ટ્વિટરના લોગોમાં ફરી આવી ચકલી, થોડા સમય પહેલા ટ્વિટરના લોગોને કરાયો હતો ચેન્જ


  • Published By :
  • Published Date : 2023-04-07 13:17:46

થોડા દિવસ પહેલા ટ્વિટરે ફરી પોતાનો લોગો બદલી દીધો હતો. બ્લ્યુ કલરમાં મૂકેલી ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકવામાં આવ્યો હતો. ડોગીના લોગોને જોઈ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટ્વિટરના લોગોને ડોગીકોઈનથી બદલી દેવામાં આવ્યું હતું. લોકોને લાગ્યું હતું કે માત્ર થોડા સમયમાં જ લોગોને બદલી દેવાશે.પરંતુ લગભગ 3 દિવસ બાદ ટ્વિટરે લોગોને ફરી બદલી દીધો છે. મહત્વનું છે કે ડોગીકોઈન લોગો માત્ર વેબ વર્ઝનમાં જ દેખાતો હતો. 


ટ્વિટરે ફરી એક લોગોમાં મૂકી ચકલી!   

એલોન મસ્ક જ્યારથી ટ્વિટરના નવા સીઈઓ બન્યા છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. અવાર-નવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસો પહેલા એલોન મસ્કે ટ્વિટરના લોગોને બદલી દીધો હતો. ચકલીની બદલીમાં ડોગીનો લોગો મૂકી દેવામાં આવ્યો હતો. ટ્વિટરના ચકલી વાળા લોગોને ડોગીકોઈન સાથે બદલી દેવામાં આવ્યું હતું. લોગો બદલાતા યુઝર્સને આશ્ચર્ય થયું હતું. યુઝર્સને એવું લાગતું હતું કે થોડા સમયમાં જ લોગો ફરી બદલી લેવાશે પરંતુ લોગો બદલવામાં આવ્યો ન હતો. બદલાયેલો લોગો માત્ર વેબ વર્ઝનમાં દેખાતો હતો.  

Image

લોગો બદલ્યા બાદ એલોન મસ્કે કર્યું હતું ટ્વિટ 

ફરી એક વખત ટ્વિટરનો લોગો બદલી જૂનો મૂકી દેવામાં આવ્યો છે. લોગોમાં ચકલી ફરી એક વખત આવી ગઈ છે. વાસ્તવમાં ટ્વિટર બર્ડ લોગોને ડોગકોઈનમાં બદલ્યા પછી મસ્કે એક ટ્વિટ કરી હતી. એક સ્ક્રીનશોર્ટ પણ શેર કર્યો હતો. જેમાં એક યુઝરે લખ્યું હતું કે મસ્કે ટ્વિટર ખરીદવું જોઈએ અને લોગો બદલીને ડોગ કરવો જોઈએ. સ્કીનશોર્ટ શેર કરતા તેમણે કહ્યું કે વાયદા મુજબ કરી બતાવ્યું.        



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.