સ્પાઈસ જેટની ફ્લાઈટમાં થયો હોબાળો, દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By :
  • Published Date : 2023-01-24 11:33:20

ફરી એક વખત ફ્લાઈટથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પાઈસ જેટમાં મુસાફરી કરનાર વ્યક્તિએ એર હોસ્ટેસની સાથે ગેરવર્તન કર્યું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસે એ વ્યક્તિની ધકપકડ કરી લીધી છે. સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારીની ફરિયાદ બાદ આ પગલા લેવામાં આવ્યા છે. ગેરવર્તન કરનાર આરોપી યાત્રીનું નામ અબસાર આલમની ધકપકડ કરી લેવામાં આવી છે. 

  

એરહોસ્ટેસ સાથે યાત્રીકે કર્યું ગેરવર્તન 

આજકાલ ફ્લાઈટથી એવાએવા કિસ્સાઓ સામે આવે છે જેમાં ગેરવર્તન કરવામાં આવ્યું હોય, મારામારીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ગેરવર્તન કરવાનો વીડિયો સામે આવ્યા છે જેમાં એર હોસ્ટેસ સાથે દુર્વહેવાર કરવામાં આવ્યો છે. દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટમાં આ ઘટના બની છે.આ અંગેની ફરિયાદ સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવી છે. જે બાદ પોલીસે એક્શન લીધા છે આરોપી અબસાર આલમની ધરપકડ કરી લીધી છે. ગેરવર્તન કરનાર આરોપી અને તેની સાથે યાત્રા કરી રહેલા સહયાત્રીને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. 


વધી રહ્યા છે ફ્લાઈટમાં ગેરવર્તનના કિસ્સા

થોડા મહિનાઓથી ફ્લાઈટમાં ગેરવર્તન કરવા વાળા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિમાનમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. તે બાદ પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક વખત મારામારીના પણ વીડિયો સામે આવી રહ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.