કેરળમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન આવી વિવાદમાં! વંદે ભારત પર કોંગ્રેસ સાંસદનો ફોટો દેખાતા સર્જાયો વિવાદ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-04-26 09:55:45

મંગળવારે એટલે કે ગઈકાલે વડાપ્રધાન મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનને શરૂ થયે હજી અમુક કલાકો થયા છે. પરંતુ વંદે ભારત ટ્રેન વિવાદમાં આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રેન જ્યારે શોરાનૂર જંક્શન પહોંચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેન પર કોંગ્રેસના સાંસદ વી.કે શ્રીકંદનના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અને આ જ પોસ્ટર વિવાદનું કારણ પણ બન્યા. ભાજપ દ્વારા આ વાતનો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પોસ્ટર લગાવવા વાળા પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.  

मीडिया रिपोर्ट्स के मुताबिक, शोरानूर जंक्शन पर वंदे भारत के स्वागत के लिए कांग्रेस कार्यकर्ता मौजूद थे।

કોંગ્રેસના કાર્યકર્તાઓએ લગાવ્યા કોંગ્રેસ સાંસદના પોસ્ટર 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કેરળમાં પણ વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. ત્યારે કેરળમાં શરૂ થયેલી ટ્રેન તિરૂવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે દોડશે. આ દેશની 15મી વંદેભારત ટ્રેન છે. ત્યારે કેરળની વંદે ભારત વિવાદમાં આવી છે. મળતી માહિતી અનુસાર ટ્રેન જ્યારે શોરાનુર પહોંચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેન પર કોંગ્રેસના સાંસદ વીકે શ્રીકંદનના પોસ્ટર લગાવી દીધા હતા.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

     

આ ઘટના પર સાંસદે આપી પ્રતિક્રિયા!

આ ઘટના સામે આવતા ભાજપ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ ઘટનાની નિંદા કરી છે. એવો આરોપ પણ લગાવ્યો હતો કે આ હરકત સાંસદના સમર્થકોની છે અને કાર્યકર્તા આવી રીતે ગંદા વ્યવહાર કેવી રીતે કરી શકે છે. આ મામલે કોંગ્રેસે પોતાનો પક્ષ રાખ્યો છે. તેમણે કહ્યું કે ટ્રેન પર પોસ્ટર લગાવવા માટે કહેવામાં આવ્યું ન હતું. શ્રીકંદને પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમની જાણકારી વિના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ દ્વારા જાણીજોઈને વિવાદ ઉભો કરવામાં આવે છે.    



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.