અરજદાર એડવોકેટ દ્વારા અરજી પાછી ખેચવામાં આવી હતી.

   


કોર્ટે અરજદારની અરજીને ફગાવી!

સુપ્રીમ કોર્ટમાં જે અરજદારે અરજી દાખલ કરી હતી તે સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને છે. અરજદારનું કહેવું હતું કે ભારત સરકારે ઉદ્ધાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. બંધારણનું સન્માન કરવામાં આવી રહ્યું નથી. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીને ફગાવામાં આવી છે જેને લઈ સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદીના હસ્તે થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલામાં હસ્તક્ષેપ કરવા નથી માગતી. અરજકર્તા ઈચ્છે તો તે હાઈકોર્ટ જઈ શકે છે. હાઈકોર્ટ ન જવાને બદલે અરજકર્તાએ અરજી પાછી ખેંચી લીધી છે.  

નેતાઓએ આપ્યું છે નિવેદન! 

મહત્વનું છે 20 જેટલી રાજકીય પાર્ટી આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આરજેડી, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. જ્યારે 25 જેટલી પાર્ટીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે આ મામલે અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે જેમાં અરવિંદ કેજરીવાલ, સંજય રાઉત જેવા નેતાઓનો સમાવેશ થાય છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.