પાકિસ્તાનના અનેક શહેરોમાં છવાયો અંધારપટ, પાવર ટ્રાન્સમિશન લાઈન ફેલ થતા વિજળી ગૂલ થઈ


  • Published By :
  • Published Date : 2023-01-23 11:32:13

પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. પાકિસ્તાનના લોકો ભૂખમરો અને મોંઘવારી સહન કરવા મજબૂર બન્યા છે. આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાન પર વધુ એક સંકટ તોડાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં વીજળીની સમસ્યા ઉભી થઈ ગઈ છે. હાઈટેન્શન ટ્રાંસમિશન લાઈન ખરાબ થઈ જવાને કારણે દેશના અનેક વિસ્તારોમાં પાવર કટ થઈ ગયો છે.     


અનેક મોટા શહેરોમાં છવાયો અંધારપટ

એક તરફ પાકિસ્તાનમાં જ્યાં લોકો લોટ માટે પડાપડી કરી રહ્યા છે મોંઘવારી પોતાની ચરમ સીમાએ પહોંચી છે. મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આર્થિક સંકટ અને મોંઘવારીના સંકટથી બહાર નથી આવ્યો ત્યારે વધુ એક સંકટે પાકિસ્તાનને ઘેરી લીધું છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે જેને કારણે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા માટો શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે.  


મેટ્રો ટ્રેન સુવિધા થઈ પ્રભાવિત 

અંધારપટને લઈને પાકિસ્તાનના ઉર્જામંત્રાલય તરફથી એક નિવેદન સામે આવ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે સોમવાર સવારે લગભગ સાત વાગે પાકિસ્તાનના નેશનલ ગ્રિડ સિસ્ટમ ફ્રિક્વંસી ફેલ થઈ ગઈ છે. સિસ્ટમ ફેલ થઈ જવાને કારણે દેશભરની પાવર સિસ્ટમ પર અસર થઈ છે અને પાવર કટ થઈ ગયો છે. વીજળી ન હોવાને કારણે મેટ્રો ટ્રેનને પણ અસર પહોંચી છે. જેને કારણે મેટ્રોમાં સફર કરનાર લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .