પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર લટકતી ધરપકડની તલવાર, ઘરની બહાર તૈનાત કરાયો પોલીસ કાફલો


  • Published By :
  • Published Date : 2023-02-17 10:35:57

પાકિસ્તાનમાં મોંઘવારીનું સ્તર સતત વધી રહ્યું છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે પાકિસ્તાનથી એક સમાચાર સામે આવ્યા છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. એવા સમાચારો સામે આવી રહ્યા છે જે મુજબ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનની ધરપકડ ક્યારે પણ થઈ શકે છે. તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે. તે સિવાય ધરપકડના સમાચાર મળતા તેમના સમર્થકો પણ તેમના ઘરની બહાર પહોંચી ગયા છે.


ઈમરાન ખાન પર લટકતી ધરપકડની તલવાર! 

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર ધકપકડની તલવાર લટકી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગમે ત્યારે પોલીસ તેમની ગિરફતારી કરી શકે છે. તેમની ધરપકડ કરવા પોલીસ તેમના ઘરે પણ પહોંચી હતી. ઈમરાન ખાનના સમર્થકો પણ ઘરે પહોંચી ગયા હતા અને ઘરને ઘેરી લીધું હતું. 


કોર્ટે ફગાવી હતી અરજી 

કોર્ટે બુધવારે ચૂંટણી પંચની ઓફિસ સામે પ્રદર્શનના કેસમાં તેમની વચગાળાની જામીન ફગાવી દીધી હતી. તે ઉપરાંત આતંકવાદ વિરોધી અદાલતે સંબંધિત કેસની સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા. જે બાદ કોર્ટે ઈમરાન ખાનની અરજી ફગાવી દીધી હતી. જજે કહ્યું કે તબીબી આધાર ખાનને કોર્ટમાં હાજર થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ વાતને લઈ ઈમરાનના વકીલે કહ્યું કે ઈમરાન ગયા વર્ષે તેમના પર થયેલા હુમલામાથી સાજા થયા નથી અને તેમને કોર્ટમાં રહેવાની એક છેલ્લી તક આપવી જોઈએ. આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી અને કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે સામાન્ય માણસને આવી રાહત ન આપી શકાય, આવી રીતે ઈમરાન ખાન જેવા શક્તિશાળી વ્યક્તિને પણ રાહત ન આપી શકાય. જે બાદ ગમે ત્યારે ઈમરાન ખાનની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .