સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને આપ્યા વચગાળાના જામીન, લખીમપુર ખેરી કેસમાં થઈ હતી સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-01-25 16:45:51

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને રાહત આપી છે. લખીમપુર ઘટનાના આરોપી આશિષ મિશ્રાને આઠ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જો આશિષ મિશ્રા શરતોનું ઉલ્લંઘન કરશે તો કોર્ટ તેમની જમાનત રદ્દ કરી શકે છે.  આ મામલા પર આગામી સુનાવણી 4 માર્ચના રોજ કરવામાં આવશે. ઉપરાંત કોર્ટે હત્યાના આરોપી 4 કિસાનોને પણ જામીન આપવાના આદેશ આપ્યા છે. 

લખીમપુર ખીરી હિંસા કેસ: આશિષ મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી જામીન અરજી |  lakhimpur kheri case ashish mishra files bail plea in supreme court

નાયબ મુખ્યમંત્રી લેવાના હતા મુલાકાત 

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.  તે દરમિયાન ખેડૂતો પર ગાડી ચઢાવવામાં આવી હતી. આ ઘટનાનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અને ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબર 2021ના રોજ આ ઘટના સર્જાઈ હતી. વિરોધ પ્રદર્શન ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આ વિસ્તારની મુલાકાત લેવાના હતા. 


શરતોને આધીન મળી જામીન 

અલ્હાબાદ હાઈકોર્ટે લખનઉ બેંચે ગયા વર્ષે 26 જાન્યુઆરીના રોજ આશિષ મિશ્રાની અરજીને ફગાવી દીધી હતી. આશિષ મિશ્રાએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને અનિશ્ચિત સમય માટે જેલમાં ન રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયા સુધી આશિષ મિશ્રાને શરતોને આધીન જામીન આપી છે. જામીન મળ્યા બાદ એક સપ્તાહ બાદ આશિષ મિશ્રાને ઉત્તરપ્રદેશ છોડવાનું રહેશે.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.