કપિલ શર્માની આવનારી ફિલ્મ ‘ઝ્વીગાટો’નું ટ્રેલર આ દિવસે રિલીઝ થશે, સોશિયલ મીડિયા પર આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-02-27 17:23:17

કપિલ શર્મા બોલિવુડમાં ફિલ્મ ઝ્વીગાટોથી ફરી એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. કોમેડિથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવનાર કપિલ શર્મા લાંબા સમય બાદ મોટા પડદા પર દેખાવાના છે. સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર રિલિઝ કરી ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. 1 માર્ચે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું છે જ્યારે 17 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થવાની છે.

  

પોસ્ટરમાં જોવા મળી કપિલના કામની ઝલક 

સોશિયલ મીડિયા પર કપિલ શર્માએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. ઝ્વીગાટોને લઈને કપિલ શર્મા ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી હતી જેમાં ફિલ્મ ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. પોતાની ફિલ્મને લઈ કપિલ શર્મા એકસાઈટેડ છે. આ ફિલ્મમાં કપિલ ડિલિવરી બોય માનસની ભૂમિકામાં જોવા મળશે અને નવા પોસ્ટરમાં તેના કામની ઝલક જોવા મળી હતી.      

 

કપિલ શર્માની સાથે જોવા મળશે શહના ગોસ્વામી 

ફિલ્મના સ્ટોરીની વાત કરીએ તો ઝ્વીગાટોની સ્ટોરી ફૂડ ડિલિવરી બોયની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ એક એવા કર્મચારી પર આધારિત છે જે કોવિડ 19 દરમિયાન પોતાની નોકરી ગુમાવી ચૂક્યો છે. કપિલ શર્મા પોતાની આગામી ફિલ્મ સાથે ઓર્ડર સમય પર ડિલિવરી કરવા માટે તૈયાર છે. અભિનેતાએ લોકોને તેની સાથે અભિનેત્રી શહના ગોસ્વામીનો પણ પરિચય કરાવ્યો છે. આ ફિલ્મમાં  શહના ગોસ્વામી કપિલ શર્માની પત્ની તરીકે જોવા મળશે. એપ્લોઝ એન્ટરટેનમેન્ટ હેઠળ બનેલી ફિલ્મ 17 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ નંદિતા દાસ દ્વારા લખવામાં આવી છે અને નિર્દેશિત કરવામાં આવી છે. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી