આ તારીખે રિલીઝ થશે અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી-2નું ટીઝર, અભિનેતાએ વીડિયો પોસ્ટ કરી આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-07-09 15:21:17

બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ઓહ માય ગોડ-2ને લઈ ચર્ચામાં રહી રહ્યા છે. જ્યારે પણ ફિલ્મને લઈ કોઈ અપડેટ આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર ફિલ્મ તેમજ અક્ષય કુમાર ટ્રેન્ડ થતા હોય છે. ત્યારે આજે ફિલ્મના ટીઝરને લઈ જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અક્ષય કુમારે જાણકારી આપી કે 11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ થવાનું છે. ઓએમજીમાં અક્ષયકુમાર ભગવાન કૃષ્ણના અવતારમાં જોવા મળ્યા હતા ત્યારે આ ફિલ્મમાં અક્ષય કુમાર શિવજીના રૂપમાં જોવા મળવાના છે.

 

11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર રિલીઝ થશે

ઘણા વર્ષો બાદ ફિલ્મ ઓ માય ગોડની સિકવલ આવી રહી છે. અક્ષય કુમાર તેમજ પરેશ રાવલની જોડીએ બોક્સઓફિસ પર સારૂ પ્રદર્શન કર્યું હતું. ત્યારે થોડા મહિના બાદ આ ફિલ્મની સિક્વલ ઓ માય ગોડ-2 આવી રહી છે. ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સુક્તા વધી રહી છે. જ્યારે પણ ફિલ્મ અંગે નવી અપડેટ આવે ત્યારે ટ્વિટર તેમજ સોશિયલ મીડિયા પર તે ટ્રેન્ડ થઈ જાય. ત્યારે ફિલ્મની ટીઝરને લઈ જાહેરાત કરવામાં આવી છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણકારી આપી છે કે 11 જુલાઈના રોજ ફિલ્મનું ટીઝર બહાર પડશે. 


સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી આપી જાણકારી 

પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં હર હર મહાદેવના નાદ વચ્ચે અક્ષય કુમારની એન્ટ્રી થાય છે. અક્ષયે ગળા પર ભભૂત લગાયેલી છે. કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે ઓએમજી-2નું ટીઝર 11 જુલાઈના રોજ રિલીઝ થશે. જ્યારે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. પહેલા પાર્ટમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલ જોવા મળ્યા હતા, જ્યારે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી જોવા મળવાના છે. તે સિવાય યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.