રેડિયો જગતનો પ્રખ્યાત અવાજ શાંત થયો! ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષક અમીન સયાનીએ લીધા અંતિમ શ્વાસ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-21 11:57:10

આજકાલ તો મનોરંજનના અનેક સાધનો છે આપણી પાસે.. મોબાઈલ સાથે હોય તો સમય ક્યાં નીકળી જાય છે તેની ખબર નથી પડતી. પરંતુ એક જમાનો હતો જ્યારે મનોરંજનના સાધનમાં માત્ર રેડિયો હતો અને ટીવી પર આવતી અમુક ચેનલો હતી.. રેડિયો પર આવતા કાર્યક્રમને સાંભળવા લોકો ઉત્સાહિત હતા. રેડિયો પર આવતા અવાજના લોકો દિવાના હતા. એકના ઘરે રેડિયો હોય તો કાર્યક્રમને સાંભળવા આજુબાજુ રહેલા લોકો આવતા. રેડિયો પર ભલે તેમનો ચહેરો નથી આવતો પરંતુ તેમનો અવાજ એટલો લોકપ્રિય થઈ જાય છે લોકો તેમને ભૂલી નથી શકતા. ત્યારે આજે રેડિયો જગતથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રેડિયો કિંગ ગણાતા અમીન સયાનીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. 91 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું છે.

‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષકે લીધા અંતિમ શ્વાસ! 

આજકાલ જેમ લોકો ફિલ્મસ્ટારના ફેન્સ હોય છે, મનોરંજન જગતના સ્ટાર્સના ફેન હોય છે તેમ એક આખી પેઢી એવી હશે જે રેડિયો જગતના દિવાના હશે. રેડિયો પર આવતા કાર્યક્રમોના, રેડિયો પર સંભળાતા અવાજના ફેન્સ હશે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. અમીન સયાનીને રેડિયોની દુનિયાના જાદુગર પણ કહેવાતા હતા. અમીન સયાનીનું નામ પડે ત્યારે શ્રોતાઓના દિમાગમાં એક અવાજ સંભળાવવા લાગે બહેનો ઓર ભાઈઓ... અમીન સયાની ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષક હતા. અમીન સયાનીના નિધનના સમાચાર સામે આવતા રેડિયોના શ્રોતાઓમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. લોકો દુખી થઈ ગયા છે. 


સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ... 

હાર્ટ એટેકને કારણે અમીન સાયાનીનું નિધન થયું છે અને તેમના મોતની પુષ્ટિ તેમના દીકરાએ કરી છે. સમાચારની પુષ્ટિ કરતા તેમના દીકરાએ કહ્યું કે 20 ફેબ્રુઆરી એટલે ગઈકાલે તેમના પિતાને મુંબઈમાં તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. ડોક્ટરોએ તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે થશે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.