કંગના રણાવતની બહુ ચર્ચિત ફિલ્મ ઈમરજન્સીનું બહાર પડ્યું ટીઝર, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ, જુઓ ટીઝર


  • Published By :
  • Published Date : 2023-06-24 18:36:22

થોડા સમયથી પોતાની ફિલ્મ ઈમરજન્સીને લઈ કંગના રણાવત ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના રણાવત દેશની પ્રથમ મહિલા વડાપ્રધાનનો રોલ નિભાવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મમાં વર્ષ 1975માં લાગૂ કરવામાં આવેલી ઈમરજન્સીને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં કંગનાની સાથે અનુપમ ખેર પણ જોવા મળવાના છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદો શરૂ થઈ ગયા હતા. ત્યારે આજે ફિલ્મનું ટીઝર ફિલ્મ મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

  

24 નવેમ્બરના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ

કંગના રણાવત હમેશાં પોતાના નિવેદનનોને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા ફિલ્મ ઈમરજન્સીને લઈ તે ચર્ચામાં આવ્યા હતા. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના શાસન કાળમાં લગાવવામાં આવેલા ઈમરજન્સી પર આધારીત છે. આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર કંગના રણાવત ભજવી રહ્યા છે. આજે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક સહિતના કલાકારો જોવા મળશે. ટીઝર આજે રિલીઝ થયું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું કે રક્ષક કે તાનાશાહ? આપણા ઈતિહાસના સૌથી અંધકારમય સમયગાળાના સાક્ષી બનો જ્યારે આપણા રાષ્ટ્રના નેતાએ તેના લોકો સામે યુદ્ધની ઘોષણા કરી, 24 નવેમ્બરે વિશ્વભરમાં ઈમરજન્સી રિલીઝ થશે.                


અનુપમ ખેરના સીનથી થાય છે ટીઝરની શરૂઆત

ટીઝરની શરૂઆત જ બ્લેક એન્ડ વ્હાઈટ સ્કીનથી થાય છે જેમાં અનુપમ ખેર સળીયા પાછળ જોવા મળે છે. સ્કીન પર લખાયું છે 25 જૂન 1975. સ્ક્રીન પર લખવામાં આવ્યું છે કે વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. તે પછી બ્રેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે જેમાં કહેવાય છે આ સરકારનો નિયમ નથી, અહંકારનો નિયમ છે. આ આપણનું મૃત્યુ નથી, આ દેશનું મૃત્યુ છે. મહત્વનું છે કે આ ફિલ્મ 24 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .