સુપ્રીમ કોર્ટે તોડ કેસમાં સંકળાયેલા પત્રકારોનો ઉધડો લીધો, આપ્યો સૌથી મોટો ચુકાદો, જાણો શું હતો કેસ?


  • Published By :
  • Published Date : 2023-07-21 16:59:45

આપણો દેશ લોકશાહીના ચાર સ્તંભ પર ઉભો છે. જેમાંથી મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. લોકો સુધી સાચા અને સચોટ સમાચાર પહોંચાડવાની જવાબદારી મીડિયાકર્મીઓની હોય છે. પરંતુ જ્યારે મીડિયા કર્મી ખંડણી કરવા લાગે ત્યારે? આ વાત મધ્યપ્રદેશથી સામે આવેલી ઘટનાને લઈ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકાર હોવું એ કાયદો પોતાના હાથમાં લેવાનું લાયસન્સ નથી... 


પત્રકારે આરોપી પાસેથી ખંડણીની માગણી કરી!

આ સમગ્ર ઘટનાને તેમજ કેસ વિસ્તારથી સમજીએ.એક ન્યૂઝ પોર્ટલમાં લખવામાં આવ્યું છે કે 25 જુલાઈ 2021માં દૈનિક ભાસ્કરે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના કેસનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક દંપતીએ નવજાત બાળકને વેચવાનો પ્લાન બનાવ્યો હતો, ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે કહ્યું કે અમે ખંડવાના પત્રકારોની પણ તપાસ કરી રહ્યા છીએ, થયું એવું હતું કે સ્થાનિક પત્રકારોએ આરોપી પાસે બ્લેકમેલ કરીને ખંડણી માગી અને ધમકી આપી કે જો ખંડણી નહીં અપાય તો તો તે બાળ તસ્કરીમાં સામેલ હોવાનો આક્ષેપ કરતો ન્યૂઝ રીપોર્ટ બહાર પાડી દેશે. પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ કહ્યું કે પત્રકારોએ 20 લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું. પછી પોલીસે પત્રકાર પર કેસ કર્યો. દૈનિક ભાસ્કરને આ વાતની ખબર પડી તો તેણે પઠાણને દૈનિક ભાસ્કરમાંથી હાંકી કાઢ્યો. 


બાળતસ્કરીના સમાચારને દબાવવા માટે પત્રકારે અને સંવાદદાતાએ લાંચ લીધી

મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ કેસમાં આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. તો આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જેમાં ન્યાયાધીશ એ એસ બોપન્ના અને એમ એમ સુંદરેશની ખંડપીઠે સુનાવણી કરી, દૈનિક ભાસ્કરના સંવાદદાતાએ અને સ્થાનિક પત્રકારોએ બાળતસ્કરી સમાચારને દબાવવા માટે લાંચ લીધી તેમાં તેમને ધરપકડની સજા ફટકારવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે આ સજા પર વચગાળાનું રક્ષણ હટાવી દેવા કહ્યું હતું. 


હાઈકોર્ટે પત્રકારની ઝાટકણી કાઢી!

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ બીજા પોલીસ કેસમાં પણ જોડાયેલા છે, વચગાળાનું રક્ષણ ચાલુ રાખવાનું કોઈ કારણ ન હોવું જોઈએ., અમારે આરોપોની પ્રકૃતિમાં જવાની જરૂર નથી કારણ કે તે લોકો ઓલરેડી બીજા કેસમાં સંડોવાયેલા છે. આવું કહેતા ન્યાયાધીશ બોપન્નાએ કહ્યું હતું કે પત્રકાર હોવાનો મતલબ એ નથી કે તમને કાયદો તમારા હાથમાં લેવાનું લાયસન્સ છે. કાયદો કાયદાનું કામ કરશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.