કેન્દ્રીય મંત્રીએ જવાહરલાલ નહેરૂ અને ગાંધીજીના પુત્ર વિશે કરી ટિપ્પણી, નશો કરતા હોવાનો કર્યો ઉલ્લેખ


  • Published By :
  • Published Date : 2022-12-15 09:58:37

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તેમજ મહાત્મા ગાંધી પર અનેક વખત શાબ્દિક પ્રહાર થતા રહે છે. કોઈને કોઈ નેતાનો વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હમેશાં નશાબંધી તેમજ દારૂબંધીની વાતો કરનાર કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા. તેમજ મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો.

  

જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા - કૌશલ કિશોર

દેશમાં નશાને કારણે અનેક લોકોના મોત થાય છે. યુવા પેઢી નશાની લતમાં જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકો નશાથી દૂર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના ભરતપૂરમાં આયોજીત નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું. કૌશલ કિશોર હંમેશા નશા બંધીની વાતો કરતા નજરે પડે છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે જવાહરલા નહેરૂ નશો કરતા હતા, સિગરેટ પીતા હતા. અને મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો, જો આપ વાંચશો તો ખબર પડશે. નશાની દુનિયાએ સમગ્રપણે આપણા દેશ પર કબ્જો કરી લીધો છે. જે રીતે ઝેરની દુકાન નથી હોતી તે રીતે નશાની પણ દુકાન ન હોવી જોઈએ. 


નશાથી થતા નુકસાનથી લોકોને જાગૃત કરવા જરૂરી 

અનેક લોકો નશાની લતમાં ફસાઈ જતા હોય છે. કોઈ સિગારેટની લતમાં તો કોઈ દારૂનો નશો કરે છે. નશાને કારણે યુવાપેઢી બરબાદ થતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. નશાને કારણે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે નશાને કારણે કોઈનો પરિવાર વિખેરાઈ ન જાય તે માટે આ દિશામાં પગલું લેવું જોઈએ.    




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.