7 ડિસેમ્બરથી સંસદમાં શરૂ થશે શિયાળુ સત્ર, સોનિયા અને રાહુલ સંસદની કામગીરીમાં નહીં કરે દખલઅંદાજી


  • Published By :
  • Published Date : 2022-11-28 16:18:51

7 ડિસેમ્બરથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થવાની છે. પરંતુ મળતી માહિતી મુજબ આ સત્રમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભાગ નથી લેવાના. કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. પહેલી વખત એવું થશે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સદનની દૈનિક બેઠકોમાં ભાગ નહીં લે. આ શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને આ સત્રમાં 17 બેઠકો હશે. 

કોંગ્રેસ અધ્યક્ષને લઈને અસમંજસ, આજે અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળશે -  Hum-Dekhenge કોંગ્રેસ અધ્યક્ષને લઈને અસમંજસ, આજે અશોક ગેહલોત સોનિયા ...

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખત સંસદમાં કોંગ્રેસ નવી રણનીતિ અને વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવાની છે. સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધત્વ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંભાળવાના છે. તેમની સાથે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ભાગ લેવાના છે. રાહુલ ગાંધી ઉપરાંત દિગ્વિજય સિંહ તેમજ અને દિગ્ગજ નેતાઓ આ સત્રમાં ઉપસ્થિત નથી રહેવાના. તેમના આ નિર્ણયથી લોકસભામાં કોંગ્રેસની જવાબદારી અધીર ચૌધરી પર તેમજ મનીષ તિવારી પર આવી ગઈ છે.           




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.