નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમના બહિષ્કારમાં જોવા મળી વિપક્ષની એકતા! જાણો કઈ રાજકીય પાર્ટીઓ કાર્યક્રમમાં નહીં થાય સામેલ?


  • Published By :
  • Published Date : 2023-05-24 16:23:07

28 મેના રોજ નવા સંસદભવનનું ઉદ્ધાટન થવાનું છે. ઉદ્ધાટનને લઈ દેશના તમામ સાંસદો અને અગ્રાણી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કુલ 19 જેટલી પાર્ટીઓએ આ કાર્યક્રમથી અળગા રહેવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકે સહિત અનેક પાર્ટીઓનો સમાવેશ થાય છે.

 

સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવા કોંગ્રેસની માગ!    

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા લોકસભા અને રાજ્યસભાના તમામ પૂર્વ સ્પીકર અને અધ્યક્ષોને, રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમજ બંને ગૃહના સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તેની જાણકારી આપવામાં આવી નથી. મહત્વનું છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ માગ કરી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવામાં આવે.

આ પાર્ટીઓએ કરી છે કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત!     

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકેએ આ કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી છે. સંજય રાઉતે કહ્યું કે અમારી સંસદ ઐતિહાસિક છે. તે હજી સો વર્ષ સુધી ચાલી શકે છે. તેને બનાવવામાં આરએસએસ અને ભાજપનો કોઈ હાથ નથી. નવું ભવન બનાવી શિલા લગાવવામાં આવશે કે આનું ઉદ્ધાટન પીએમ મોદીએ કર્યું છે. તેના માટે ખર્ચો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.