કેન્દ્રીય મંત્રીએ જવાહરલાલ નહેરૂ અને ગાંધીજીના પુત્ર વિશે કરી ટિપ્પણી, નશો કરતા હોવાનો કર્યો ઉલ્લેખ


  • Published By :
  • Published Date : 2022-12-15 09:58:37

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તેમજ મહાત્મા ગાંધી પર અનેક વખત શાબ્દિક પ્રહાર થતા રહે છે. કોઈને કોઈ નેતાનો વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હમેશાં નશાબંધી તેમજ દારૂબંધીની વાતો કરનાર કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા. તેમજ મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો.

  

જવાહરલાલ નહેરૂ નશો કરતા હતા - કૌશલ કિશોર

દેશમાં નશાને કારણે અનેક લોકોના મોત થાય છે. યુવા પેઢી નશાની લતમાં જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લોકો નશાથી દૂર રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના ભરતપૂરમાં આયોજીત નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું. કૌશલ કિશોર હંમેશા નશા બંધીની વાતો કરતા નજરે પડે છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે જવાહરલા નહેરૂ નશો કરતા હતા, સિગરેટ પીતા હતા. અને મહાત્મા ગાંધીનો એક પુત્ર પણ નશો કરતો હતો, જો આપ વાંચશો તો ખબર પડશે. નશાની દુનિયાએ સમગ્રપણે આપણા દેશ પર કબ્જો કરી લીધો છે. જે રીતે ઝેરની દુકાન નથી હોતી તે રીતે નશાની પણ દુકાન ન હોવી જોઈએ. 


નશાથી થતા નુકસાનથી લોકોને જાગૃત કરવા જરૂરી 

અનેક લોકો નશાની લતમાં ફસાઈ જતા હોય છે. કોઈ સિગારેટની લતમાં તો કોઈ દારૂનો નશો કરે છે. નશાને કારણે યુવાપેઢી બરબાદ થતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. નશાને કારણે અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે નશાને કારણે કોઈનો પરિવાર વિખેરાઈ ન જાય તે માટે આ દિશામાં પગલું લેવું જોઈએ.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે