ટ્વિટરના લોગોમાં ફરી આવી ચકલી, થોડા સમય પહેલા ટ્વિટરના લોગોને કરાયો હતો ચેન્જ


  • Published By :
  • Published Date : 2023-04-07 13:17:46

થોડા દિવસ પહેલા ટ્વિટરે ફરી પોતાનો લોગો બદલી દીધો હતો. બ્લ્યુ કલરમાં મૂકેલી ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકવામાં આવ્યો હતો. ડોગીના લોગોને જોઈ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટ્વિટરના લોગોને ડોગીકોઈનથી બદલી દેવામાં આવ્યું હતું. લોકોને લાગ્યું હતું કે માત્ર થોડા સમયમાં જ લોગોને બદલી દેવાશે.પરંતુ લગભગ 3 દિવસ બાદ ટ્વિટરે લોગોને ફરી બદલી દીધો છે. મહત્વનું છે કે ડોગીકોઈન લોગો માત્ર વેબ વર્ઝનમાં જ દેખાતો હતો. 


ટ્વિટરે ફરી એક લોગોમાં મૂકી ચકલી!   

એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અવાર-નવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા એલોન મસ્કે ટ્વિટરના લોગોને બદલી દીધો હતો. ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકી દેવામાં આવ્યો હતો. ટ્વિટરના ચકલી વાળા લોગોને ડોગીકોઈન સાથે બદલી દેવામાં આવ્યું હતું. લોગો બદલાતા યુઝર્સને આશ્ચર્ય થયું હતું. યુઝર્સને એવું લાગતું હતું કે થોડા સમયમાં જ લોગો ફરી બદલી લેવાશે પરંતુ લોગો બદલવામાં આવ્યો ન હતો. બદલાયેલો લોગો માત્ર વેબ વર્ઝનમાં દેખાતો હતો.  

Image

લોગો બદલ્યા બાદ એલોન મસ્કે કર્યું હતું ટ્વિટ 

ફરી એક વખત ટ્વિટરનો લોગો બદલી જૂનો મૂકી દેવામાં આવ્યો છે. લોગોમાં ચકલી ફરી એક વખત આવી ગઈ છે. વાસ્તવમાં ટ્વિટર બર્ડ લોગોને ડોગકોઈનમાં બદલ્યા પછી મસ્કે એક ટ્વિટ કરી હતી. એક સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો હતો. જેમાં એક યુઝરે લખ્યું હતું કે મસ્કે ટ્વિટર ખરીદવું જોઈએ અને લોગો બદલીને ડોગ કરવો જોઈએ. સ્કીનશોર્ટ શેર કરતા તેમણે કહ્યું કે વાયદા મુજબ કરી બતાવ્યું.        



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.