કોરોના બાદ દેશ પર વધતો H3N2 વાયરસનો ખતરો! આ વાયરસના સંક્રમણને કારણે થયા આટલા લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-03-10 15:22:13

કોરોના મહામારીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે દેશ પર H3N2 વાયરસનો ખતરો વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. H3N2 વાયરસ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. આ વાયરસને કારણે અત્યાર સુધી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આરોગ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે હરિયાણા અને કર્ણાટકમાં આ વાયરસને કારણે એક એક મોત થયા છે. એક તરફ કોરોના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ H3N2 વાયરસના કેસ પણ વધી રહ્યા છે. 


દેશમાં વધી રહ્યા છે H3N2ના કેસ 

દેશમાં H3N2 વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનાની જેમ આ વાયરસ પણ આવનાર સમયમાં હાહાકાર મચાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો દર્દીને ઉધરસ-ખાંસી હોવી, ઘણા દિવસોથી તાવ ન ઉતરવો, ઉપરાંત શરીરમાં દુખાવો થવો તે આના લક્ષણો છે. થોડા દિવસો પહેલા એઈમ્સના પૂર્વ ડાયરેક્ટરે પણ આ વાયરસને લઈ સાવચેત રહેવા જણાવ્યું હતું. માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા સહિતની વાતો પર ધ્યાન આપવા કહ્યું હતું. 


કોરોના જેટલો ઘાતક સાબિત થશે H3N2 વાયરસ!

છેલ્લા એક-બે મહિનાથી દિલ્હી સહિત ભારતના અનેક રાજ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં H3N2ના 90 કેસ નોંધાયા છે. કોરોના બાદ આ વાયરસના વધતા કેસોને લઈ લોકોની ચિંતા પણ વધી છે. લોકો ભયભીત બન્યા છે. સુરતમાં પણ એક મહિલાનું મોત થયું છે. એવું માનવામાં આવે છે કે આ મહિલાનું મોત H3N2 વાયરસને કારણે થયું છે. સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મહિલાનું મોત કયા સ્ટ્રેનને કારણે થયું છે.          




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.