પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર લટકતી ધરપકડની તલવાર, ઘરની બહાર તૈનાત કરાયો પોલીસ કાફલો


  • Published By :
  • Published Date : 2023-02-17 10:35:57

પાકિસ્તાનમાં મોંઘવારીનું સ્તર સતત વધી રહ્યું છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે પાકિસ્તાનથી એક સમાચાર સામે આવ્યા છે જેને કારણે રાજકારણ ગરમાયું છે. એવા સમાચારો સામે આવી રહ્યા છે જે મુજબ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનની ધરપકડ ક્યારે પણ થઈ શકે છે. તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરી દેવામાં આવ્યા છે. તે સિવાય ધરપકડના સમાચાર મળતા તેમના સમર્થકો પણ તેમના ઘરની બહાર પહોંચી ગયા છે.


ઈમરાન ખાન પર લટકતી ધરપકડની તલવાર! 

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર ધકપકડની તલવાર લટકી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગમે ત્યારે પોલીસ તેમની ગિરફતારી કરી શકે છે. તેમની ધરપકડ કરવા પોલીસ તેમના ઘરે પણ પહોંચી હતી. ઈમરાન ખાનના સમર્થકો પણ ઘરે પહોંચી ગયા હતા અને ઘરને ઘેરી લીધું હતું. 


કોર્ટે ફગાવી હતી અરજી 

કોર્ટે બુધવારે ચૂંટણી પંચની ઓફિસ સામે પ્રદર્શનના કેસમાં તેમની વચગાળાની જામીન ફગાવી દીધી હતી. તે ઉપરાંત આતંકવાદ વિરોધી અદાલતે સંબંધિત કેસની સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા. જે બાદ કોર્ટે ઈમરાન ખાનની અરજી ફગાવી દીધી હતી. જજે કહ્યું કે તબીબી આધાર ખાનને કોર્ટમાં હાજર થવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આમ કરવામાં નિષ્ફળ રહ્યા છે. આ વાતને લઈ ઈમરાનના વકીલે કહ્યું કે ઈમરાન ગયા વર્ષે તેમના પર થયેલા હુમલામાથી સાજા થયા નથી અને તેમને કોર્ટમાં રહેવાની એક છેલ્લી તક આપવી જોઈએ. આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી અને કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે સામાન્ય માણસને આવી રાહત ન આપી શકાય, આવી રીતે ઈમરાન ખાન જેવા શક્તિશાળી વ્યક્તિને પણ રાહત ન આપી શકાય. જે બાદ ગમે ત્યારે ઈમરાન ખાનની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે.  




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.