આ તારીખે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર, અભિનેતાએ વીડિયો પોસ્ટ કરી આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-07-09 15:21:17

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ઓહ માય ગોડ-2ને લઈ ચર્ચામાં રહી રહ્યા છે. જ્યારે પણ ફિલ્મને લઈ કોઈ અપડેટ આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થતા હોય છે. ત્યારે આજે ફિલ્મના ટીઝરને લઈ જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અક્ષય કુમારે જાણકારી આપી કે 11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ થવાનું છે. ઓએમજીમાં અક્ષયકુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં જોવા મળ્યા હતા ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમાર શિવજીના રૂપમાં જોવા મળવાના છે.

 

11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ થશે

ઘણા વર્ષો બાદ ફિલ્મ ઓ માય ગોડની સિકવલ આવી રહી છે. અક્ષય કુમાર તેમજ પરેશ રાવલની જોડીએ બોક્સઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું હતું. ત્યારે થોડા મહિના બાદ આ ફિલ્મની સિક્વલ ઓ માય ગોડ-2 આવી રહી છે. ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સુક્તા વધી રહી છે. જ્યારે પણ ફિલ્મ અંગે નવી અપડેટ આવે ત્યારે ટ્વિટર તેમજ સોશિયલ મીડિયા પર તે ટ્રેન્ડ થઈ જાય. ત્યારે ફિલ્મની ટીઝરને લઈ જાહેરાત કરવામાં આવી છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપી છે કે 11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર બહાર પડશે. 


સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી જાણકારી 

પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં હર હર મહાદેવના નાદ વચ્ચે અક્ષય કુમારની એન્ટ્રી થાય છે. અક્ષયે ગળા પર ભભૂત લગાયેલી છે. કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે ઓએમજી-2નું ટીઝર 11 જુલાઈના રોજ રિલીઝ થશે. જ્યારે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. પહેલા પાર્ટમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ જોવા મળ્યા હતા, જ્યારે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી જોવા મળવાના છે. તે સિવાય યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી