આ હિંદી સિરિયલો છે ગુજરાતી કલ્ચરથી પ્રભાવિત


  • Published By :
  • Published Date : 2022-12-04 12:51:54

ટેલિવિઝન પર અનેક શો આવી છે. અનેક શોએ લોકોના દિલમાં ઓવી જગ્યા બનાવી દીધી છે. અનેક ટેલિવિઝન શો ગુજરાતી સંસ્કૃતિને મોટા પડદા પર તેમજ લોકોના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. છેલ્લા અનેક વર્ષોથી એવા શો આવી રહ્યા છે જેમાં ગુજરાતી પરિવારને, તેમની રહેણી કરણીને દર્શાવામાં આવ્યો છે. હાલ સૌથી વધુ લોકપ્રિય બનેલી અનુપમા સિરિયલમાં પણ ગુજરાતી કલ્ચર તેમજ અમદાવાદને બતાવામાં આવ્યું છે.

anupama and Yeh Rishta Kya Kehlata Hai shooting will be in Gujarat

Ba, Bahu aur Baby' to follow Big B on Star Plus

ઘણા વર્ષો પહેલા બા બહુ ઓર બેબી સિરિયલ આવી હતી જેમાં ગુજરાતી કલ્ચરને બખુબી બતાવામાં આવ્યો હતો. 2005માં આવેલી કોમેડી તેમજ પારિવારીક સિરિયલમાં સરિતા જોષીએ ગોદાવરી બાની ભૂમિકા ભજવી હતી. વૈશાલી ઠક્કર પ્રવિણાના રોલમાં દેખાયા હતા જ્યારે રાજેશ કુમાર સુબોધના રોલમાં જોવા મળ્યા હતા. દેવેન ભોગાણીએ ગટ્ટુનું પાત્ર ભજવ્યું હતું. તે ઉપરાંત અનેક કલાકારોએ આ સિરિયલમાં ભૂમિકા ભજવી છે.   

Khichdi Episode 1 | Khichdi Serial Episode 1 to 155 All Episodes | Full  Review | Star Plus | - YouTube

બા બહુ ઓર બેબી સિવાય ગુજરાતી કલ્ચર ખીચડીમાં દેખાડવામાં આવ્યું છે. અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક તેમજ રાજીવ મહેતા સહિતના કલાકારોએ ખીચડીમાં ગુજરાતીઓનો રોલ ભજવ્યો હતો. આ સિરિયલ 2002માં આવી હતી. હંસા, હિમાંશુ, બાપુજી તેમજ પ્રફૂલનું કેરેક્ટર આજે પણ લોકોના દિલમાં જીવે છે. 

Saath Nibhana Saathiya Season 2 to be launch in October devoleena  bhattacharjee and Rupal Patel part of the show - 'साथ निभाना साथिया' के  फैन्स के लिए खुशखबरी, जानिए कब लॉन्च होगा

સાથ નિભાના સાથિયામાં પણ ગુજરાતી કલ્ચરને સારી રીતે પડદા પર દર્શાવામાં આવ્યું છે. કોકિલા, ગોપી બહુ, અહેમ તેમજ બીજા કલાકારે ગુજરાતી કલ્ચરને દર્શાવી છે. આ સિવાય ક્યુંકી સાસ ભી કભી બહુથીમાં પણ ગુજરાતી સંસ્કૃતિને બતાવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને ખુશ થયો ICUનો દર્દી, તસ્વીર થઈ Viral - GSTV

આ ઉપરાંત છેલ્લા અનેક વર્ષોથી લોકોના દિલમાં વાસ કરતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ ગુજરાતી કલ્ચર બતાવામાં આવ્યું છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી, દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ આ શોમાં ગુજરાતીની ભૂમિકા ભજવી છે. આ શો લગભગ 14 વર્ષથી સબ ટીવીમાં ચાલી રહ્યો છે. આવી સિરિયલોને કારણે લોકો ગુજરાતને સમજતા થયા ઉપરાંત થોડી થોડી ગુજરાતી ભાષાને સમજતા થયા.             



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.