Brazilમાં બની પ્લેનક્રેશની દુર્ઘટના, આટલા લોકોના થયા મોત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-10 15:24:38

કહેવાય છે કે દુર્ઘટના ગમે ત્યારે ગમે તેની સાથે બની શકે છે. અનેક વખત સામેવાળાની ભૂલને કારણે બીજા લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે. આપણે અનેક ટ્રેન અકસ્માત, રોડ અકસ્માત જોયા છે જેમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. અનેક ટ્રેન દુર્ઘટનાઓ સર્જાતી આપણે જોઈ હશે, ત્યારે આજે વાત પ્લેન દુર્ઘટનાની કરવી છે. બ્રાઝીલમાં પ્લેન ક્રેશ થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે 61 લોકોના મોત થઈ ગયા છે તેવી વાત ત્યાના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી છે. 

આ પ્લેન ક્રેશમાં આટલા લોકોના મોત! 

9 ઓગસ્ટે બ્રાઝિલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. પ્લેન ક્રેશ થયું અને 57 મુસાફરોના મોત થયા છે જ્યારે 4 ક્રૂ મેમ્બરના મોત થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્લેન ક્રેશ સાઓ પાઉલો શહેર પાસે બની.. આ ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે પ્લેન કંટ્રોલ બહાર જતું રહ્યું હોય.. ગોળ ગોળ ફરવા લાગ્યું અને પછી તરત જ નીચે પડી ગયું.. આ દુર્ઘટના કયા કારણોસર બની તે જાણી શકાયું નથી.. 



ઘટના સર્જાયા બાદ રેસ્ક્યુની કામગીરી ચાલી હતી 

મળતી માહિતી અનુસાર જે પ્લેન ક્રેશ થયું છે તે પ્લેન હતું PS-VPB, ATR 72-500 છે. આ પ્લેનની ક્ષમતા કુલ 74 લોકો બેસાડી શકે એવી છે. જોકે અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટના સમયે વિમાનમાં 61 લોકો હતા. મહત્વનું છે કે આ ઘટના બાદ રેસ્ક્યુની કામગીરી ચાલું થઈ ગઈ હતી.          



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.