સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને આપ્યા વચગાળાના જામીન, લખીમપુર ખેરી કેસમાં થઈ હતી સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-01-25 16:45:51

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને રાહત આપી છે. લખીમપુર ઘટનાના આરોપી આશિષ મિશ્રાને આઠ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જો આશિષ મિશ્રા શરતોનું ઉલ્લંઘન કરશે તો કોર્ટ તેમની જમાનત રદ્દ કરી શકે છે.  આ મામલા પર આગામી સુનાવણી 4 માર્ચના રોજ કરવામાં આવશે. ઉપરાંત કોર્ટે હત્યાના આરોપી 4 કિસાનોને પણ જામીન આપવાના આદેશ આપ્યા છે. 

લખીમપુર ખીરી હિંસા કેસ: આશિષ મિશ્રાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી જામીન અરજી |  lakhimpur kheri case ashish mishra files bail plea in supreme court

નાયબ મુખ્યમંત્રી લેવાના હતા મુલાકાત 

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.  તે દરમિયાન ખેડૂતો પર ગાડી ચઢાવવામાં આવી હતી. આ ઘટનાનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અને ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબર 2021ના રોજ આ ઘટના સર્જાઈ હતી. વિરોધ પ્રદર્શન ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આ વિસ્તારની મુલાકાત લેવાના હતા. 


શરતોને આધીન મળી જામીન 

અલ્હાબાદ હાઈકોર્ટે લખનઉ બેંચે ગયા વર્ષે 26 જાન્યુઆરીના રોજ આશિષ મિશ્રાની અરજીને ફગાવી દીધી હતી. આશિષ મિશ્રાએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને અનિશ્ચિત સમય માટે જેલમાં ન રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયા સુધી આશિષ મિશ્રાને શરતોને આધીન જામીન આપી છે. જામીન મળ્યા બાદ એક સપ્તાહ બાદ આશિષ મિશ્રાને ઉત્તરપ્રદેશ છોડવાનું રહેશે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.