Tiger-3ને જોવા ફેન્સમાં જબરો ક્રેઝ, રિલીઝ થતાની સાથે જ ફિલ્મે કરી આટલા કરોડની કમાણી, જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-13 13:28:28

સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ટાઈગર-3ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ-ઓફિસમાં ધૂમ કમાણી કરી રહી છે. અને આવનાર દિવસોમાં અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. એક આંકડા અનુસાર રિલીઝના પ્રથમ દિવસે જ 44.50 કરોડની કમાણી કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. તહેવાર હોવા છતાંય ફિલ્મને જોવા માટે તેમના ફેન્સ સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફિલ્મ જોયા બાદ સલમાન ખાનના ફેન્સમાં એટલી ખુશી જોવા મળી હતી કે થિયેટરની અંદર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. 

First Look Poster Of Tiger 3 Released Salman-Katrina Will Be Seen In Action  Avatar Know When The Film Will Be Released | Tiger 3 First Poster Out: ટાઈગર-3નું  ફર્સ્ટ લુક પોસ્ટર થયું

12 નવેમ્બરે સિનેમાંઘરોમાં રિલીઝ થઈ હતી ટાઈગર-3

દિવાળીના દિવસે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 રિલીઝ થઈ ચૂકી છે. ભલે દિવાળીના તહેવાર દરમિયાન ફિલ્મ આવી છે પરંતુ જનતા ફિલ્મને જોવા સિનેમાઘરોમાં પહોંચી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ લોકોમાં ફિલ્મને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ અનેક ફિલ્મના રેકોર્ડ તોડી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્વિટર પર ટાઈગર-3 ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફિલ્મને જોયા બાદ લોકો પોતાના અભિપ્રાય પણ આપી રહ્યા છે. કોઈને ફિલ્મમાં એક્શન ગમી રહ્યું છે તો કોઈને સલમાન ખાન પસંદ આવી રહ્યા છે.     


ટાઈગર-3એ દિવાળીના દિવસે સારૂં પ્રદર્શન કર્યું! 

દિવાળીને સિનેમાની દ્રષ્ટિએ વર્ષનો સૌથી નબળો દિવસ માનવામાં આવે છે. આમ છતાં 'ટાઈગર 3'નું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ 'ટાઈગર 3' સલમાન ખાનના ચાહકો માટે આ વર્ષની શ્રેષ્ઠ દિવાળી ગિફ્ટ સાબિત થઈ છે. ટાઇગર-3ની ગર્જનાએ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી... જો આપણે 'ટાઈગર 3' ની તુલના 'પઠાણ' સાથે કરીએ તો બંને ફિલ્મોના મોર્નિંગ શોમાં બહુ ફરક જોવા મળતો નથી. કારણ કે પહેલા દિવસે સવારના શોમાં પઠાણએ 8 કરોડ જેટલાની કમાણી કરી હતી, જ્યારે ટાઈગર-3એ પહેલા દિવસે સવારના શોમાંથી 7.38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.



અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.