7 ડિસેમ્બરથી સંસદમાં શરૂ થશે શિયાળુ સત્ર, સોનિયા અને રાહુલ સંસદની કામગીરીમાં નહીં કરે દખલઅંદાજી


  • Published By :
  • Published Date : 2022-11-28 16:18:51

7 ડિસેમ્બરથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થવાની છે. પરંતુ મળતી માહિતી મુજબ આ સત્રમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભાગ નથી લેવાના. કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. પહેલી વખત એવું થશે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સદનની દૈનિક બેઠકોમાં ભાગ નહીં લે. આ શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને આ સત્રમાં 17 બેઠકો હશે. 

કોંગ્રેસ અધ્યક્ષને લઈને અસમંજસ, આજે અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળશે -  Hum-Dekhenge કોંગ્રેસ અધ્યક્ષને લઈને અસમંજસ, આજે અશોક ગેહલોત સોનિયા ...

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખત સંસદમાં કોંગ્રેસ નવી રણનીતિ અને વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવાની છે. સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધત્વ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંભાળવાના છે. તેમની સાથે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ભાગ લેવાના છે. રાહુલ ગાંધી ઉપરાંત દિગ્વિજય સિંહ તેમજ અને દિગ્ગજ નેતાઓ આ સત્રમાં ઉપસ્થિત નથી રહેવાના. તેમના આ નિર્ણયથી લોકસભામાં કોંગ્રેસની જવાબદારી અધીર ચૌધરી પર તેમજ મનીષ તિવારી પર આવી ગઈ છે.           




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.