ટ્વિટરના લોગોમાં ફરી આવી ચકલી, થોડા સમય પહેલા ટ્વિટરના લોગોને કરાયો હતો ચેન્જ


  • Published By :
  • Published Date : 2023-04-07 13:17:46

થોડા દિવસ પહેલા ટ્વિટરે ફરી પોતાનો લોગો બદલી દીધો હતો. બ્લ્યુ કલરમાં મૂકેલી ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકવામાં આવ્યો હતો. ડોગીના લોગોને જોઈ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટ્વિટરના લોગોને ડોગીકોઈનથી બદલી દેવામાં આવ્યું હતું. લોકોને લાગ્યું હતું કે માત્ર થોડા સમયમાં જ લોગોને બદલી દેવાશે.પરંતુ લગભગ 3 દિવસ બાદ ટ્વિટરે લોગોને ફરી બદલી દીધો છે. મહત્વનું છે કે ડોગીકોઈન લોગો માત્ર વેબ વર્ઝનમાં જ દેખાતો હતો. 


ટ્વિટરે ફરી એક લોગોમાં મૂકી ચકલી!   

એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અવાર-નવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા એલોન મસ્કે ટ્વિટરના લોગોને બદલી દીધો હતો. ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકી દેવામાં આવ્યો હતો. ટ્વિટરના ચકલી વાળા લોગોને ડોગીકોઈન સાથે બદલી દેવામાં આવ્યું હતું. લોગો બદલાતા યુઝર્સને આશ્ચર્ય થયું હતું. યુઝર્સને એવું લાગતું હતું કે થોડા સમયમાં જ લોગો ફરી બદલી લેવાશે પરંતુ લોગો બદલવામાં આવ્યો ન હતો. બદલાયેલો લોગો માત્ર વેબ વર્ઝનમાં દેખાતો હતો.  

Image

લોગો બદલ્યા બાદ એલોન મસ્કે કર્યું હતું ટ્વિટ 

ફરી એક વખત ટ્વિટરનો લોગો બદલી જૂનો મૂકી દેવામાં આવ્યો છે. લોગોમાં ચકલી ફરી એક વખત આવી ગઈ છે. વાસ્તવમાં ટ્વિટર બર્ડ લોગોને ડોગકોઈનમાં બદલ્યા પછી મસ્કે એક ટ્વિટ કરી હતી. એક સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો હતો. જેમાં એક યુઝરે લખ્યું હતું કે મસ્કે ટ્વિટર ખરીદવું જોઈએ અને લોગો બદલીને ડોગ કરવો જોઈએ. સ્કીનશોર્ટ શેર કરતા તેમણે કહ્યું કે વાયદા મુજબ કરી બતાવ્યું.        



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?