નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમના બહિષ્કારમાં જોવા મળી વિપક્ષની એકતા! જાણો કઈ રાજકીય પાર્ટીઓ કાર્યક્રમમાં નહીં થાય સામેલ?


  • Published By :
  • Published Date : 2023-05-24 16:23:07

28 મેના રોજ નવા સંસદભવનનું ઉદ્ધાટન થવાનું છે. ઉદ્ધાટનને લઈ દેશના તમામ સાંસદો અને અગ્રાણી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. કુલ 19 જેટલી પાર્ટીઓએ આ કાર્યક્રમથી અળગા રહેવાની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકે સહિત અનેક પાર્ટીઓનો સમાવેશ થાય છે.

 

સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવા કોંગ્રેસની માગ!    

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થવાનું છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા લોકસભા અને રાજ્યસભાના તમામ પૂર્વ સ્પીકર અને અધ્યક્ષોને, રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમજ બંને ગૃહના સાંસદોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી આ કાર્યક્રમમાં હાજર રહેશે કે નહીં તેની જાણકારી આપવામાં આવી નથી. મહત્વનું છે કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ માગ કરી કે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરાવવામાં આવે.

આ પાર્ટીઓએ કરી છે કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત!     

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી, મમતા બેનર્જીની ટીએમસી, લાલુ પ્રસાદ યાદવની આરજેડી, એનસીપી, ડીએમકે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, સીપીઆઈ, સીપીઆઈ(એમ) અને વીસીકેએ આ કાર્યક્રમમાં હાજર ન રહેવાની જાહેરાત કરી છે. સંજય રાઉતે કહ્યું કે અમારી સંસદ ઐતિહાસિક છે. તે હજી સો વર્ષ સુધી ચાલી શકે છે. તેને બનાવવામાં આરએસએસ અને ભાજપનો કોઈ હાથ નથી. નવું ભવન બનાવી શિલા લગાવવામાં આવશે કે આનું ઉદ્ધાટન પીએમ મોદીએ કર્યું છે. તેના માટે ખર્ચો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.