ચીન કરતા જાપાનમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો. એક દિવસમાં બે લાખ લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-22 13:00:24

વિશ્વમાં કોરોના કેસોમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. પરંતુ મળતી માહિતી અનુસાર ચીન કરતા ખરાબ હાલત જાપાનની થઈ ગઈ છે. ચીન કરતા જાપાનમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જાપાનમાં દૈનિક કેસોની વાત કરીએ તો બે લાખ જેટલા કેસો પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. 

વાયરલ ન્યૂઝ: અમદાવાદ-વડોદરામાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો, જાણો  સત્ય

એક દિવસમાં નોંધાયા બે લાખ જેટલા કેસ 

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વિશ્વના દેશો એકદમ સતર્ક થઈ ગયા છે. નીતિ નિયમોને ફરી લાગુ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઈ બેઠકો કરવામાં આવી કરહી છે. ત્યારે ચીનમાં વધતા કોરોના કેસને લઈ દુનિયા ચિંતીત હતી, પરંતુ ચીન કરતા વધારે કેસો જાપાનમાં નોંધાઈ રહ્યા છે. બે લાખ કરતા વધુ કેસ એક દિવસમાં નોંધાઈ રહ્યા છે. 


જાપાનમાં પણ સર્જાઈ શકે છે ચીન જેવી પરિસ્થિતિ

મળતી માહિતી અનુસાર બુધવારના દિવસે જાપાનમાં 2,01,106 લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોના કેસ વધતા જાપાનમાં ચીન જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અનેક લોકો કોરોના સંક્રમિત હોવાને કારણે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી શકે છે. ઉપરાંત દવા તેમજ ઓક્સજનની પણ અછત વર્તાઈ શકે છે. સ્મશાન ગૃહો મૃતદેહોના લાશોથી ભરાઈ શકે છે. અંતિમ સંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે.


વૈશ્વિક સ્તરે વધતો કોરોનાનો ખતરો 

છેલ્લા થોડા સમયમાં અનેક પર્યટકો જાપાનની મુલાકાત લઈ રહ્યા છે. જેને કારણે જાપાનમાં કોરોના કેસ વધી રહ્યા છે.. ગયા મહિને અંદાજીત 10 લાખ પર્યટકો જાપાન પહોંચ્યા હતા. જે ઓક્ટોબર મહિના કરતા અનેક ઘણી વધારે છે. ત્યારે પર્યટકોને કારણે જાપાનમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવું જાપાનનું માનવાનું છે. જાપાન, ચીન બાદ અમેરિકામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વિશ્વભરમાં 5.37 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેને લઈ ચિંતામાં વધારો થઈ રહ્યો છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .