2023માં આ ફિલ્મો થવાની છે રિલીઝ, સલમાન, શાહરૂખ ખાનની ફિલ્મોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2022-12-11 19:21:11

2022માં એવી ઘણી ફિલ્મો આવી, જેને દર્શકો જોવી પસંદ કરી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન દર્શકો ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો તેમજ વેબ સિરિઝ જોવા લાગ્યા હતા. પરંતુ ધીરે ધીરે લોકો થિયેટરમાં જઈ ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે. 2022માં આવેલી ગંગૂબાઈ, બ્રહ્માસ્ત્ર તેમજ દ્રશ્યમ 2 જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ત્યારે 2023માં એવી અનેક ફિલ્મો આવવાની છે મનોરંજન પૂરૂ પાડશે.



પઠાણ તેમજ ટાઈગર-2 થશે રિલીઝ

જાન્યુઆરી 2023માં શાહરૂખ ખાન, દિપીકા પાદુકોણ સહિતના કલાકારોની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સ્ટંટ અને એક્શનની ભરપૂર હશે. એવું માનવામાં આવી રહ્યું છે. પઠાણ પછી ટાઈગર-2 પર રિલીઝ થવાની છે. જેમાં સલમાન ખાન અને કેટરીના કેફ જોવા મળશે. મનીષ શર્મા દ્વારા આ ફિલ્મ ડાયરેટ કરવામાં આવી છે.


Adipurush (2023) - IMDb

આદિ પુરૂષ પણ થવાની છે રિલીઝ

આ સિવાય શાહરૂખ ખાનની બીજી ફિલ્મ જવાન પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન નવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ પણ દેખાઈ શકે છે. ઉપરાંત સલમાન ખાનની પણ ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાન ફિલ્મ મોટા પડદા પર આવાની છે. આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ આવશે. આ સિવાય રણવીર કપૂરની ફિલ્મ એનિમલ પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે. ઉપરાંત બહુ ચર્ચિત આદિ પુરૂષ પણ રિલીઝ થવાની છે.      




જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.