સ્પાઈસ જેટની ફ્લાઈટમાં થયો હોબાળો, દિલ્હીથી હૈદરાબાદ જઈ રહી હતી ફ્લાઈટ


  • Published By :
  • Published Date : 2023-01-24 11:33:20

ફરી એક વખત ફ્લાઈટથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પાઈસ જેટમાં મુસાફરી કરનાર વ્યક્તિએ એર હોસ્ટેસની સાથે ગેરવર્તન કર્યું હતું.આ ઘટનાની જાણ થતા પોલીસે એ વ્યક્તિની ધકપકડ કરી લીધી છે. સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારીની ફરિયાદ બાદ આ પગલા લેવામાં આવ્યા છે. ગેરવર્તન કરનાર આરોપી યાત્રીનું નામ અબસાર આલમની ધકપકડ કરી લેવામાં આવી છે. 

  

એરહોસ્ટેસ સાથે યાત્રીકે કર્યું ગેરવર્તન 

આજકાલ ફ્લાઈટથી એવાએવા કિસ્સાઓ સામે આવે છે જેમાં ગેરવર્તન કરવામાં આવ્યું હોય, મારામારીના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે ફ્લાઈટમાં ગેરવર્તન કરવાનો વીડિયો સામે આવ્યા છે જેમાં એર હોસ્ટેસ સાથે દુર્વહેવાર કરવામાં આવ્યો છે. દિલ્હીથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટમાં આ ઘટના બની છે.આ અંગેની ફરિયાદ સ્પાઈસ જેટના સુરક્ષા અધિકારી દ્વારા કરવામાં આવી છે. જે બાદ પોલીસે એક્શન લીધા છે આરોપી અબસાર આલમની ધરપકડ કરી લીધી છે. ગેરવર્તન કરનાર આરોપી અને તેની સાથે યાત્રા કરી રહેલા સહયાત્રીને ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. 


વધી રહ્યા છે ફ્લાઈટમાં ગેરવર્તનના કિસ્સા

થોડા મહિનાઓથી ફ્લાઈટમાં ગેરવર્તન કરવા વાળા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિમાનમાં એક વ્યક્તિએ મહિલા પર પેશાબ કર્યો હતો. તે બાદ પણ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અનેક વખત મારામારીના પણ વીડિયો સામે આવી રહ્યા છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.