Brazilમાં બની પ્લેનક્રેશની દુર્ઘટના, આટલા લોકોના થયા મોત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-10 15:24:38

કહેવાય છે કે દુર્ઘટના ગમે ત્યારે ગમે તેની સાથે બની શકે છે. અનેક વખત સામેવાળાની ભૂલને કારણે બીજા લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે. આપણે અનેક ટ્રેન અકસ્માત, રોડ અકસ્માત જોયા છે જેમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. અનેક ટ્રેન દુર્ઘટનાઓ સર્જાતી આપણે જોઈ હશે, ત્યારે આજે વાત પ્લેન દુર્ઘટનાની કરવી છે. બ્રાઝીલમાં પ્લેન ક્રેશ થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે 61 લોકોના મોત થઈ ગયા છે તેવી વાત ત્યાના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી છે. 

આ પ્લેન ક્રેશમાં આટલા લોકોના મોત! 

9 ઓગસ્ટે બ્રાઝિલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. પ્લેન ક્રેશ થયું અને 57 મુસાફરોના મોત થયા છે જ્યારે 4 ક્રૂ મેમ્બરના મોત થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્લેન ક્રેશ સાઓ પાઉલો શહેર પાસે બની.. આ ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે પ્લેન કંટ્રોલ બહાર જતું રહ્યું હોય.. ગોળ ગોળ ફરવા લાગ્યું અને પછી તરત જ નીચે પડી ગયું.. આ દુર્ઘટના કયા કારણોસર બની તે જાણી શકાયું નથી.. 



ઘટના સર્જાયા બાદ રેસ્ક્યુની કામગીરી ચાલી હતી 

મળતી માહિતી અનુસાર જે પ્લેન ક્રેશ થયું છે તે પ્લેન હતું PS-VPB, ATR 72-500 છે. આ પ્લેનની ક્ષમતા કુલ 74 લોકો બેસાડી શકે એવી છે. જોકે અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટના સમયે વિમાનમાં 61 લોકો હતા. મહત્વનું છે કે આ ઘટના બાદ રેસ્ક્યુની કામગીરી ચાલું થઈ ગઈ હતી.          



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .