સુપ્રીમ કોર્ટે તોડ કેસમાં સંકળાયેલા પત્રકારોનો ઉધડો લીધો, આપ્યો સૌથી મોટો ચુકાદો, જાણો શું હતો કેસ?


  • Published By :
  • Published Date : 2023-07-21 16:59:45

આપણો દેશ લોકશાહીના ચાર સ્તંભ પર ઉભો છે. જેમાંથી મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. લોકો સુધી સાચા અને સચોટ સમાચાર પહોંચાડવાની જવાબદારી મીડિયાકર્મીઓની હોય છે. પરંતુ જ્યારે મીડિયા કર્મી ખંડણી કરવા લાગે ત્યારે? આ વાત મધ્યપ્રદેશથી સામે આવેલી ઘટનાને લઈ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકાર હોવું એ કાયદો પોતાના હાથમાં લેવાનું લાયસન્સ નથી... 


પત્રકારે આરોપી પાસેથી ખંડણીની માગણી કરી!

આ સમગ્ર ઘટનાને તેમજ કેસ વિસ્તારથી સમજીએ.એક ન્યૂઝ પોર્ટલમાં લખવામાં આવ્યું છે કે 25 જુલાઈ 2021માં દૈનિક ભાસ્કરે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના કેસનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક દંપતીએ નવજાત બાળકને વેચવાનો પ્લાન બનાવ્યો હતો, ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે કહ્યું કે અમે ખંડવાના પત્રકારોની પણ તપાસ કરી રહ્યા છીએ, થયું એવું હતું કે સ્થાનિક પત્રકારોએ આરોપી પાસે બ્લેકમેલ કરીને ખંડણી માગી અને ધમકી આપી કે જો ખંડણી નહીં અપાય તો તો તે બાળ તસ્કરીમાં સામેલ હોવાનો આક્ષેપ કરતો ન્યૂઝ રીપોર્ટ બહાર પાડી દેશે. પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ કહ્યું કે પત્રકારોએ 20 લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું. પછી પોલીસે પત્રકાર પર કેસ કર્યો. દૈનિક ભાસ્કરને આ વાતની ખબર પડી તો તેણે પઠાણને દૈનિક ભાસ્કરમાંથી હાંકી કાઢ્યો. 


બાળતસ્કરીના સમાચારને દબાવવા માટે પત્રકારે અને સંવાદદાતાએ લાંચ લીધી

મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ કેસમાં આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. તો આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જેમાં ન્યાયાધીશ એ એસ બોપન્ના અને એમ એમ સુંદરેશની ખંડપીઠે સુનાવણી કરી, દૈનિક ભાસ્કરના સંવાદદાતાએ અને સ્થાનિક પત્રકારોએ બાળતસ્કરી સમાચારને દબાવવા માટે લાંચ લીધી તેમાં તેમને ધરપકડની સજા ફટકારવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે આ સજા પર વચગાળાનું રક્ષણ હટાવી દેવા કહ્યું હતું. 


હાઈકોર્ટે પત્રકારની ઝાટકણી કાઢી!

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ બીજા પોલીસ કેસમાં પણ જોડાયેલા છે, વચગાળાનું રક્ષણ ચાલુ રાખવાનું કોઈ કારણ ન હોવું જોઈએ., અમારે આરોપોની પ્રકૃતિમાં જવાની જરૂર નથી કારણ કે તે લોકો ઓલરેડી બીજા કેસમાં સંડોવાયેલા છે. આવું કહેતા ન્યાયાધીશ બોપન્નાએ કહ્યું હતું કે પત્રકાર હોવાનો મતલબ એ નથી કે તમને કાયદો તમારા હાથમાં લેવાનું લાયસન્સ છે. કાયદો કાયદાનું કામ કરશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .