ચીન કરતા જાપાનમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો. એક દિવસમાં બે લાખ લોકો થયા સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-22 13:00:24

વિશ્વમાં કોરોના કેસોમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. પરંતુ મળતી માહિતી અનુસાર ચીન કરતા ખરાબ હાલત જાપાનની થઈ ગઈ છે. ચીન કરતા જાપાનમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જાપાનમાં દૈનિક કેસોની વાત કરીએ તો બે લાખ જેટલા કેસો પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. 

વાયરલ ન્યૂઝ: અમદાવાદ-વડોદરામાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો, જાણો  સત્ય

એક દિવસમાં નોંધાયા બે લાખ જેટલા કેસ 

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વિશ્વના દેશો એકદમ સતર્ક થઈ ગયા છે. નીતિ નિયમોને ફરી લાગુ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઈ બેઠકો કરવામાં આવી કરહી છે. ત્યારે ચીનમાં વધતા કોરોના કેસને લઈ દુનિયા ચિંતીત હતી, પરંતુ ચીન કરતા વધારે કેસો જાપાનમાં નોંધાઈ રહ્યા છે. બે લાખ કરતા વધુ કેસ એક દિવસમાં નોંધાઈ રહ્યા છે. 


જાપાનમાં પણ સર્જાઈ શકે છે ચીન જેવી પરિસ્થિતિ

મળતી માહિતી અનુસાર બુધવારના દિવસે જાપાનમાં 2,01,106 લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોના કેસ વધતા જાપાનમાં ચીન જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અનેક લોકો કોરોના સંક્રમિત હોવાને કારણે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી શકે છે. ઉપરાંત દવા તેમજ ઓક્સજનની પણ અછત વર્તાઈ શકે છે. સ્મશાન ગૃહો મૃતદેહોના લાશોથી ભરાઈ શકે છે. અંતિમ સંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે.


વૈશ્વિક સ્તરે વધતો કોરોનાનો ખતરો 

છેલ્લા થોડા સમયમાં અનેક પર્યટકો જાપાનની મુલાકાત લઈ રહ્યા છે. જેને કારણે જાપાનમાં કોરોના કેસ વધી રહ્યા છે.. ગયા મહિને અંદાજીત 10 લાખ પર્યટકો જાપાન પહોંચ્યા હતા. જે ઓક્ટોબર મહિના કરતા અનેક ઘણી વધારે છે. ત્યારે પર્યટકોને કારણે જાપાનમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવું જાપાનનું માનવાનું છે. જાપાન, ચીન બાદ અમેરિકામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વિશ્વભરમાં 5.37 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેને લઈ ચિંતામાં વધારો થઈ રહ્યો છે.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.