આ તારીખે રિલીઝ થશે શાહરૂખ ખાનની ફિલ્મ ;જવાન'નું ટ્રેલર, કિંગ ખાનનું નામ સાંભળતા જ ફેન્સમાં વધી ઉત્સુક્તા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-08 18:07:55

થોડા સમય પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવી હતી, જેણે બોક્સ ઓફિસ પર તેમજ દર્શકોના દિલમાં વિશેષ સ્થાન બનાવી લીધું હતું. ત્યારે  કિંગ ખાનના ફેન્સ તેમની આવી રહેલી ફિલ્મ જવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને લઈ વધારે માહિતી શેર કરવામાં નથી આવી, પરંતુ આજે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મના ટ્રેલરને લઈ હિંટ આપવામાં આવી છે. જવાન ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે તેવી જાહેરાત કરાઈ છે. જેને લઈ કિંગ ખાનના ફેન્સની ખુશીનો પારો ન રહ્યો હતો. એક્સાઈટમેન્ટ વધી ગયું છે.

 


આવી રહી છે કિંગ ખાનની ફિલ્મ!

શાહરૂખ ખાનની ફેન ફોલોઈંગ ગજબની છે. લાખો લોકોના દિલ પર શાહરૂખ ખાન રાજ કરે છે. કિંગ ખાનના અનેક એવા ફેન્સ હશે જે તેમની એક પણ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં હોય. ત્ચારે થોડા સમય પહેલા રિલીઝ થયેલી પઠાણ ફિલ્મે તો શાહરૂખ ખાનના ફેન્સ પર જાદુ ચલાવી દીધો હતો. ફિલ્મ બ્લોકબ્લ્સટ હતી. એક અઠવાડિયાની અંદર ફિલ્મે કરોડોની કમાણી કરી હતી. ત્યારે ફરી એક વખત કિંગ ખાન પોતાની ફિલ્મને લઈ બોક્સ ઓફિસ પર આવી રહ્યા છે. 


ટ્રેલરને લઈ કિંગ ખાનના ફેન્સમાં વધી ઉત્સુક્તા

ટૂંક સમયમાં કિંગ ખાનની ફિલ્મ જવાન આવવાની છે. જવાન ફિલ્મનું મોશન પોસ્ટર રેડચિલી દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર શેકર કરવામાં આવ્યું છે જેમાં એક વોકી ટોકી પર જવાન લખવામાં આવ્યું છે, અને અનાઉન્સમેન્ટ કરવામાં આવી રહી છે કમિંગ સૂન. મોશન પોસ્ટર શેર કરતા લખ્યું છે કે સ્ટે ટ્યુંડ, જવાન ટ્રેલર. મોશન પોસ્ટર રિલીઝ થતાં જ ટ્વિટર પર ફિલ્મ ટ્રેન્ડ થઈ હતી. ફિલ્મને લઈ ફેન્સમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  


       

આ કલાકારો જોવા મળશે મુખ્ય ભૂમિકામાં 

જવાન ફિલ્મ વિશે વાત કરીએ તો શાહરૂખ ખાન આ ફિલ્મમાં ડબલ રોલ કરતા દેખાવવાના છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા, વિજય સેતુપતિ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.  



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.