Hrithik Roshan, Deepika Padukoneની ફિલ્મ Fighterનું ટીઝર રિલીઝ થયું, આ તારીખે રિલીઝ થવાની છે ફિલ્મ, જુઓ ટિઝર


  • Published By :
  • Published Date : 2023-12-08 16:31:49

પઠાણ ફિલ્મે ધૂમ કમાણી કરી. શાહરૂખ ખાનની ફિલ્મે બોક્સ ઓફિસમાં તહેલકો મચાવી દીધો હતો. ઘણા સમય સુધી ફિલ્મની કમાણીને લઈ, ફિલ્મને લઈ ચર્ચા કરવામાં આવી. ત્યારે પઠાણ ફિલ્મના ડાયરેક્ટરની બીજી ફિલ્મ આવી રહી છે જેમાં ઋતિક રોશન છે, દીપિકા પાદુકેણ છે, અનિલ કપૂર છે. એ ફિલ્મનું નામ છે ફાઈટર. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ગણતંત્ર દિવસ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મમાં પણ પાકિસ્તાનને દુશ્મન તરીકે દર્શાવવામાં આવ્યો છે! એક મિનીટ 13 સેકેન્ડના વીડિયોમાં તમામ કોશિશ કરવામાં આવી રહી છે કે લોકો આ ફિલ્મથી આકર્ષાય. 

આ ફિલ્મને હિટ કરવા માટે અલગ અલગ ફોર્મ્યુલાનો કરાયો છે ઉપયોગ

ગણતંત્ર દિવસ પર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ફાઈટર આવી રહી છે. આ ફિલ્મમાં અમુક ફાઈટર પ્લેનના પાઈલટની કહાણી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં ઋતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર છે. આ ફિલ્મને હિટ બનાવવા માટે અનેક ફોર્મુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઋતિક રોશનનો ડાન્સ છે, દેશભક્તિ છે. દીપિકા અને ઋતિક રોશનનો ઈન્ટિમેટ સીન પણ છે. આ ફિલ્મમાં પણ પાકિસ્તાનને દુશ્મન તરીકે દર્શાવવામાં આવ્યો છે. ખુલ્લીને ભલે પાકિસ્તાન અંગે વાત નથી કરવામાં આવી પરંતુ ટીઝરમાં એક એવો સિન છે જેમાં આવું દર્શાવવામાં આવ્યું છે. 

FIGHTER Official Trailer | Hrithik Roshan | Deepika Padukone | Anil Kapoor  | Fighter movie trailer - YouTube

25 જાન્યુઆરીના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

સિનેમાં ઘરોમાં આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ આવવાની છે. રજા હોવાને કારણે દર્શકો ફિલ્મ જોવાનું પસંદ કરતા હોય છે જેની સીધી અસર ફિલ્મની કમાણી પર પડે છે. પઠાણ ફિલ્મ પણ રજાઓના દિવસે રિલીઝ થઈ હતી. ફાઈટર ફિલ્મ જ્યારે રિલીઝ થવાની છે ત્યારે પણ લોન્ગ વિકએન્ડ છે. અનેક દિવસોની રજા છે જેને કારણે ફિલ્મની કમાણી સારી થશે તેવી આશા સાથે સિદ્ધાર્થ આનંદ માને છે. ત્યારે આ ફિલ્મ બોક્સઓફિસ પર ધૂમ મચાવે છે તે જાન્યુઆરી મહિનામાં ખબર પડશે. 




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.