Vice Presidentના આ નિવેદન પર છેડાયો વિવાદ, Gandhiji સાથે કરી PM Modiની તુલના, Sanjay Rautએ કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-28 14:38:12

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના એક નિવેદનને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિએ કથિત રીતે મહાત્મા ગાંધી તેમજ નરેન્દ્ર મોદીની તુલના કરી હતી. નિવેદન આપતા ધનખરે કહ્યું કે હું તમને કહેવા માગું છું કે છેલ્લી સદીના મહાપુરૂષ મહાત્મા ગાંધી હતા જ્યારે આ સદીના યુગપુરૂષ નરેન્દ્ર મોદી છે! આ નિવેદન સામે આવ્યા બાદ રાજકીય પાર્ટીઓ આક્રામક દેખાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિના નિવેદનની ટિકા થઈ રહી છે. 

ઉપરાષ્ટ્રપતિ ધનખડે પીએમ મોદીને કહ્યા યુગપુરૂષ  

સોમવારે મહારાષ્ટ્રના મુંબઈમાં ઓપેરા હાઉસ ખાતે એક ક્રાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે એક નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અને અહિંસા દ્વારા આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. પોતાના નિવેદનમાં ધનખડેએ કહ્યું કે હું તમને કહેવા માગું છું કે છેલ્લી સદીના મહાપુરૂષ મહાત્મા ગાંધી હતા જ્યારે આ સદીના યુગપુરૂષ નરેન્દ્ર મોદી છે! ભારતના ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો ક્લીપ શેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાથી આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ અમને પ્રગતિના પંથે આગળ લઈ ગયા, જે અમે હંમેશા જોવા માંગતા હતા. મહત્વનું છે કે આ નિવેદન આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે અને તેમની ટીકાઓ થઈ રહી છે. 

સંજય રાઉતે આ પ્રતિક્રિયા આપતા કહ્યું કે...

આ નિવેદન સામે આવ્યા બાદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. સંજય રાઉતે કહ્યું કે "2024 પછી, તમારા શબ્દોને વળગી રહો. અમે નક્કી નથી કરતા કે કોણ 'પુરુષ', 'મહાપુરુષ' કે 'યુગપુરુષ', ઇતિહાસ, સદીઓ અને સમગ્ર વિશ્વના લોકો તે નક્કી કરે છે. મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વ દ્વારા આદરણીય હતા. જો સરકારમાં બેઠેલા લોકો પણ 'પુરુષ' હોત તો જમ્મુ-કાશ્મીરમાં દરરોજ આપણા જવાનો મૃત્યુ પામ્યા ન હોત, ચીન લદ્દાખમાં ઘૂસ્યું ન હોત..."


અલગ અલગ નેતાઓએ આ મામલે આપી પ્રતિક્રિયા

તે ઉપરાંત કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે પણ આ નિવેદનની ટીકા કરી છે.  તેમણે કહ્યું કે સાહેબ, જો તમે મહાત્મા ગાંધી સાથે સરખામણી કરો છો તો તે શરમજનક છે. તે ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘છેલ્લી સદીના મહાન માણસ મહાત્મા ગાંધી હતા, આ સદીના મહાન માણસ નરેન્દ્ર મોદી છે! હું ઉપરાષ્ટ્રપતિને પૂછવા માંગુ છું કે વડાપ્રધાનના પક્ષના સાંસદને ચોક્કસ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને સંસદમાં કયા નવા યુગની શરૂઆત થઈ છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.