સુપ્રીમ કોર્ટે તોડ કેસમાં સંકળાયેલા પત્રકારોનો ઉધડો લીધો, આપ્યો સૌથી મોટો ચુકાદો, જાણો શું હતો કેસ?


  • Published By :
  • Published Date : 2023-07-21 16:59:45

આપણો દેશ લોકશાહીના ચાર સ્તંભ પર ઉભો છે. જેમાંથી મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે. લોકો સુધી સાચા અને સચોટ સમાચાર પહોંચાડવાની જવાબદારી મીડિયાકર્મીઓની હોય છે. પરંતુ જ્યારે મીડિયા કર્મી ખંડણી કરવા લાગે ત્યારે? આ વાત મધ્યપ્રદેશથી સામે આવેલી ઘટનાને લઈ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પત્રકાર હોવું એ કાયદો પોતાના હાથમાં લેવાનું લાયસન્સ નથી... 


પત્રકારે આરોપી પાસેથી ખંડણીની માગણી કરી!

આ સમગ્ર ઘટનાને તેમજ કેસ વિસ્તારથી સમજીએ.એક ન્યૂઝ પોર્ટલમાં લખવામાં આવ્યું છે કે 25 જુલાઈ 2021માં દૈનિક ભાસ્કરે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના કેસનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે એક દંપતીએ નવજાત બાળકને વેચવાનો પ્લાન બનાવ્યો હતો, ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે કહ્યું કે અમે ખંડવાના પત્રકારોની પણ તપાસ કરી રહ્યા છીએ, થયું એવું હતું કે સ્થાનિક પત્રકારોએ આરોપી પાસે બ્લેકમેલ કરીને ખંડણી માગી અને ધમકી આપી કે જો ખંડણી નહીં અપાય તો તો તે બાળ તસ્કરીમાં સામેલ હોવાનો આક્ષેપ કરતો ન્યૂઝ રીપોર્ટ બહાર પાડી દેશે. પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ કહ્યું કે પત્રકારોએ 20 લાખ રૂપિયા આપવા દબાણ કર્યું હતું. પછી પોલીસે પત્રકાર પર કેસ કર્યો. દૈનિક ભાસ્કરને આ વાતની ખબર પડી તો તેણે પઠાણને દૈનિક ભાસ્કરમાંથી હાંકી કાઢ્યો. 


બાળતસ્કરીના સમાચારને દબાવવા માટે પત્રકારે અને સંવાદદાતાએ લાંચ લીધી

મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ કેસમાં આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. તો આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જેમાં ન્યાયાધીશ એ એસ બોપન્ના અને એમ એમ સુંદરેશની ખંડપીઠે સુનાવણી કરી, દૈનિક ભાસ્કરના સંવાદદાતાએ અને સ્થાનિક પત્રકારોએ બાળતસ્કરી સમાચારને દબાવવા માટે લાંચ લીધી તેમાં તેમને ધરપકડની સજા ફટકારવામાં આવી હતી, સુપ્રીમ કોર્ટે આ સજા પર વચગાળાનું રક્ષણ હટાવી દેવા કહ્યું હતું. 


હાઈકોર્ટે પત્રકારની ઝાટકણી કાઢી!

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીઓ બીજા પોલીસ કેસમાં પણ જોડાયેલા છે, વચગાળાનું રક્ષણ ચાલુ રાખવાનું કોઈ કારણ ન હોવું જોઈએ., અમારે આરોપોની પ્રકૃતિમાં જવાની જરૂર નથી કારણ કે તે લોકો ઓલરેડી બીજા કેસમાં સંડોવાયેલા છે. આવું કહેતા ન્યાયાધીશ બોપન્નાએ કહ્યું હતું કે પત્રકાર હોવાનો મતલબ એ નથી કે તમને કાયદો તમારા હાથમાં લેવાનું લાયસન્સ છે. કાયદો કાયદાનું કામ કરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.