UNSCએ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-17 10:13:09

સંયુક્ત રાષ્ટ્ર પરિષદે સોમવારે એક જાહેરાત કરી છે. જે મુજબ પાકિસ્તાનના અબ્દુલ રહમાન મક્કીને આંતરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો છે. ભારતે ગયા વર્ષે લશ્કર-એ-તૈયબાના નેતાને વૈશ્વિક સ્તરે આતંકવાદી તરીકે ઘોષિત કરવાની માગ કરી હતી પરંતુ ચીનની દખલઅંદાજીને કારણે આ ઘોષણા કરવામાં આવી ન હતી. પરંતુ સોમવારે આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી.


અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક સ્તરોનો આતંકવાદી જાહેર   

વિશ્વના અનેક દેશોમાં આતંકવાદી હુમલાને કારણે અનેક લોકોના મોત થયા છે. સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના નેતા અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક સ્તરે આતંકવાદ ઘોષિત કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી 2023ના રોજ આઈએસઆઈએલ, અલ-કાયદા, અને તેનાથી સંબંધિત વ્યક્તિઓ, જૂથો, અને સંસ્થાઓ પર સુરક્ષા પરિષદ સમિતિએ ઠરાવો 1267 (1999), 1989(2011) અને 2253(2015)એ તે મુજબ મંજૂર કર્યા હતા. સુરક્ષા પરિષદ ઠરાવ 2610(2021)ના ફકરામાં નિર્ધારિત અને અપનાવવામાં આવેલી નીકિમાં સંપત્તિ ફ્રીઝ, મુસાફરી પ્રતિબંધો અને શસ્ત્ર પ્રતિબંધોનો સમાવેશ થાય છે. 


ભારતે પહેલેથી જ આતંકવાદી જાહેર કર્યો હતો 

ઘણા સમય પહેલા જ ભારત અને પાકિસ્તાન પોતાના સ્થાનિક કાયદા હેઠળ મક્કીને આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તેમને વૈશ્વિક આતંકવાદ જાહેર કરી દીધા છે. 26-11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો સાળો છે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.