કંગના રણાવતની બહુ ચર્ચિત ફિલ્મ ઈમરજન્સીનું બહાર પડ્યું ટીઝર, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ, જુઓ ટીઝર


  • Published By :
  • Published Date : 2023-06-24 18:36:22

થોડા સમયથી પોતાની ફિલ્મ ઈમરજન્સીને લઈ કંગના રણાવત ચર્ચામાં છે. આ ફિલ્મમાં કંગના રણાવત દેશની પ્રથમ મહિલા વડાપ્રધાનનો રોલ નિભાવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મમાં વર્ષ 1975માં લાગૂ કરવામાં આવેલી ઈમરજન્સીને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં કંગનાની સાથે અનુપમ ખેર પણ જોવા મળવાના છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદો શરૂ થઈ ગયા હતા. ત્યારે આજે ફિલ્મનું ટીઝર ફિલ્મ મેકર્સે રિલીઝ કર્યું છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

  

24 નવેમ્બરના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ

કંગના રણાવત હમેશાં પોતાના નિવેદનનોને લઈ ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે થોડા સમય પહેલા ફિલ્મ ઈમરજન્સીને લઈ તે ચર્ચામાં આવ્યા હતા. આ ફિલ્મ ઈન્દિરા ગાંધીના શાસન કાળમાં લગાવવામાં આવેલા ઈમરજન્સી પર આધારીત છે. આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર કંગના રણાવત ભજવી રહ્યા છે. આજે ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, સતીશ કૌશિક સહિતના કલાકારો જોવા મળશે. ટીઝર આજે રિલીઝ થયું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું કે રક્ષક કે તાનાશાહ? આપણા ઈતિહાસના સૌથી અંધકારમય સમયગાળાના સાક્ષી બનો જ્યારે આપણા રાષ્ટ્રના નેતાએ તેના લોકો સામે યુદ્ધની ઘોષણા કરી, 24 નવેમ્બરે વિશ્વભરમાં ઈમરજન્સી રિલીઝ થશે.                


અનુપમ ખેરના સીનથી થાય છે ટીઝરની શરૂઆત

ટીઝરની શરૂઆત જ બ્લેક એન્ડ વ્હાઈટ સ્કીનથી થાય છે જેમાં અનુપમ ખેર સળીયા પાછળ જોવા મળે છે. સ્કીન પર લખાયું છે 25 જૂન 1975. સ્ક્રીન પર લખવામાં આવ્યું છે કે વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. તે પછી બ્રેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે જેમાં કહેવાય છે આ સરકારનો નિયમ નથી, અહંકારનો નિયમ છે. આ આપણનું મૃત્યુ નથી, આ દેશનું મૃત્યુ છે. મહત્વનું છે કે આ ફિલ્મ 24 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.