નવા સંસદ ભવનના ઉદ્ધાટન મામલે નથી બોલવા માગતી સુપ્રીમ કોર્ટ! રાષ્ટ્રપતિ સંસદ ભવનનું ઉદ્ધાટન કરે તેવી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, અરજકર્તાને કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-26 14:32:03

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવવું જોઈએ. અરજકર્તાનું કહેવું હતું કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે, તેમના હસ્તે ઉદ્ધાટન ન કરાવવું એ બંધારણનું ઉલ્લંઘન કહેવાય. આ અરજીની જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી. સુનાવણીની શરૂઆતમાં જ કોર્ટે કહ્યું કે મને સમજાતું નથી કે તમે લોકો આવી અરજી કેમ લાવો છો? આમાં તમને શું રસ છે? આ બાદ અરજદાર એડવોકેટ દ્વારા અરજી પાછી ખેચવામાં આવી હતી.

   


કોર્ટે અરજદારની અરજીને ફગાવી!

સુપ્રીમ કોર્ટમાં જે અરજદારે અરજી દાખલ કરી હતી તે સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને છે. અરજદારનું કહેવું હતું કે ભારત સરકારે ઉદ્ધાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. બંધારણનું સન્માન કરવામાં આવી રહ્યું નથી. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ અરજીને ફગાવામાં આવી છે જેને લઈ સંસદ ભવનનું ઉદ્ધાટન પીએમ મોદીના હસ્તે થશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મામલામાં હસ્તક્ષેપ કરવા નથી માગતી. અરજકર્તા ઈચ્છે તો તે હાઈકોર્ટ જઈ શકે છે. હાઈકોર્ટ ન જવાને બદલે અરજકર્તાએ અરજી પાછી ખેંચી લીધી છે.  

નેતાઓએ આપ્યું છે નિવેદન! 

મહત્વનું છે 20 જેટલી રાજકીય પાર્ટી આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, આરજેડી, ઉદ્ધવ ઠાકરે જૂથ વાળી શિવસેના સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. જ્યારે 25 જેટલી પાર્ટીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનિય છે કે આ મામલે અનેક નેતાઓના નિવેદનો સામે આવ્યા છે જેમાં અરવિંદ કેજરીવાલ, સંજય રાઉત જેવા નેતાઓનો સમાવેશ થાય છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.