Brazilમાં બની પ્લેનક્રેશની દુર્ઘટના, આટલા લોકોના થયા મોત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-10 15:24:38

કહેવાય છે કે દુર્ઘટના ગમે ત્યારે ગમે તેની સાથે બની શકે છે. અનેક વખત સામેવાળાની ભૂલને કારણે બીજા લોકોને ભોગવવાનો વારો આવતો હોય છે. આપણે અનેક ટ્રેન અકસ્માત, રોડ અકસ્માત જોયા છે જેમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. અનેક ટ્રેન દુર્ઘટનાઓ સર્જાતી આપણે જોઈ હશે, ત્યારે આજે વાત પ્લેન દુર્ઘટનાની કરવી છે. બ્રાઝીલમાં પ્લેન ક્રેશ થયું છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે 61 લોકોના મોત થઈ ગયા છે તેવી વાત ત્યાના સ્થાનિક મીડિયા દ્વારા કરવામાં આવી છે. 

આ પ્લેન ક્રેશમાં આટલા લોકોના મોત! 

9 ઓગસ્ટે બ્રાઝિલમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.. પ્લેન ક્રેશ થયું અને 57 મુસાફરોના મોત થયા છે જ્યારે 4 ક્રૂ મેમ્બરના મોત થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્લેન ક્રેશ સાઓ પાઉલો શહેર પાસે બની.. આ ઘટનાના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે પ્લેન કંટ્રોલ બહાર જતું રહ્યું હોય.. ગોળ ગોળ ફરવા લાગ્યું અને પછી તરત જ નીચે પડી ગયું.. આ દુર્ઘટના કયા કારણોસર બની તે જાણી શકાયું નથી.. 



ઘટના સર્જાયા બાદ રેસ્ક્યુની કામગીરી ચાલી હતી 

મળતી માહિતી અનુસાર જે પ્લેન ક્રેશ થયું છે તે પ્લેન હતું PS-VPB, ATR 72-500 છે. આ પ્લેનની ક્ષમતા કુલ 74 લોકો બેસાડી શકે એવી છે. જોકે અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દુર્ઘટના સમયે વિમાનમાં 61 લોકો હતા. મહત્વનું છે કે આ ઘટના બાદ રેસ્ક્યુની કામગીરી ચાલું થઈ ગઈ હતી.          



ઓપરેશન સિંદૂર પછી ભારતે પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉઘાડું પાડવા માટે ૭ મલ્ટીપાર્ટી ડેલિગેશન બનાવ્યા છે. આમાંથી એક ડેલિગેશન એટલેકે પ્રતિનિધિ મંડળ રશિયાની રાજધાની મોસ્કો પહોંચ્યું છે. પરંતુ આ પ્રતિનિધિ મંડળને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડ થવામાં મુશ્કેલી પડી હતી. કેમ કે યુક્રેને રશિયાના મોસ્કો એરપોર્ટ પર જોરદાર ડ્રોન હુમલો કર્યો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી .

અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.