Tiger-3ને જોવા ફેન્સમાં જબરો ક્રેઝ, રિલીઝ થતાની સાથે જ ફિલ્મે કરી આટલા કરોડની કમાણી, જાણો


  • Published By :
  • Published Date : 2023-11-13 13:28:28

સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ટાઈગર-3ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ-ઓફિસમાં ધૂમ કમાણી કરી રહી છે. અને આવનાર દિવસોમાં અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. એક આંકડા અનુસાર રિલીઝના પ્રથમ દિવસે જ 44.50 કરોડની કમાણી કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. તહેવાર હોવા છતાંય ફિલ્મને જોવા માટે તેમના ફેન્સ સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફિલ્મ જોયા બાદ સલમાન ખાનના ફેન્સમાં એટલી ખુશી જોવા મળી હતી કે થિયેટરની અંદર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. 

First Look Poster Of Tiger 3 Released Salman-Katrina Will Be Seen In Action  Avatar Know When The Film Will Be Released | Tiger 3 First Poster Out: ટાઈગર-3નું  ફર્સ્ટ લુક પોસ્ટર થયું

12 નવેમ્બરે સિનેમાંઘરોમાં રિલીઝ થઈ હતી ટાઈગર-3

દિવાળીના દિવસે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 રિલીઝ થઈ ચૂકી છે. ભલે દિવાળીના તહેવાર દરમિયાન ફિલ્મ આવી છે પરંતુ જનતા ફિલ્મને જોવા સિનેમાઘરોમાં પહોંચી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ લોકોમાં ફિલ્મને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ અનેક ફિલ્મના રેકોર્ડ તોડી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્વિટર પર ટાઈગર-3 ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફિલ્મને જોયા બાદ લોકો પોતાના અભિપ્રાય પણ આપી રહ્યા છે. કોઈને ફિલ્મમાં એક્શન ગમી રહ્યું છે તો કોઈને સલમાન ખાન પસંદ આવી રહ્યા છે.     


ટાઈગર-3એ દિવાળીના દિવસે સારૂં પ્રદર્શન કર્યું! 

દિવાળીને સિનેમાની દ્રષ્ટિએ વર્ષનો સૌથી નબળો દિવસ માનવામાં આવે છે. આમ છતાં 'ટાઈગર 3'નું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ 'ટાઈગર 3' સલમાન ખાનના ચાહકો માટે આ વર્ષની શ્રેષ્ઠ દિવાળી ગિફ્ટ સાબિત થઈ છે. ટાઇગર-3ની ગર્જનાએ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી... જો આપણે 'ટાઈગર 3' ની તુલના 'પઠાણ' સાથે કરીએ તો બંને ફિલ્મોના મોર્નિંગ શોમાં બહુ ફરક જોવા મળતો નથી. કારણ કે પહેલા દિવસે સવારના શોમાં પઠાણએ 8 કરોડ જેટલાની કમાણી કરી હતી, જ્યારે ટાઈગર-3એ પહેલા દિવસે સવારના શોમાંથી 7.38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.