7 ડિસેમ્બરથી સંસદમાં શરૂ થશે શિયાળુ સત્ર, સોનિયા અને રાહુલ સંસદની કામગીરીમાં નહીં કરે દખલઅંદાજી


  • Published By :
  • Published Date : 2022-11-28 16:18:51

7 ડિસેમ્બરથી સંસદમાં શિયાળા સત્રની શરૂઆત થવાની છે. પરંતુ મળતી માહિતી મુજબ આ સત્રમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ભાગ નથી લેવાના. કારણ કે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. પહેલી વખત એવું થશે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સદનની દૈનિક બેઠકોમાં ભાગ નહીં લે. આ શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બરે સમાપ્ત થવાનું છે અને આ સત્રમાં 17 બેઠકો હશે. 

કોંગ્રેસ અધ્યક્ષને લઈને અસમંજસ, આજે અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળશે -  Hum-Dekhenge કોંગ્રેસ અધ્યક્ષને લઈને અસમંજસ, આજે અશોક ગેહલોત સોનિયા ...

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખત સંસદમાં કોંગ્રેસ નવી રણનીતિ અને વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવાની છે. સંસદમાં કોંગ્રેસનું પ્રતિનિધત્વ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંભાળવાના છે. તેમની સાથે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ભાગ લેવાના છે. રાહુલ ગાંધી ઉપરાંત દિગ્વિજય સિંહ તેમજ અને દિગ્ગજ નેતાઓ આ સત્રમાં ઉપસ્થિત નથી રહેવાના. તેમના આ નિર્ણયથી લોકસભામાં કોંગ્રેસની જવાબદારી અધીર ચૌધરી પર તેમજ મનીષ તિવારી પર આવી ગઈ છે.           




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે