કપિલ શર્માની નવી ફિલ્મ Zwigatoનું ટ્રેલર થયું રિલિઝ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 18:19:02

ધી કપિલ શર્મા શોથી બધાના દિલમાં પોતાની જગ્યા બનાવનાર કપિલ શર્મા હવે ફિલ્મી પડદે વધુ એક ફિલ્મમાં જોવા મળવાના છે. કપિલની આવનારી ફિલ્મ ઝવીગાટોનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એક ડિલિવરી બોયના રોલમાં નજરે પડી રહ્યા છે. કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની આવનારી ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું છે.

Zwigato First Look: नंदिता दास न‍िर्देश‍ित कपिल शर्मा की फिल्‍म सीधे पहुंची  TIFF, Video कर रहा है इंप्रैस - kapil sharma unveils poster of new film  zwigato first look plays a man

મધ્યમ વર્ગ પર આધારિત છે કપિલની ફિલ્મ

કપિલ શર્માની આ ફિલ્મ સામાન્ય પરિવારની વાર્તાની વાતથી પ્રેરિત છે. આ ફિલ્મમાં કપિલ બે બાળકોના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એકદમ ગંભીર પાત્ર નિભાવતા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના કામ પ્રત્યે નિષ્ઠા રાખી, 100 ટકા કામ આપવા છતાં તે માત્ર નિરાશાને ભેટે છે. આ ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનું પાત્ર શહાના ગોસ્વામી ભજવી રહ્યા છે. આર્થિક સ્થિતિને મજબૂત ન હોવાને કારણે શહાના ગોસ્વામી ઘરની બહાર કામ કરવા નિકળે છે.    



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.