કેન્દ્રીય મંત્રીએ જવાહરલાલ નહેરૂ અને ગાંધીજીના પુત્ર વિશે કરી ટિપ્પણી, નશો કરતા હોવાનો કર્યો ઉલ્લેખ


  • Published By :
  • Published Date : 2022-12-15 09:58:37

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તેમજ મહાત્મા ગાંધી પર અનેક વખત શાબ્દિક પ્રહાર થતા રહે છે. કોઈને કોઈ નેતાનો વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હમેશાં નશાબંધી તેમજ દારૂબંધીની વાતો કરનાર કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા. તેમજ મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો.

  

જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા - કૌશલ કિશોર

દેશમાં નશાને કારણે અનેક લોકોના મોત થાય છે. યુવા પેઢી નશાની લતમાં જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકો નશાથી દૂર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના ભરતપૂરમાં આયોજીત નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું. કૌશલ કિશોર હંમેશા નશા બંધીની વાતો કરતા નજરે પડે છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે જવાહરલા નહેરૂ નશો કરતા હતા, સિગરેટ પીતા હતા. અને મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો, જો આપ વાંચશો તો ખબર પડશે. નશાની દુનિયાએ સમગ્રપણે આપણા દેશ પર કબ્જો કરી લીધો છે. જે રીતે ઝેરની દુકાન નથી હોતી તે રીતે નશાની પણ દુકાન ન હોવી જોઈએ. 


નશાથી થતા નુકસાનથી લોકોને જાગૃત કરવા જરૂરી 

અનેક લોકો નશાની લતમાં ફસાઈ જતા હોય છે. કોઈ સિગારેટની લતમાં તો કોઈ દારૂનો નશો કરે છે. નશાને કારણે યુવાપેઢી બરબાદ થતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. નશાને કારણે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે નશાને કારણે કોઈનો પરિવાર વિખેરાઈ ન જાય તે માટે આ દિશામાં પગલું લેવું જોઈએ.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.