આ તારીખે રિલીઝ થશે શાહરૂખ ખાનની ફિલ્મ ;જવાન'નું ટ્રેલર, કિંગ ખાનનું નામ સાંભળતા જ ફેન્સમાં વધી ઉત્સુક્તા


  • Published By :
  • Published Date : 2023-07-08 18:07:55

થોડા સમય પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવી હતી, જેણે બોક્સ ઓફિસ પર તેમજ દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી લીધું હતું. ત્યારે  કિંગ ખાનના ફેન્સ તેમની આવી રહેલી ફિલ્મ જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને લઈ વધારે માહિતી શેર કરવામાં નથી આવી, પરંતુ આજે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મના ટ્રેલરને લઈ હિંટ આપવામાં આવી છે. જવાન ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે તેવી જાહેરાત કરાઈ છે. જેને લઈ કિંગ ખાનના ફેન્સની ખુશીનો પારો ન રહ્યો હતો. એક્સાઈટમેન્ટ વધી ગયું છે.

 


આવી રહી છે કિંગ ખાનની ફિલ્મ!

શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ગજબની છે. લાખો લોકોના દિલ પર શાહરૂખ ખાન રાજ કરે છે. કિંગ ખાનના અનેક એવા ફેન્સ હશે જે તેમની એક પણ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં હોય. ત્ચારે થોડા સમય પહેલા રિલીઝ થયેલી પઠાણ ફિલ્મે તો શાહરૂખ ખાનના ફેન્સ પર જાદુ ચલાવી દીધો હતો. ફિલ્મ બ્લોકબ્લ્સટ હતી. એક અઠવાડિયાની અંદર ફિલ્મે કરોડોની કમાણી કરી હતી. ત્યારે ફરી એક વખત કિંગ ખાન પોતાની ફિલ્મને લઈ બોક્સ ઓફિસ પર આવી રહ્યા છે. 


ટ્રેલરને લઈ કિંગ ખાનના ફેન્સમાં વધી ઉત્સુક્તા

ટૂંક સમયમાં કિંગ ખાનની ફિલ્મ જવાન આવવાની છે. જવાન ફિલ્મનું મોશન પોસ્ટર રેડચિલી દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેકર કરવામાં આવ્યું છે જેમાં એક વોકી ટોકી પર જવાન લખવામાં આવ્યું છે, અને અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે કમિંગ સૂન. મોશન પોસ્ટર શેર કરતા લખ્યું છે કે સ્ટે ટ્યુંડ, જવાન ટ્રેલર. મોશન પોસ્ટર રિલીઝ થતાં જ ટ્વિટર પર ફિલ્મ ટ્રેન્ડ થઈ હતી. ફિલ્મને લઈ ફેન્સમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  


       

આ કલાકારો જોવા મળશે મુખ્ય ભૂમિકામાં 

જવાન ફિલ્મ વિશે વાત કરીએ તો શાહરૂખ ખાન આ ફિલ્મમાં ડબલ રોલ કરતા દેખાવવાના છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.  



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.