આ તારીખે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર, અભિનેતાએ વીડિયો પોસ્ટ કરી આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-07-09 15:21:17

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ઓહ માય ગોડ-2ને લઈ ચર્ચામાં રહી રહ્યા છે. જ્યારે પણ ફિલ્મને લઈ કોઈ અપડેટ આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થતા હોય છે. ત્યારે આજે ફિલ્મના ટીઝરને લઈ જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અક્ષય કુમારે જાણકારી આપી કે 11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ થવાનું છે. ઓએમજીમાં અક્ષયકુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં જોવા મળ્યા હતા ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમાર શિવજીના રૂપમાં જોવા મળવાના છે.

 

11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ થશે

ઘણા વર્ષો બાદ ફિલ્મ ઓ માય ગોડની સિકવલ આવી રહી છે. અક્ષય કુમાર તેમજ પરેશ રાવલની જોડીએ બોક્સઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું હતું. ત્યારે થોડા મહિના બાદ આ ફિલ્મની સિક્વલ ઓ માય ગોડ-2 આવી રહી છે. ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સુક્તા વધી રહી છે. જ્યારે પણ ફિલ્મ અંગે નવી અપડેટ આવે ત્યારે ટ્વિટર તેમજ સોશિયલ મીડિયા પર તે ટ્રેન્ડ થઈ જાય. ત્યારે ફિલ્મની ટીઝરને લઈ જાહેરાત કરવામાં આવી છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપી છે કે 11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર બહાર પડશે. 


સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી જાણકારી 

પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં હર હર મહાદેવના નાદ વચ્ચે અક્ષય કુમારની એન્ટ્રી થાય છે. અક્ષયે ગળા પર ભભૂત લગાયેલી છે. કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે ઓએમજી-2નું ટીઝર 11 જુલાઈના રોજ રિલીઝ થશે. જ્યારે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. પહેલા પાર્ટમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ જોવા મળ્યા હતા, જ્યારે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી જોવા મળવાના છે. તે સિવાય યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .