કોરોના બાદ દેશ પર વધતો H3N2 વાયરસનો ખતરો! આ વાયરસના સંક્રમણને કારણે થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-03-10 15:22:13

કોરોના મહામારીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે દેશ પર H3N2 વાયરસનો ખતરો વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. H3N2 વાયરસ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. આ વાયરસને કારણે અત્યાર સુધી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આરોગ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે હરિયાણા અને કર્ણાટકમાં આ વાયરસને કારણે એક એક મોત થયા છે. એક તરફ કોરોના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ H3N2 વાયરસના કેસ પણ વધી રહ્યા છે. 


દેશમાં વધી રહ્યા છે H3N2ના કેસ 

દેશમાં H3N2 વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનાની જેમ આ વાયરસ પણ આવનાર સમયમાં હાહાકાર મચાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો દર્દીને ઉધરસ-ખાંસી હોવી, ઘણા દિવસોથી તાવ ન ઉતરવો, ઉપરાંત શરીરમાં દુખાવો થવો તે આના લક્ષણો છે. થોડા દિવસો પહેલા એઈમ્સના પૂર્વ ડાયરેક્ટરે પણ આ વાયરસને લઈ સાવચેત રહેવા જણાવ્યું હતું. માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા સહિતની વાતો પર ધ્યાન આપવા કહ્યું હતું. 


કોરોના જેટલો ઘાતક સાબિત થશે H3N2 વાયરસ!

છેલ્લા એક-બે મહિનાથી દિલ્હી સહિત ભારતના અનેક રાજ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં H3N2ના 90 કેસ નોંધાયા છે. કોરોના બાદ આ વાયરસના વધતા કેસોને લઈ લોકોની ચિંતા પણ વધી છે. લોકો ભયભીત બન્યા છે. સુરતમાં પણ એક મહિલાનું મોત થયું છે. એવું માનવામાં આવે છે કે આ મહિલાનું મોત H3N2 વાયરસને કારણે થયું છે. સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મહિલાનું મોત કયા સ્ટ્રેનને કારણે થયું છે.          




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.