ટ્વિટરના લોગોમાં ફરી આવી ચકલી, થોડા સમય પહેલા ટ્વિટરના લોગોને કરાયો હતો ચેન્જ


  • Published By :
  • Published Date : 2023-04-07 13:17:46

થોડા દિવસ પહેલા ટ્વિટરે ફરી પોતાનો લોગો બદલી દીધો હતો. બ્લ્યુ કલરમાં મૂકેલી ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકવામાં આવ્યો હતો. ડોગીના લોગોને જોઈ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટ્વિટરના લોગોને ડોગીકોઈનથી બદલી દેવામાં આવ્યું હતું. લોકોને લાગ્યું હતું કે માત્ર થોડા સમયમાં જ લોગોને બદલી દેવાશે.પરંતુ લગભગ 3 દિવસ બાદ ટ્વિટરે લોગોને ફરી બદલી દીધો છે. મહત્વનું છે કે ડોગીકોઈન લોગો માત્ર વેબ વર્ઝનમાં જ દેખાતો હતો. 


ટ્વિટરે ફરી એક લોગોમાં મૂકી ચકલી!   

એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અવાર-નવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા એલોન મસ્કે ટ્વિટરના લોગોને બદલી દીધો હતો. ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકી દેવામાં આવ્યો હતો. ટ્વિટરના ચકલી વાળા લોગોને ડોગીકોઈન સાથે બદલી દેવામાં આવ્યું હતું. લોગો બદલાતા યુઝર્સને આશ્ચર્ય થયું હતું. યુઝર્સને એવું લાગતું હતું કે થોડા સમયમાં જ લોગો ફરી બદલી લેવાશે પરંતુ લોગો બદલવામાં આવ્યો ન હતો. બદલાયેલો લોગો માત્ર વેબ વર્ઝનમાં દેખાતો હતો.  

Image

લોગો બદલ્યા બાદ એલોન મસ્કે કર્યું હતું ટ્વિટ 

ફરી એક વખત ટ્વિટરનો લોગો બદલી જૂનો મૂકી દેવામાં આવ્યો છે. લોગોમાં ચકલી ફરી એક વખત આવી ગઈ છે. વાસ્તવમાં ટ્વિટર બર્ડ લોગોને ડોગકોઈનમાં બદલ્યા પછી મસ્કે એક ટ્વિટ કરી હતી. એક સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો હતો. જેમાં એક યુઝરે લખ્યું હતું કે મસ્કે ટ્વિટર ખરીદવું જોઈએ અને લોગો બદલીને ડોગ કરવો જોઈએ. સ્કીનશોર્ટ શેર કરતા તેમણે કહ્યું કે વાયદા મુજબ કરી બતાવ્યું.        



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .