કેરળમાં શરૂ થયેલી વંદે ભારત ટ્રેન આવી વિવાદમાં! વંદે ભારત પર કોંગ્રેસ સાંસદનો ફોટો દેખાતા સર્જાયો વિવાદ! જૂઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-04-26 09:55:45

મંગળવારે એટલે કે ગઈકાલે વડાપ્રધાન મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનને શરૂ થયે હજી અમુક કલાકો થયા છે. પરંતુ વંદે ભારત ટ્રેન વિવાદમાં આવી ગઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રેન જ્યારે શોરાનૂર જંક્શન પહોંચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેન પર કોંગ્રેસના સાંસદ વી.કે શ્રીકંદનના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અને આ જ પોસ્ટર વિવાદનું કારણ પણ બન્યા. ભાજપ દ્વારા આ વાતનો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પોસ્ટર લગાવવા વાળા પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.  

मीडिया रिपोर्ट्स के मुताबिक, शोरानूर जंक्शन पर वंदे भारत के स्वागत के लिए कांग्रेस कार्यकर्ता मौजूद थे।

કોંગ્રેસના કાર્યકર્તાઓએ લગાવ્યા કોંગ્રેસ સાંસદના પોસ્ટર 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે કેરળમાં પણ વંદે ભારત ટ્રેનને પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. ત્યારે કેરળમાં શરૂ થયેલી ટ્રેન તિરૂવનંતપુરમ અને કાસરગોડ વચ્ચે દોડશે. આ દેશની 15મી વંદેભારત ટ્રેન છે. ત્યારે કેરળની વંદે ભારત વિવાદમાં આવી છે. મળતી માહિતી અનુસાર ટ્રેન જ્યારે શોરાનુર પહોંચી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેન પર કોંગ્રેસના સાંસદ વીકે શ્રીકંદનના પોસ્ટર લગાવી દીધા હતા.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

     

આ ઘટના પર સાંસદે આપી પ્રતિક્રિયા!

આ ઘટના સામે આવતા ભાજપ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ ઘટનાની નિંદા કરી છે. એવો આરોપ પણ લગાવ્યો હતો કે આ હરકત સાંસદના સમર્થકોની છે અને કાર્યકર્તા આવી રીતે ગંદા વ્યવહાર કેવી રીતે કરી શકે છે. આ મામલે કોંગ્રેસે પોતાનો પક્ષ રાખ્યો છે. તેમણે કહ્યું કે ટ્રેન પર પોસ્ટર લગાવવા માટે કહેવામાં આવ્યું ન હતું. શ્રીકંદને પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમની જાણકારી વિના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ દ્વારા જાણીજોઈને વિવાદ ઉભો કરવામાં આવે છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.