કપિલ શર્માની નવી ફિલ્મ Zwigatoનું ટ્રેલર થયું રિલિઝ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 18:19:02

ધી કપિલ શર્મા શોથી બધાના દિલમાં પોતાની જગ્યા બનાવનાર કપિલ શર્મા હવે ફિલ્મી પડદે વધુ એક ફિલ્મમાં જોવા મળવાના છે. કપિલની આવનારી ફિલ્મ ઝવીગાટોનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એક ડિલિવરી બોયના રોલમાં નજરે પડી રહ્યા છે. કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની આવનારી ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું છે.

Zwigato First Look: नंदिता दास न‍िर्देश‍ित कपिल शर्मा की फिल्‍म सीधे पहुंची  TIFF, Video कर रहा है इंप्रैस - kapil sharma unveils poster of new film  zwigato first look plays a man

મધ્યમ વર્ગ પર આધારિત છે કપિલની ફિલ્મ

કપિલ શર્માની આ ફિલ્મ સામાન્ય પરિવારની વાર્તાની વાતથી પ્રેરિત છે. આ ફિલ્મમાં કપિલ બે બાળકોના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એકદમ ગંભીર પાત્ર નિભાવતા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના કામ પ્રત્યે નિષ્ઠા રાખી, 100 ટકા કામ આપવા છતાં તે માત્ર નિરાશાને ભેટે છે. આ ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનું પાત્ર શહાના ગોસ્વામી ભજવી રહ્યા છે. આર્થિક સ્થિતિને મજબૂત ન હોવાને કારણે શહાના ગોસ્વામી ઘરની બહાર કામ કરવા નિકળે છે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.