ઓસ્ટ્રેલિયામાં વધતો ખાલિસ્તાનીઓનો ત્રાસ! બ્રિસબેનમાં આવેલા ભારતીય દૂતાવાસને બળજબરીથી ખાલિસ્તાનીઓએ બંધ કરાવ્યું


  • Published By :
  • Published Date : 2023-03-16 11:04:53

ઓસ્ટ્રેલિયાથી અનેક વખત હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બુધવારે ખાલિસ્તાન સર્મથકોએ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં આવેલા ઈન્ડિયન કોન્સ્યુલેટના મુખ્ય દરવાજાને બળજબરીથી બ્લોક કરી દીધો હતો. મીડિયા રિપોર્ટસના આધારે ખાલિસ્તાન સર્મથકોએ ઝંડા, બેનર તેમજ પોસ્ટર લગાવ્યા હતા.    


ગયા અઠવાડિયે જ ઓસ્ટ્રેલિયાના પીએમે આપ્યું હતું આશ્વાસન

ખાલિસ્તાનીઓ દ્વારા અનેક હિંદુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે તે સિવાય વિવાદસ્પદ સૂત્રો પણ લખવામાં આવે છે. સતત થતા હુમલાને કારણે હિંદુમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. વધતા હુમલાને લઈ ભારતના વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે આ અંગે વાત પણ કરી હતી. આસ્ટ્રેલિયાના પીએમે આશ્વાસન આપ્યું હતું. ત્યારે આશ્વાશન આપે થોડો સમય જ વીત્યો છે ત્યારે વધુ એક ઘટના બની છે. 


બળજબરીથી ખાલિસ્તાનીઓએ ગેટ કર્યો બંધ 

બુધવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલા ભારતીય દુતાવાસને જબરદસ્તીથી બંધ કરાવી હોય તેવી ઘટના સામે આવી છે. મેન ગેટને બળજબરીથી બંધ કરી દેવાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ખાલિસ્તાન સમર્થકોએ ઝંડા, પોસ્ટર અને બેનરો લગાવી દીધા હતા. કોન્સ્યુલેટમાં જવા માંગતા લોકોને અંદર જવા દેવાયા ન હતા. જેને કારણે કામકાજ પર સીધી અસર પડી હતી.    

  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.