Tiger-3ને જોવા ફેન્સમાં જબરો ક્રેઝ, રિલીઝ થતાની સાથે જ ફિલ્મે કરી આટલા કરોડની કમાણી, જાણો


  • Published By :
  • Published Date : 2023-11-13 13:28:28

સલમાન ખાન અને કેટરિના કેફની ફિલ્મ ટાઈગર-3ને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ બોક્સ-ઓફિસમાં ધૂમ કમાણી કરી રહી છે. અને આવનાર દિવસોમાં અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. એક આંકડા અનુસાર રિલીઝના પ્રથમ દિવસે જ 44.50 કરોડની કમાણી કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. તહેવાર હોવા છતાંય ફિલ્મને જોવા માટે તેમના ફેન્સ સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ફિલ્મ જોયા બાદ સલમાન ખાનના ફેન્સમાં એટલી ખુશી જોવા મળી હતી કે થિયેટરની અંદર ફટાકડા ફોડવામાં આવ્યા હતા. 

First Look Poster Of Tiger 3 Released Salman-Katrina Will Be Seen In Action  Avatar Know When The Film Will Be Released | Tiger 3 First Poster Out: ટાઈગર-3નું  ફર્સ્ટ લુક પોસ્ટર થયું

12 નવેમ્બરે સિનેમાંઘરોમાં રિલીઝ થઈ હતી ટાઈગર-3

દિવાળીના દિવસે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 રિલીઝ થઈ ચૂકી છે. ભલે દિવાળીના તહેવાર દરમિયાન ફિલ્મ આવી છે પરંતુ જનતા ફિલ્મને જોવા સિનેમાઘરોમાં પહોંચી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ લોકોમાં ફિલ્મને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 12 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ અનેક ફિલ્મના રેકોર્ડ તોડી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ટ્વિટર પર ટાઈગર-3 ટ્રેન્ડ થઈ રહ્યું છે. ફિલ્મને જોયા બાદ લોકો પોતાના અભિપ્રાય પણ આપી રહ્યા છે. કોઈને ફિલ્મમાં એક્શન ગમી રહ્યું છે તો કોઈને સલમાન ખાન પસંદ આવી રહ્યા છે.     


ટાઈગર-3એ દિવાળીના દિવસે સારૂં પ્રદર્શન કર્યું! 

દિવાળીને સિનેમાની દ્રષ્ટિએ વર્ષનો સૌથી નબળો દિવસ માનવામાં આવે છે. આમ છતાં 'ટાઈગર 3'નું પ્રદર્શન જબરદસ્ત રહ્યું છે. ટાઈગર ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ 'ટાઈગર 3' સલમાન ખાનના ચાહકો માટે આ વર્ષની શ્રેષ્ઠ દિવાળી ગિફ્ટ સાબિત થઈ છે. ટાઇગર-3ની ગર્જનાએ પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી... જો આપણે 'ટાઈગર 3' ની તુલના 'પઠાણ' સાથે કરીએ તો બંને ફિલ્મોના મોર્નિંગ શોમાં બહુ ફરક જોવા મળતો નથી. કારણ કે પહેલા દિવસે સવારના શોમાં પઠાણએ 8 કરોડ જેટલાની કમાણી કરી હતી, જ્યારે ટાઈગર-3એ પહેલા દિવસે સવારના શોમાંથી 7.38 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.