આ તારીખે રિલીઝ થશે શાહરૂખ ખાનની ફિલ્મ ;જવાન'નું ટ્રેલર, કિંગ ખાનનું નામ સાંભળતા જ ફેન્સમાં વધી ઉત્સુક્તા


  • Published By :
  • Published Date : 2023-07-08 18:07:55

થોડા સમય પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવી હતી, જેણે બોક્સ ઓફિસ પર તેમજ દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી લીધું હતું. ત્યારે  કિંગ ખાનના ફેન્સ તેમની આવી રહેલી ફિલ્મ જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને લઈ વધારે માહિતી શેર કરવામાં નથી આવી, પરંતુ આજે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મના ટ્રેલરને લઈ હિંટ આપવામાં આવી છે. જવાન ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે તેવી જાહેરાત કરાઈ છે. જેને લઈ કિંગ ખાનના ફેન્સની ખુશીનો પારો ન રહ્યો હતો. એક્સાઈટમેન્ટ વધી ગયું છે.

 


આવી રહી છે કિંગ ખાનની ફિલ્મ!

શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ગજબની છે. લાખો લોકોના દિલ પર શાહરૂખ ખાન રાજ કરે છે. કિંગ ખાનના અનેક એવા ફેન્સ હશે જે તેમની એક પણ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં હોય. ત્ચારે થોડા સમય પહેલા રિલીઝ થયેલી પઠાણ ફિલ્મે તો શાહરૂખ ખાનના ફેન્સ પર જાદુ ચલાવી દીધો હતો. ફિલ્મ બ્લોકબ્લ્સટ હતી. એક અઠવાડિયાની અંદર ફિલ્મે કરોડોની કમાણી કરી હતી. ત્યારે ફરી એક વખત કિંગ ખાન પોતાની ફિલ્મને લઈ બોક્સ ઓફિસ પર આવી રહ્યા છે. 


ટ્રેલરને લઈ કિંગ ખાનના ફેન્સમાં વધી ઉત્સુક્તા

ટૂંક સમયમાં કિંગ ખાનની ફિલ્મ જવાન આવવાની છે. જવાન ફિલ્મનું મોશન પોસ્ટર રેડચિલી દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેકર કરવામાં આવ્યું છે જેમાં એક વોકી ટોકી પર જવાન લખવામાં આવ્યું છે, અને અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે કમિંગ સૂન. મોશન પોસ્ટર શેર કરતા લખ્યું છે કે સ્ટે ટ્યુંડ, જવાન ટ્રેલર. મોશન પોસ્ટર રિલીઝ થતાં જ ટ્વિટર પર ફિલ્મ ટ્રેન્ડ થઈ હતી. ફિલ્મને લઈ ફેન્સમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  


       

આ કલાકારો જોવા મળશે મુખ્ય ભૂમિકામાં 

જવાન ફિલ્મ વિશે વાત કરીએ તો શાહરૂખ ખાન આ ફિલ્મમાં ડબલ રોલ કરતા દેખાવવાના છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.