નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમના બહિષ્કારમાં જોવા મળી વિપક્ષની એકતા! જાણો કઈ રાજકીય પાર્ટીઓ કાર્યક્રમમાં નહીં થાય સામેલ?


  • Published By :
  • Published Date : 2023-05-24 16:23:07

28 મેના રોજ નવા સંસદભવનનું ઉદ્ધાટન થવાનું છે. ઉદ્ધાટનને લઈ દેશના તમામ સાંસદો અને અગ્રાણી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કુલ 19 જેટલી પાર્ટીઓએ આ કાર્યક્રમથી અળગા રહેવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકે સહિત અનેક પાર્ટીઓનો સમાવેશ થાય છે.

 

સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવા કોંગ્રેસની માગ!    

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા લોકસભા અને રાજ્યસભાના તમામ પૂર્વ સ્પીકર અને અધ્યક્ષોને, રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમજ બંને ગૃહના સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તેની જાણકારી આપવામાં આવી નથી. મહત્વનું છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ માગ કરી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવામાં આવે.

આ પાર્ટીઓએ કરી છે કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત!     

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકેએ આ કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી છે. સંજય રાઉતે કહ્યું કે અમારી સંસદ ઐતિહાસિક છે. તે હજી સો વર્ષ સુધી ચાલી શકે છે. તેને બનાવવામાં આરએસએસ અને ભાજપનો કોઈ હાથ નથી. નવું ભવન બનાવી શિલા લગાવવામાં આવશે કે આનું ઉદ્ધાટન પીએમ મોદીએ કર્યું છે. તેના માટે ખર્ચો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.