સ્પાઈસ જેટની ફ્લાઈટમાં થયો હોબાળો, દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By :
  • Published Date : 2023-01-24 11:33:20

ફરી એક વખત ફ્લાઈટથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પાઈસ જેટમાં મુસાફરી કરનાર વ્યક્તિએ એર હોસ્ટેસની સાથે ગેરવર્તન કર્યું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસે એ વ્યક્તિની ધકપકડ કરી લીધી છે. સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારીની ફરિયાદ બાદ આ પગલા લેવામાં આવ્યા છે. ગેરવર્તન કરનાર આરોપી યાત્રીનું નામ અબસાર આલમની ધકપકડ કરી લેવામાં આવી છે. 

  

એરહોસ્ટેસ સાથે યાત્રીકે કર્યું ગેરવર્તન 

આજકાલ ફ્લાઈટથી એવાએવા કિસ્સાઓ સામે આવે છે જેમાં ગેરવર્તન કરવામાં આવ્યું હોય, મારામારીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ગેરવર્તન કરવાનો વીડિયો સામે આવ્યા છે જેમાં એર હોસ્ટેસ સાથે દુર્વહેવાર કરવામાં આવ્યો છે. દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટમાં આ ઘટના બની છે.આ અંગેની ફરિયાદ સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવી છે. જે બાદ પોલીસે એક્શન લીધા છે આરોપી અબસાર આલમની ધરપકડ કરી લીધી છે. ગેરવર્તન કરનાર આરોપી અને તેની સાથે યાત્રા કરી રહેલા સહયાત્રીને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. 


વધી રહ્યા છે ફ્લાઈટમાં ગેરવર્તનના કિસ્સા

થોડા મહિનાઓથી ફ્લાઈટમાં ગેરવર્તન કરવા વાળા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિમાનમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. તે બાદ પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક વખત મારામારીના પણ વીડિયો સામે આવી રહ્યા છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.