સુપ્રીમ કોર્ટે તોડ કેસમાં સંકળાયેલા પત્રકારોનો ઉધડો લીધો, આપ્યો સૌથી મોટો ચુકાદો, જાણો શું હતો કેસ?


  • Published By :
  • Published Date : 2023-07-21 16:59:45

આપણો દેશ લોકશાહીના ચાર સ્તંભ પર ઉભો છે. જેમાંથી મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. લોકો સુધી સાચા અને સચોટ સમાચાર પહોંચાડવાની જવાબદારી મીડિયાકર્મીઓની હોય છે. પરંતુ જ્યારે મીડિયા કર્મી ખંડણી કરવા લાગે ત્યારે? આ વાત મધ્યપ્રદેશથી સામે આવેલી ઘટનાને લઈ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકાર હોવું એ કાયદો પોતાના હાથમાં લેવાનું લાયસન્સ નથી... 


પત્રકારે આરોપી પાસેથી ખંડણીની માગણી કરી!

આ સમગ્ર ઘટનાને તેમજ કેસ વિસ્તારથી સમજીએ.એક ન્યૂઝ પોર્ટલમાં લખવામાં આવ્યું છે કે 25 જુલાઈ 2021માં દૈનિક ભાસ્કરે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના કેસનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક દંપતીએ નવજાત બાળકને વેચવાનો પ્લાન બનાવ્યો હતો, ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે કહ્યું કે અમે ખંડવાના પત્રકારોની પણ તપાસ કરી રહ્યા છીએ, થયું એવું હતું કે સ્થાનિક પત્રકારોએ આરોપી પાસે બ્લેકમેલ કરીને ખંડણી માગી અને ધમકી આપી કે જો ખંડણી નહીં અપાય તો તો તે બાળ તસ્કરીમાં સામેલ હોવાનો આક્ષેપ કરતો ન્યૂઝ રીપોર્ટ બહાર પાડી દેશે. પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ કહ્યું કે પત્રકારોએ 20 લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું. પછી પોલીસે પત્રકાર પર કેસ કર્યો. દૈનિક ભાસ્કરને આ વાતની ખબર પડી તો તેણે પઠાણને દૈનિક ભાસ્કરમાંથી હાંકી કાઢ્યો. 


બાળતસ્કરીના સમાચારને દબાવવા માટે પત્રકારે અને સંવાદદાતાએ લાંચ લીધી

મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ કેસમાં આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. તો આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જેમાં ન્યાયાધીશ એ એસ બોપન્ના અને એમ એમ સુંદરેશની ખંડપીઠે સુનાવણી કરી, દૈનિક ભાસ્કરના સંવાદદાતાએ અને સ્થાનિક પત્રકારોએ બાળતસ્કરી સમાચારને દબાવવા માટે લાંચ લીધી તેમાં તેમને ધરપકડની સજા ફટકારવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે આ સજા પર વચગાળાનું રક્ષણ હટાવી દેવા કહ્યું હતું. 


હાઈકોર્ટે પત્રકારની ઝાટકણી કાઢી!

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ બીજા પોલીસ કેસમાં પણ જોડાયેલા છે, વચગાળાનું રક્ષણ ચાલુ રાખવાનું કોઈ કારણ ન હોવું જોઈએ., અમારે આરોપોની પ્રકૃતિમાં જવાની જરૂર નથી કારણ કે તે લોકો ઓલરેડી બીજા કેસમાં સંડોવાયેલા છે. આવું કહેતા ન્યાયાધીશ બોપન્નાએ કહ્યું હતું કે પત્રકાર હોવાનો મતલબ એ નથી કે તમને કાયદો તમારા હાથમાં લેવાનું લાયસન્સ છે. કાયદો કાયદાનું કામ કરશે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.