સ્પાઈસ જેટની ફ્લાઈટમાં થયો હોબાળો, દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By :
  • Published Date : 2023-01-24 11:33:20

ફરી એક વખત ફ્લાઈટથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પાઈસ જેટમાં મુસાફરી કરનાર વ્યક્તિએ એર હોસ્ટેસની સાથે ગેરવર્તન કર્યું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસે એ વ્યક્તિની ધકપકડ કરી લીધી છે. સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારીની ફરિયાદ બાદ આ પગલા લેવામાં આવ્યા છે. ગેરવર્તન કરનાર આરોપી યાત્રીનું નામ અબસાર આલમની ધકપકડ કરી લેવામાં આવી છે. 

  

એરહોસ્ટેસ સાથે યાત્રીકે કર્યું ગેરવર્તન 

આજકાલ ફ્લાઈટથી એવાએવા કિસ્સાઓ સામે આવે છે જેમાં ગેરવર્તન કરવામાં આવ્યું હોય, મારામારીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ગેરવર્તન કરવાનો વીડિયો સામે આવ્યા છે જેમાં એર હોસ્ટેસ સાથે દુર્વહેવાર કરવામાં આવ્યો છે. દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટમાં આ ઘટના બની છે.આ અંગેની ફરિયાદ સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવી છે. જે બાદ પોલીસે એક્શન લીધા છે આરોપી અબસાર આલમની ધરપકડ કરી લીધી છે. ગેરવર્તન કરનાર આરોપી અને તેની સાથે યાત્રા કરી રહેલા સહયાત્રીને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. 


વધી રહ્યા છે ફ્લાઈટમાં ગેરવર્તનના કિસ્સા

થોડા મહિનાઓથી ફ્લાઈટમાં ગેરવર્તન કરવા વાળા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિમાનમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. તે બાદ પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક વખત મારામારીના પણ વીડિયો સામે આવી રહ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.