પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર લટકતી ધરપકડની તલવાર, ઘરની બહાર તૈનાત કરાયો પોલીસ કાફલો


  • Published By :
  • Published Date : 2023-02-17 10:35:57

પાકિસ્તાનમાં મોંઘવારીનું સ્તર સતત વધી રહ્યું છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે પાકિસ્તાનથી એક સમાચાર સામે આવ્યા છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. એવા સમાચારો સામે આવી રહ્યા છે જે મુજબ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનની ધરપકડ ક્યારે પણ થઈ શકે છે. તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે. તે સિવાય ધરપકડના સમાચાર મળતા તેમના સમર્થકો પણ તેમના ઘરની બહાર પહોંચી ગયા છે.


ઈમરાન ખાન પર લટકતી ધરપકડની તલવાર! 

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર ધકપકડની તલવાર લટકી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગમે ત્યારે પોલીસ તેમની ગિરફતારી કરી શકે છે. તેમની ધરપકડ કરવા પોલીસ તેમના ઘરે પણ પહોંચી હતી. ઈમરાન ખાનના સમર્થકો પણ ઘરે પહોંચી ગયા હતા અને ઘરને ઘેરી લીધું હતું. 


કોર્ટે ફગાવી હતી અરજી 

કોર્ટે બુધવારે ચૂંટણી પંચની ઓફિસ સામે પ્રદર્શનના કેસમાં તેમની વચગાળાની જામીન ફગાવી દીધી હતી. તે ઉપરાંત આતંકવાદ વિરોધી અદાલતે સંબંધિત કેસની સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા. જે બાદ કોર્ટે ઈમરાન ખાનની અરજી ફગાવી દીધી હતી. જજે કહ્યું કે તબીબી આધાર ખાનને કોર્ટમાં હાજર થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ વાતને લઈ ઈમરાનના વકીલે કહ્યું કે ઈમરાન ગયા વર્ષે તેમના પર થયેલા હુમલામાથી સાજા થયા નથી અને તેમને કોર્ટમાં રહેવાની એક છેલ્લી તક આપવી જોઈએ. આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી અને કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે સામાન્ય માણસને આવી રાહત ન આપી શકાય, આવી રીતે ઈમરાન ખાન જેવા શક્તિશાળી વ્યક્તિને પણ રાહત ન આપી શકાય. જે બાદ ગમે ત્યારે ઈમરાન ખાનની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.