રેડિયો જગતનો પ્રખ્યાત અવાજ શાંત થયો! ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષક અમીન સયાનીએ લીધા અંતિમ શ્વાસ...


  • Published By :
  • Published Date : 2024-02-21 11:57:10

આજકાલ તો મનોરંજનના અનેક સાધનો છે આપણી પાસે.. મોબાઈલ સાથે હોય તો સમય ક્યાં નીકળી જાય છે તેની ખબર નથી પડતી. પરંતુ એક જમાનો હતો જ્યારે મનોરંજનના સાધનમાં માત્ર રેડિયો હતો અને ટીવી પર આવતી અમુક ચેનલો હતી.. રેડિયો પર આવતા કાર્યક્રમને સાંભળવા લોકો ઉત્સાહિત હતા. રેડિયો પર આવતા અવાજના લોકો દિવાના હતા. એકના ઘરે રેડિયો હોય તો કાર્યક્રમને સાંભળવા આજુબાજુ રહેલા લોકો આવતા. રેડિયો પર ભલે તેમનો ચહેરો નથી આવતો પરંતુ તેમનો અવાજ એટલો લોકપ્રિય થઈ જાય છે લોકો તેમને ભૂલી નથી શકતા. ત્યારે આજે રેડિયો જગતથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રેડિયો કિંગ ગણાતા અમીન સયાનીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. 91 વર્ષની ઉંમરે તેમનું નિધન થઈ ગયું છે.

‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષકે લીધા અંતિમ શ્વાસ! 

આજકાલ જેમ લોકો ફિલ્મસ્ટારના ફેન્સ હોય છે, મનોરંજન જગતના સ્ટાર્સના ફેન હોય છે તેમ એક આખી પેઢી એવી હશે જે રેડિયો જગતના દિવાના હશે. રેડિયો પર આવતા કાર્યક્રમોના, રેડિયો પર સંભળાતા અવાજના ફેન્સ હશે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. અમીન સયાનીને રેડિયોની દુનિયાના જાદુગર પણ કહેવાતા હતા. અમીન સયાનીનું નામ પડે ત્યારે શ્રોતાઓના દિમાગમાં એક અવાજ સંભળાવવા લાગે બહેનો ઓર ભાઈઓ... અમીન સયાની ‘બિનાકા ગીતમાલા’ના ઉદ્ઘોષક હતા. અમીન સયાનીના નિધનના સમાચાર સામે આવતા રેડિયોના શ્રોતાઓમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. લોકો દુખી થઈ ગયા છે. 


સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ... 

હાર્ટ એટેકને કારણે અમીન સાયાનીનું નિધન થયું છે અને તેમના મોતની પુષ્ટિ તેમના દીકરાએ કરી છે. સમાચારની પુષ્ટિ કરતા તેમના દીકરાએ કહ્યું કે 20 ફેબ્રુઆરી એટલે ગઈકાલે તેમના પિતાને મુંબઈમાં તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા. ડોક્ટરોએ તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા ન મળી. તેમના અંતિમ સંસ્કાર આવતી કાલે થશે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.