ઓસ્ટ્રેલિયામાં વધતો ખાલિસ્તાનીઓનો ત્રાસ! બ્રિસબેનમાં આવેલા ભારતીય દૂતાવાસને બળજબરીથી ખાલિસ્તાનીઓએ બંધ કરાવ્યું


  • Published By :
  • Published Date : 2023-03-16 11:04:53

ઓસ્ટ્રેલિયાથી અનેક વખત હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બુધવારે ખાલિસ્તાન સર્મથકોએ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં આવેલા ઈન્ડિયન કોન્સ્યુલેટના મુખ્ય દરવાજાને બળજબરીથી બ્લોક કરી દીધો હતો. મીડિયા રિપોર્ટસના આધારે ખાલિસ્તાન સર્મથકોએ ઝંડા, બેનર તેમજ પોસ્ટર લગાવ્યા હતા.    


ગયા અઠવાડિયે જ ઓસ્ટ્રેલિયાના પીએમે આપ્યું હતું આશ્વાસન

ખાલિસ્તાનીઓ દ્વારા અનેક હિંદુ મંદિરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હિંદુ મંદિરોમાં તોડફોડ કરવામાં આવે છે તે સિવાય વિવાદસ્પદ સૂત્રો પણ લખવામાં આવે છે. સતત થતા હુમલાને કારણે હિંદુમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. વધતા હુમલાને લઈ ભારતના વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે આ અંગે વાત પણ કરી હતી. આસ્ટ્રેલિયાના પીએમે આશ્વાસન આપ્યું હતું. ત્યારે આશ્વાશન આપે થોડો સમય જ વીત્યો છે ત્યારે વધુ એક ઘટના બની છે. 


બળજબરીથી ખાલિસ્તાનીઓએ ગેટ કર્યો બંધ 

બુધવારે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં આવેલા ભારતીય દુતાવાસને જબરદસ્તીથી બંધ કરાવી હોય તેવી ઘટના સામે આવી છે. મેન ગેટને બળજબરીથી બંધ કરી દેવાયો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ખાલિસ્તાન સમર્થકોએ ઝંડા, પોસ્ટર અને બેનરો લગાવી દીધા હતા. કોન્સ્યુલેટમાં જવા માંગતા લોકોને અંદર જવા દેવાયા ન હતા. જેને કારણે કામકાજ પર સીધી અસર પડી હતી.    

  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .