રેડિયો જગતનો પ્રખ્યાત અવાજ શાંત થયો! ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષક અમીન સયાનીએ લીધા અંતિમ શ્વાસ...


  • Published By :
  • Published Date : 2024-02-21 11:57:10

આજકાલ તો મનોરંજનના અનેક સાધનો છે આપણી પાસે.. મોબાઈલ સાથે હોય તો સમય ક્યાં નીકળી જાય છે તેની ખબર નથી પડતી. પરંતુ એક જમાનો હતો જ્યારે મનોરંજનના સાધનમાં માત્ર રેડિયો હતો અને ટીવી પર આવતી અમુક ચેનલો હતી.. રેડિયો પર આવતા કાર્યક્રમને સાંભળવા લોકો ઉત્સાહિત હતા. રેડિયો પર આવતા અવાજના લોકો દિવાના હતા. એકના ઘરે રેડિયો હોય તો કાર્યક્રમને સાંભળવા આજુબાજુ રહેલા લોકો આવતા. રેડિયો પર ભલે તેમનો ચહેરો નથી આવતો પરંતુ તેમનો અવાજ એટલો લોકપ્રિય થઈ જાય છે લોકો તેમને ભૂલી નથી શકતા. ત્યારે આજે રેડિયો જગતથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રેડિયો કિંગ ગણાતા અમીન સયાનીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. 91 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું છે.

‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષકે લીધા અંતિમ શ્વાસ! 

આજકાલ જેમ લોકો ફિલ્મસ્ટારના ફેન્સ હોય છે, મનોરંજન જગતના સ્ટાર્સના ફેન હોય છે તેમ એક આખી પેઢી એવી હશે જે રેડિયો જગતના દિવાના હશે. રેડિયો પર આવતા કાર્યક્રમોના, રેડિયો પર સંભળાતા અવાજના ફેન્સ હશે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. અમીન સયાનીને રેડિયોની દુનિયાના જાદુગર પણ કહેવાતા હતા. અમીન સયાનીનું નામ પડે ત્યારે શ્રોતાઓના દિમાગમાં એક અવાજ સંભળાવવા લાગે બહેનો ઓર ભાઈઓ... અમીન સયાની ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષક હતા. અમીન સયાનીના નિધનના સમાચાર સામે આવતા રેડિયોના શ્રોતાઓમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. લોકો દુખી થઈ ગયા છે. 


સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ... 

હાર્ટ એટેકને કારણે અમીન સાયાનીનું નિધન થયું છે અને તેમના મોતની પુષ્ટિ તેમના દીકરાએ કરી છે. સમાચારની પુષ્ટિ કરતા તેમના દીકરાએ કહ્યું કે 20 ફેબ્રુઆરી એટલે ગઈકાલે તેમના પિતાને મુંબઈમાં તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. ડોક્ટરોએ તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે થશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.