કંગના રણાવતની બહુ ચર્ચિત ફિલ્મ ઈમરજન્સીનું બહાર પડ્યું ટીઝર, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ, જુઓ ટીઝર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-24 18:36:22

થોડા સમયથી પોતાની ફિલ્મ ઈમરજન્સીને લઈ કંગના રણાવત ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના રણાવત દેશની પ્રથમ મહિલા વડાપ્રધાનનો રોલ નિભાવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મમાં વર્ષ 1975માં લાગૂ કરવામાં આવેલી ઈમરજન્સીને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં કંગનાની સાથે અનુપમ ખેર પણ જોવા મળવાના છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદો શરૂ થઈ ગયા હતા. ત્યારે આજે ફિલ્મનું ટીઝર ફિલ્મ મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

  

24 નવેમ્બરના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ

કંગના રણાવત હમેશાં પોતાના નિવેદનનોને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા ફિલ્મ ઈમરજન્સીને લઈ તે ચર્ચામાં આવ્યા હતા. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના શાસન કાળમાં લગાવવામાં આવેલા ઈમરજન્સી પર આધારીત છે. આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર કંગના રણાવત ભજવી રહ્યા છે. આજે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક સહિતના કલાકારો જોવા મળશે. ટીઝર આજે રિલીઝ થયું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું કે રક્ષક કે તાનાશાહ? આપણા ઈતિહાસના સૌથી અંધકારમય સમયગાળાના સાક્ષી બનો જ્યારે આપણા રાષ્ટ્રના નેતાએ તેના લોકો સામે યુદ્ધની ઘોષણા કરી, 24 નવેમ્બરે વિશ્વભરમાં ઈમરજન્સી રિલીઝ થશે.                


અનુપમ ખેરના સીનથી થાય છે ટીઝરની શરૂઆત

ટીઝરની શરૂઆત જ બ્લેક એન્ડ વ્હાઈટ સ્કીનથી થાય છે જેમાં અનુપમ ખેર સળીયા પાછળ જોવા મળે છે. સ્કીન પર લખાયું છે 25 જૂન 1975. સ્ક્રીન પર લખવામાં આવ્યું છે કે વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. તે પછી બ્રેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે જેમાં કહેવાય છે આ સરકારનો નિયમ નથી, અહંકારનો નિયમ છે. આ આપણનું મૃત્યુ નથી, આ દેશનું મૃત્યુ છે. મહત્વનું છે કે આ ફિલ્મ 24 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.    



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.