Tiger-3ને જોવા ફેન્સમાં જબરો ક્રેઝ, રિલીઝ થતાની સાથે જ ફિલ્મે કરી આટલા કરોડની કમાણી, જાણો


  • Published By :
  • Published Date : 2023-11-13 13:28:28

સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ટાઈગર-3ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ-ઓફિસમાં ધૂમ કમાણી કરી રહી છે. અને આવનાર દિવસોમાં અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. એક આંકડા અનુસાર રિલીઝના પ્રથમ દિવસે જ 44.50 કરોડની કમાણી કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. તહેવાર હોવા છતાંય ફિલ્મને જોવા માટે તેમના ફેન્સ સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફિલ્મ જોયા બાદ સલમાન ખાનના ફેન્સમાં એટલી ખુશી જોવા મળી હતી કે થિયેટરની અંદર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. 

First Look Poster Of Tiger 3 Released Salman-Katrina Will Be Seen In Action  Avatar Know When The Film Will Be Released | Tiger 3 First Poster Out: ટાઈગર-3નું  ફર્સ્ટ લુક પોસ્ટર થયું

12 નવેમ્બરે સિનેમાંઘરોમાં રિલીઝ થઈ હતી ટાઈગર-3

દિવાળીના દિવસે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 રિલીઝ થઈ ચૂકી છે. ભલે દિવાળીના તહેવાર દરમિયાન ફિલ્મ આવી છે પરંતુ જનતા ફિલ્મને જોવા સિનેમાઘરોમાં પહોંચી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ લોકોમાં ફિલ્મને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ અનેક ફિલ્મના રેકોર્ડ તોડી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્વિટર પર ટાઈગર-3 ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફિલ્મને જોયા બાદ લોકો પોતાના અભિપ્રાય પણ આપી રહ્યા છે. કોઈને ફિલ્મમાં એક્શન ગમી રહ્યું છે તો કોઈને સલમાન ખાન પસંદ આવી રહ્યા છે.     


ટાઈગર-3એ દિવાળીના દિવસે સારૂં પ્રદર્શન કર્યું! 

દિવાળીને સિનેમાની દ્રષ્ટિએ વર્ષનો સૌથી નબળો દિવસ માનવામાં આવે છે. આમ છતાં 'ટાઈગર 3'નું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ 'ટાઈગર 3' સલમાન ખાનના ચાહકો માટે આ વર્ષની શ્રેષ્ઠ દિવાળી ગિફ્ટ સાબિત થઈ છે. ટાઇગર-3ની ગર્જનાએ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી... જો આપણે 'ટાઈગર 3' ની તુલના 'પઠાણ' સાથે કરીએ તો બંને ફિલ્મોના મોર્નિંગ શોમાં બહુ ફરક જોવા મળતો નથી. કારણ કે પહેલા દિવસે સવારના શોમાં પઠાણએ 8 કરોડ જેટલાની કમાણી કરી હતી, જ્યારે ટાઈગર-3એ પહેલા દિવસે સવારના શોમાંથી 7.38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.