કપિલ શર્માની આવનારી ફિલ્મ ‘ઝ્વીગાટો’નું ટ્રેલર આ દિવસે રિલીઝ થશે, સોશિયલ મીડિયા પર આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-02-27 17:23:17

કપિલ શર્મા બોલિવુડમાં ફિલ્મ ઝ્વીગાટોથી ફરી એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કોમેડિથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવનાર કપિલ શર્મા લાંબા સમય બાદ મોટા પડદા પર દેખાવાના છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર રિલિઝ કરી ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. 1 માર્ચે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે જ્યારે 17 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની છે.

  

પોસ્ટરમાં જોવા મળી કપિલના કામની ઝલક 

સોશિયલ મીડિયા પર કપિલ શર્માએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. ઝ્વીગાટોને લઈને કપિલ શર્મા ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી હતી જેમાં ફિલ્મ ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. પોતાની ફિલ્મને લઈ કપિલ શર્મા એકસાઈટેડ છે. આ ફિલ્મમાં કપિલ ડિલિવરી બોય માનસની ભૂમિકામાં જોવા મળશે અને નવા પોસ્ટરમાં તેના કામની ઝલક જોવા મળી હતી.      

 

કપિલ શર્માની સાથે જોવા મળશે શહના ગોસ્વામી 

ફિલ્મના સ્ટોરીની વાત કરીએ તો ઝ્વીગાટોની સ્ટોરી ફૂડ ડિલિવરી બોયની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ એક એવા કર્મચારી પર આધારિત છે જે કોવિડ 19 દરમિયાન પોતાની નોકરી ગુમાવી ચૂક્યો છે. કપિલ શર્મા પોતાની આગામી ફિલ્મ સાથે ઓર્ડર સમય પર ડિલિવરી કરવા માટે તૈયાર છે. અભિનેતાએ લોકોને તેની સાથે અભિનેત્રી શહના ગોસ્વામીનો પણ પરિચય કરાવ્યો છે. આ ફિલ્મમાં  શહના ગોસ્વામી કપિલ શર્માની પત્ની તરીકે જોવા મળશે. એપ્લોઝ એન્ટરટેનમેન્ટ હેઠળ બનેલી ફિલ્મ 17 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ નંદિતા દાસ દ્વારા લખવામાં આવી છે અને નિર્દેશિત કરવામાં આવી છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.