2023માં આ ફિલ્મો થવાની છે રિલીઝ, સલમાન, શાહરૂખ ખાનની ફિલ્મોનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2022-12-11 19:21:11

2022માં એવી ઘણી ફિલ્મો આવી, જેને દર્શકો જોવી પસંદ કરી રહ્યા છે. કોરોના કાળ દરમિયાન દર્શકો ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો તેમજ વેબ સિરિઝ જોવા લાગ્યા હતા. પરંતુ ધીરે ધીરે લોકો થિયેટરમાં જઈ ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે. 2022માં આવેલી ગંગૂબાઈ, બ્રહ્માસ્ત્ર તેમજ દ્રશ્યમ 2 જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ત્યારે 2023માં એવી અનેક ફિલ્મો આવવાની છે મનોરંજન પૂરૂ પાડશે.



પઠાણ તેમજ ટાઈગર-2 થશે રિલીઝ

જાન્યુઆરી 2023માં શાહરૂખ ખાન, દિપીકા પાદુકોણ સહિતના કલાકારોની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ સ્ટંટ અને એક્શનની ભરપૂર હશે. એવું માનવામાં આવી રહ્યું છે. પઠાણ પછી ટાઈગર-2 પર રિલીઝ થવાની છે. જેમાં સલમાન ખાન અને કેટરીના કેફ જોવા મળશે. મનીષ શર્મા દ્વારા આ ફિલ્મ ડાયરેટ કરવામાં આવી છે.


Adipurush (2023) - IMDb

આદિ પુરૂષ પણ થવાની છે રિલીઝ

આ સિવાય શાહરૂખ ખાનની બીજી ફિલ્મ જવાન પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન નવા અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિપીકા પાદુકોણ પણ દેખાઈ શકે છે. ઉપરાંત સલમાન ખાનની પણ ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાન ફિલ્મ મોટા પડદા પર આવાની છે. આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ આવશે. આ સિવાય રણવીર કપૂરની ફિલ્મ એનિમલ પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે. ઉપરાંત બહુ ચર્ચિત આદિ પુરૂષ પણ રિલીઝ થવાની છે.      




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.