Vice Presidentના આ નિવેદન પર છેડાયો વિવાદ, Gandhiji સાથે કરી PM Modiની તુલના, Sanjay Rautએ કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-11-28 14:38:12

દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના એક નિવેદનને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. એક કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિએ કથિત રીતે મહાત્મા ગાંધી તેમજ નરેન્દ્ર મોદીની તુલના કરી હતી. નિવેદન આપતા ધનખરે કહ્યું કે હું તમને કહેવા માગું છું કે છેલ્લી સદીના મહાપુરૂષ મહાત્મા ગાંધી હતા જ્યારે આ સદીના યુગપુરૂષ નરેન્દ્ર મોદી છે! આ નિવેદન સામે આવ્યા બાદ રાજકીય પાર્ટીઓ આક્રામક દેખાઈ રહી છે. ઉપરાષ્ટ્રપતિના નિવેદનની ટિકા થઈ રહી છે. 

ઉપરાષ્ટ્રપતિ ધનખડે પીએમ મોદીને કહ્યા યુગપુરૂષ  

સોમવારે મહારાષ્ટ્રના મુંબઈમાં ઓપેરા હાઉસ ખાતે એક ક્રાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ ધનખડે એક નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ અને અહિંસા દ્વારા આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. પોતાના નિવેદનમાં ધનખડેએ કહ્યું કે હું તમને કહેવા માગું છું કે છેલ્લી સદીના મહાપુરૂષ મહાત્મા ગાંધી હતા જ્યારે આ સદીના યુગપુરૂષ નરેન્દ્ર મોદી છે! ભારતના ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો ક્લીપ શેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાથી આપણને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ અમને પ્રગતિના પંથે આગળ લઈ ગયા, જે અમે હંમેશા જોવા માંગતા હતા. મહત્વનું છે કે આ નિવેદન આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે અને તેમની ટીકાઓ થઈ રહી છે. 

સંજય રાઉતે આ પ્રતિક્રિયા આપતા કહ્યું કે...

આ નિવેદન સામે આવ્યા બાદ સંજય રાઉતની પ્રતિક્રિયા સામે આવી છે. સંજય રાઉતે કહ્યું કે "2024 પછી, તમારા શબ્દોને વળગી રહો. અમે નક્કી નથી કરતા કે કોણ 'પુરુષ', 'મહાપુરુષ' કે 'યુગપુરુષ', ઇતિહાસ, સદીઓ અને સમગ્ર વિશ્વના લોકો તે નક્કી કરે છે. મહાત્મા ગાંધી સમગ્ર વિશ્વ દ્વારા આદરણીય હતા. જો સરકારમાં બેઠેલા લોકો પણ 'પુરુષ' હોત તો જમ્મુ-કાશ્મીરમાં દરરોજ આપણા જવાનો મૃત્યુ પામ્યા ન હોત, ચીન લદ્દાખમાં ઘૂસ્યું ન હોત..."


અલગ અલગ નેતાઓએ આ મામલે આપી પ્રતિક્રિયા

તે ઉપરાંત કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે પણ આ નિવેદનની ટીકા કરી છે.  તેમણે કહ્યું કે સાહેબ, જો તમે મહાત્મા ગાંધી સાથે સરખામણી કરો છો તો તે શરમજનક છે. તે ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીએ આ નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘છેલ્લી સદીના મહાન માણસ મહાત્મા ગાંધી હતા, આ સદીના મહાન માણસ નરેન્દ્ર મોદી છે! હું ઉપરાષ્ટ્રપતિને પૂછવા માંગુ છું કે વડાપ્રધાનના પક્ષના સાંસદને ચોક્કસ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને સંસદમાં કયા નવા યુગની શરૂઆત થઈ છે.



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.