2023માં આ ફિલ્મો થવાની છે રિલીઝ, સલમાન, શાહરૂખ ખાનની ફિલ્મોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2022-12-11 19:21:11

2022માં એવી ઘણી ફિલ્મો આવી, જેને દર્શકો જોવી પસંદ કરી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન દર્શકો ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો તેમજ વેબ સિરિઝ જોવા લાગ્યા હતા. પરંતુ ધીરે ધીરે લોકો થિયેટરમાં જઈ ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે. 2022માં આવેલી ગંગૂબાઈ, બ્રહ્માસ્ત્ર તેમજ દ્રશ્યમ 2 જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ત્યારે 2023માં એવી અનેક ફિલ્મો આવવાની છે મનોરંજન પૂરૂ પાડશે.



પઠાણ તેમજ ટાઈગર-2 થશે રિલીઝ

જાન્યુઆરી 2023માં શાહરૂખ ખાન, દિપીકા પાદુકોણ સહિતના કલાકારોની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સ્ટંટ અને એક્શનની ભરપૂર હશે. એવું માનવામાં આવી રહ્યું છે. પઠાણ પછી ટાઈગર-2 પર રિલીઝ થવાની છે. જેમાં સલમાન ખાન અને કેટરીના કેફ જોવા મળશે. મનીષ શર્મા દ્વારા આ ફિલ્મ ડાયરેટ કરવામાં આવી છે.


Adipurush (2023) - IMDb

આદિ પુરૂષ પણ થવાની છે રિલીઝ

આ સિવાય શાહરૂખ ખાનની બીજી ફિલ્મ જવાન પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન નવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ પણ દેખાઈ શકે છે. ઉપરાંત સલમાન ખાનની પણ ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાન ફિલ્મ મોટા પડદા પર આવાની છે. આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ આવશે. આ સિવાય રણવીર કપૂરની ફિલ્મ એનિમલ પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે. ઉપરાંત બહુ ચર્ચિત આદિ પુરૂષ પણ રિલીઝ થવાની છે.      




રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.