UNSCએ અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-17 10:13:09

સંયુક્ત રાષ્ટ્ર પરિષદે સોમવારે એક જાહેરાત કરી છે. જે મુજબ પાકિસ્તાનના અબ્દુલ રહમાન મક્કીને આંતરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો છે. ભારતે ગયા વર્ષે લશ્કર-એ-તૈયબાના નેતાને વૈશ્વિક સ્તરે આતંકવાદી તરીકે ઘોષિત કરવાની માગ કરી હતી પરંતુ ચીનની દખલઅંદાજીને કારણે આ ઘોષણા કરવામાં આવી ન હતી. પરંતુ સોમવારે આ અંગેની ઘોષણા કરવામાં આવી હતી.


અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક સ્તરોનો આતંકવાદી જાહેર   

વિશ્વના અનેક દેશોમાં આતંકવાદી હુમલાને કારણે અનેક લોકોના મોત થયા છે. સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્ર પરિષદે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના નેતા અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક સ્તરે આતંકવાદ ઘોષિત કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 15 જાન્યુઆરી 2023ના રોજ આઈએસઆઈએલ, અલ-કાયદા, અને તેનાથી સંબંધિત વ્યક્તિઓ, જૂથો, અને સંસ્થાઓ પર સુરક્ષા પરિષદ સમિતિએ ઠરાવો 1267 (1999), 1989(2011) અને 2253(2015)એ તે મુજબ મંજૂર કર્યા હતા. સુરક્ષા પરિષદ ઠરાવ 2610(2021)ના ફકરામાં નિર્ધારિત અને અપનાવવામાં આવેલી નીકિમાં સંપત્તિ ફ્રીઝ, મુસાફરી પ્રતિબંધો અને શસ્ત્ર પ્રતિબંધોનો સમાવેશ થાય છે. 


ભારતે પહેલેથી જ આતંકવાદી જાહેર કર્યો હતો 

ઘણા સમય પહેલા જ ભારત અને પાકિસ્તાન પોતાના સ્થાનિક કાયદા હેઠળ મક્કીને આતંકવાદી જાહેર કરી ચૂક્યા છે. પરંતુ હવે સંયુક્ત રાષ્ટ્ર પરિષદે તેમને વૈશ્વિક આતંકવાદ જાહેર કરી દીધા છે. 26-11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો સાળો છે.      



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .