કંગના રણાવતની બહુ ચર્ચિત ફિલ્મ ઈમરજન્સીનું બહાર પડ્યું ટીઝર, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ, જુઓ ટીઝર


  • Published By :
  • Published Date : 2023-06-24 18:36:22

થોડા સમયથી પોતાની ફિલ્મ ઈમરજન્સીને લઈ કંગના રણાવત ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના રણાવત દેશની પ્રથમ મહિલા વડાપ્રધાનનો રોલ નિભાવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મમાં વર્ષ 1975માં લાગૂ કરવામાં આવેલી ઈમરજન્સીને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં કંગનાની સાથે અનુપમ ખેર પણ જોવા મળવાના છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદો શરૂ થઈ ગયા હતા. ત્યારે આજે ફિલ્મનું ટીઝર ફિલ્મ મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

  

24 નવેમ્બરના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ

કંગના રણાવત હમેશાં પોતાના નિવેદનનોને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા ફિલ્મ ઈમરજન્સીને લઈ તે ચર્ચામાં આવ્યા હતા. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના શાસન કાળમાં લગાવવામાં આવેલા ઈમરજન્સી પર આધારીત છે. આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર કંગના રણાવત ભજવી રહ્યા છે. આજે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક સહિતના કલાકારો જોવા મળશે. ટીઝર આજે રિલીઝ થયું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું કે રક્ષક કે તાનાશાહ? આપણા ઈતિહાસના સૌથી અંધકારમય સમયગાળાના સાક્ષી બનો જ્યારે આપણા રાષ્ટ્રના નેતાએ તેના લોકો સામે યુદ્ધની ઘોષણા કરી, 24 નવેમ્બરે વિશ્વભરમાં ઈમરજન્સી રિલીઝ થશે.                


અનુપમ ખેરના સીનથી થાય છે ટીઝરની શરૂઆત

ટીઝરની શરૂઆત જ બ્લેક એન્ડ વ્હાઈટ સ્કીનથી થાય છે જેમાં અનુપમ ખેર સળીયા પાછળ જોવા મળે છે. સ્કીન પર લખાયું છે 25 જૂન 1975. સ્ક્રીન પર લખવામાં આવ્યું છે કે વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. તે પછી બ્રેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે જેમાં કહેવાય છે આ સરકારનો નિયમ નથી, અહંકારનો નિયમ છે. આ આપણનું મૃત્યુ નથી, આ દેશનું મૃત્યુ છે. મહત્વનું છે કે આ ફિલ્મ 24 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી