કપિલ શર્માની નવી ફિલ્મ Zwigatoનું ટ્રેલર થયું રિલિઝ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 18:19:02

ધી કપિલ શર્મા શોથી બધાના દિલમાં પોતાની જગ્યા બનાવનાર કપિલ શર્મા હવે ફિલ્મી પડદે વધુ એક ફિલ્મમાં જોવા મળવાના છે. કપિલની આવનારી ફિલ્મ ઝવીગાટોનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એક ડિલિવરી બોયના રોલમાં નજરે પડી રહ્યા છે. કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાની આવનારી ફિલ્મનું ટ્રેલર રિલિઝ કર્યું છે.

Zwigato First Look: नंदिता दास न‍िर्देश‍ित कपिल शर्मा की फिल्‍म सीधे पहुंची  TIFF, Video कर रहा है इंप्रैस - kapil sharma unveils poster of new film  zwigato first look plays a man

મધ્યમ વર્ગ પર આધારિત છે કપિલની ફિલ્મ

કપિલ શર્માની આ ફિલ્મ સામાન્ય પરિવારની વાર્તાની વાતથી પ્રેરિત છે. આ ફિલ્મમાં કપિલ બે બાળકોના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં કપિલ શર્મા એકદમ ગંભીર પાત્ર નિભાવતા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના કામ પ્રત્યે નિષ્ઠા રાખી, 100 ટકા કામ આપવા છતાં તે માત્ર નિરાશાને ભેટે છે. આ ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનું પાત્ર શહાના ગોસ્વામી ભજવી રહ્યા છે. આર્થિક સ્થિતિને મજબૂત ન હોવાને કારણે શહાના ગોસ્વામી ઘરની બહાર કામ કરવા નિકળે છે.    



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.