પાકિસ્તાનના અનેક શહેરોમાં છવાયો અંધારપટ, પાવર ટ્રાન્સમિશન લાઈન ફેલ થતા વિજળી ગૂલ થઈ


  • Published By :
  • Published Date : 2023-01-23 11:32:13

પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. પાકિસ્તાનના લોકો ભૂખમરો અને મોંઘવારી સહન કરવા મજબૂર બન્યા છે. આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાન પર વધુ એક સંકટ તોડાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં વીજળીની સમસ્યા ઉભી થઈ ગઈ છે. હાઈટેન્શન ટ્રાંસમિશન લાઈન ખરાબ થઈ જવાને કારણે દેશના અનેક વિસ્તારોમાં પાવર કટ થઈ ગયો છે.     


અનેક મોટા શહેરોમાં છવાયો અંધારપટ

એક તરફ પાકિસ્તાનમાં જ્યાં લોકો લોટ માટે પડાપડી કરી રહ્યા છે મોંઘવારી પોતાની ચરમ સીમાએ પહોંચી છે. મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આર્થિક સંકટ અને મોંઘવારીના સંકટથી બહાર નથી આવ્યો ત્યારે વધુ એક સંકટે પાકિસ્તાનને ઘેરી લીધું છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે જેને કારણે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા માટો શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે.  


મેટ્રો ટ્રેન સુવિધા થઈ પ્રભાવિત 

અંધારપટને લઈને પાકિસ્તાનના ઉર્જામંત્રાલય તરફથી એક નિવેદન સામે આવ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે સોમવાર સવારે લગભગ સાત વાગે પાકિસ્તાનના નેશનલ ગ્રિડ સિસ્ટમ ફ્રિક્વંસી ફેલ થઈ ગઈ છે. સિસ્ટમ ફેલ થઈ જવાને કારણે દેશભરની પાવર સિસ્ટમ પર અસર થઈ છે અને પાવર કટ થઈ ગયો છે. વીજળી ન હોવાને કારણે મેટ્રો ટ્રેનને પણ અસર પહોંચી છે. જેને કારણે મેટ્રોમાં સફર કરનાર લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.