કપિલ શર્માની આવનારી ફિલ્મ ‘ઝ્વીગાટો’નું ટ્રેલર આ દિવસે રિલીઝ થશે, સોશિયલ મીડિયા પર આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-02-27 17:23:17

કપિલ શર્મા બોલિવુડમાં ફિલ્મ ઝ્વીગાટોથી ફરી એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કોમેડિથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવનાર કપિલ શર્મા લાંબા સમય બાદ મોટા પડદા પર દેખાવાના છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર રિલિઝ કરી ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. 1 માર્ચે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે જ્યારે 17 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની છે.

  

પોસ્ટરમાં જોવા મળી કપિલના કામની ઝલક 

સોશિયલ મીડિયા પર કપિલ શર્માએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. ઝ્વીગાટોને લઈને કપિલ શર્મા ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી હતી જેમાં ફિલ્મ ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. પોતાની ફિલ્મને લઈ કપિલ શર્મા એકસાઈટેડ છે. આ ફિલ્મમાં કપિલ ડિલિવરી બોય માનસની ભૂમિકામાં જોવા મળશે અને નવા પોસ્ટરમાં તેના કામની ઝલક જોવા મળી હતી.      

 

કપિલ શર્માની સાથે જોવા મળશે શહના ગોસ્વામી 

ફિલ્મના સ્ટોરીની વાત કરીએ તો ઝ્વીગાટોની સ્ટોરી ફૂડ ડિલિવરી બોયની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ એક એવા કર્મચારી પર આધારિત છે જે કોવિડ 19 દરમિયાન પોતાની નોકરી ગુમાવી ચૂક્યો છે. કપિલ શર્મા પોતાની આગામી ફિલ્મ સાથે ઓર્ડર સમય પર ડિલિવરી કરવા માટે તૈયાર છે. અભિનેતાએ લોકોને તેની સાથે અભિનેત્રી શહના ગોસ્વામીનો પણ પરિચય કરાવ્યો છે. આ ફિલ્મમાં  શહના ગોસ્વામી કપિલ શર્માની પત્ની તરીકે જોવા મળશે. એપ્લોઝ એન્ટરટેનમેન્ટ હેઠળ બનેલી ફિલ્મ 17 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ નંદિતા દાસ દ્વારા લખવામાં આવી છે અને નિર્દેશિત કરવામાં આવી છે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .