ચીન કરતા જાપાનમાં વધી રહ્યો છે કોરોનાનો ખતરો. એક દિવસમાં બે લાખ લોકો થયા સંક્રમિત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-22 13:00:24

વિશ્વમાં કોરોના કેસોમાં એકાએક ઉછાળો જોવા મળી રહ્યો છે. ચીનમાં કોરોના બેકાબૂ બન્યો છે. પરંતુ મળતી માહિતી અનુસાર ચીન કરતા ખરાબ હાલત જાપાનની થઈ ગઈ છે. ચીન કરતા જાપાનમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જાપાનમાં દૈનિક કેસોની વાત કરીએ તો બે લાખ જેટલા કેસો પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. 

વાયરલ ન્યૂઝ: અમદાવાદ-વડોદરામાં કોરોનાનો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો, જાણો  સત્ય

એક દિવસમાં નોંધાયા બે લાખ જેટલા કેસ 

કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વિશ્વના દેશો એકદમ સતર્ક થઈ ગયા છે. નીતિ નિયમોને ફરી લાગુ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાને લઈ બેઠકો કરવામાં આવી કરહી છે. ત્યારે ચીનમાં વધતા કોરોના કેસને લઈ દુનિયા ચિંતીત હતી, પરંતુ ચીન કરતા વધારે કેસો જાપાનમાં નોંધાઈ રહ્યા છે. બે લાખ કરતા વધુ કેસ એક દિવસમાં નોંધાઈ રહ્યા છે. 


જાપાનમાં પણ સર્જાઈ શકે છે ચીન જેવી પરિસ્થિતિ

મળતી માહિતી અનુસાર બુધવારના દિવસે જાપાનમાં 2,01,106 લોકો કોરોના સંક્રમિત થયા છે. કોરોના કેસ વધતા જાપાનમાં ચીન જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અનેક લોકો કોરોના સંક્રમિત હોવાને કારણે હોસ્પિટલ બહાર દર્દીઓની લાઈન લાગી શકે છે. ઉપરાંત દવા તેમજ ઓક્સજનની પણ અછત વર્તાઈ શકે છે. સ્મશાન ગૃહો મૃતદેહોના લાશોથી ભરાઈ શકે છે. અંતિમ સંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે.


વૈશ્વિક સ્તરે વધતો કોરોનાનો ખતરો 

છેલ્લા થોડા સમયમાં અનેક પર્યટકો જાપાનની મુલાકાત લઈ રહ્યા છે. જેને કારણે જાપાનમાં કોરોના કેસ વધી રહ્યા છે.. ગયા મહિને અંદાજીત 10 લાખ પર્યટકો જાપાન પહોંચ્યા હતા. જે ઓક્ટોબર મહિના કરતા અનેક ઘણી વધારે છે. ત્યારે પર્યટકોને કારણે જાપાનમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે તેવું જાપાનનું માનવાનું છે. જાપાન, ચીન બાદ અમેરિકામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો વિશ્વભરમાં 5.37 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેને લઈ ચિંતામાં વધારો થઈ રહ્યો છે.  




લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.