પાકિસ્તાનના અનેક શહેરોમાં છવાયો અંધારપટ, પાવર ટ્રાન્સમિશન લાઈન ફેલ થતા વિજળી ગૂલ થઈ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-23 11:32:13

પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. પાકિસ્તાનના લોકો ભૂખમરો અને મોંઘવારી સહન કરવા મજબૂર બન્યા છે. આર્થિક પરિસ્થિતિ કથળી રહી છે. આ બધા વચ્ચે પાકિસ્તાન પર વધુ એક સંકટ તોડાઈ રહ્યું છે. પાકિસ્તાનમાં વીજળીની સમસ્યા ઉભી થઈ ગઈ છે. હાઈટેન્શન ટ્રાંસમિશન લાઈન ખરાબ થઈ જવાને કારણે દેશના અનેક વિસ્તારોમાં પાવર કટ થઈ ગયો છે.     


અનેક મોટા શહેરોમાં છવાયો અંધારપટ

એક તરફ પાકિસ્તાનમાં જ્યાં લોકો લોટ માટે પડાપડી કરી રહ્યા છે મોંઘવારી પોતાની ચરમ સીમાએ પહોંચી છે. મોંઘવારીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. આર્થિક સંકટ અને મોંઘવારીના સંકટથી બહાર નથી આવ્યો ત્યારે વધુ એક સંકટે પાકિસ્તાનને ઘેરી લીધું છે. પાકિસ્તાનમાં પાવર સિસ્ટમ ફેલ થઈ ગઈ છે જેને કારણે પાકિસ્તાનના ઈસ્લામાબાદ, લાહોર અને કરાચી જેવા માટો શહેરોમાં અંધારપટ છવાઈ ગયો છે.  


મેટ્રો ટ્રેન સુવિધા થઈ પ્રભાવિત 

અંધારપટને લઈને પાકિસ્તાનના ઉર્જામંત્રાલય તરફથી એક નિવેદન સામે આવ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે સોમવાર સવારે લગભગ સાત વાગે પાકિસ્તાનના નેશનલ ગ્રિડ સિસ્ટમ ફ્રિક્વંસી ફેલ થઈ ગઈ છે. સિસ્ટમ ફેલ થઈ જવાને કારણે દેશભરની પાવર સિસ્ટમ પર અસર થઈ છે અને પાવર કટ થઈ ગયો છે. વીજળી ન હોવાને કારણે મેટ્રો ટ્રેનને પણ અસર પહોંચી છે. જેને કારણે મેટ્રોમાં સફર કરનાર લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.  




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે