કોરોના બાદ દેશ પર વધતો H3N2 વાયરસનો ખતરો! આ વાયરસના સંક્રમણને કારણે થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-03-10 15:22:13

કોરોના મહામારીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે દેશ પર H3N2 વાયરસનો ખતરો વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. H3N2 વાયરસ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. આ વાયરસને કારણે અત્યાર સુધી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આરોગ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે હરિયાણા અને કર્ણાટકમાં આ વાયરસને કારણે એક એક મોત થયા છે. એક તરફ કોરોના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ H3N2 વાયરસના કેસ પણ વધી રહ્યા છે. 


દેશમાં વધી રહ્યા છે H3N2ના કેસ 

દેશમાં H3N2 વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનાની જેમ આ વાયરસ પણ આવનાર સમયમાં હાહાકાર મચાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો દર્દીને ઉધરસ-ખાંસી હોવી, ઘણા દિવસોથી તાવ ન ઉતરવો, ઉપરાંત શરીરમાં દુખાવો થવો તે આના લક્ષણો છે. થોડા દિવસો પહેલા એઈમ્સના પૂર્વ ડાયરેક્ટરે પણ આ વાયરસને લઈ સાવચેત રહેવા જણાવ્યું હતું. માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા સહિતની વાતો પર ધ્યાન આપવા કહ્યું હતું. 


કોરોના જેટલો ઘાતક સાબિત થશે H3N2 વાયરસ!

છેલ્લા એક-બે મહિનાથી દિલ્હી સહિત ભારતના અનેક રાજ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં H3N2ના 90 કેસ નોંધાયા છે. કોરોના બાદ આ વાયરસના વધતા કેસોને લઈ લોકોની ચિંતા પણ વધી છે. લોકો ભયભીત બન્યા છે. સુરતમાં પણ એક મહિલાનું મોત થયું છે. એવું માનવામાં આવે છે કે આ મહિલાનું મોત H3N2 વાયરસને કારણે થયું છે. સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મહિલાનું મોત કયા સ્ટ્રેનને કારણે થયું છે.          




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.