આ હિંદી સિરિયલો છે ગુજરાતી કલ્ચરથી પ્રભાવિત


  • Published By :
  • Published Date : 2022-12-04 12:51:54

ટેલિવિઝન પર અનેક શો આવી છે. અનેક શોએ લોકોના દિલમાં ઓવી જગ્યા બનાવી દીધી છે. અનેક ટેલિવિઝન શો ગુજરાતી સંસ્કૃતિને મોટા પડદા પર તેમજ લોકોના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. છેલ્લા અનેક વર્ષોથી એવા શો આવી રહ્યા છે જેમાં ગુજરાતી પરિવારને, તેમની રહેણી કરણીને દર્શાવામાં આવ્યો છે. હાલ સૌથી વધુ લોકપ્રિય બનેલી અનુપમા સિરિયલમાં પણ ગુજરાતી કલ્ચર તેમજ અમદાવાદને બતાવામાં આવ્યું છે.

anupama and Yeh Rishta Kya Kehlata Hai shooting will be in Gujarat

Ba, Bahu aur Baby' to follow Big B on Star Plus

ઘણા વર્ષો પહેલા બા બહુ ઓર બેબી સિરિયલ આવી હતી જેમાં ગુજરાતી કલ્ચરને બખુબી બતાવામાં આવ્યો હતો. 2005માં આવેલી કોમેડી તેમજ પારિવારીક સિરિયલમાં સરિતા જોષીએ ગોદાવરી બાની ભૂમિકા ભજવી હતી. વૈશાલી ઠક્કર પ્રવિણાના રોલમાં દેખાયા હતા જ્યારે રાજેશ કુમાર સુબોધના રોલમાં જોવા મળ્યા હતા. દેવેન ભોગાણીએ ગટ્ટુનું પાત્ર ભજવ્યું હતું. તે ઉપરાંત અનેક કલાકારોએ આ સિરિયલમાં ભૂમિકા ભજવી છે.   

Khichdi Episode 1 | Khichdi Serial Episode 1 to 155 All Episodes | Full  Review | Star Plus | - YouTube

બા બહુ ઓર બેબી સિવાય ગુજરાતી કલ્ચર ખીચડીમાં દેખાડવામાં આવ્યું છે. અનંગ દેસાઈ, સુપ્રિયા પાઠક તેમજ રાજીવ મહેતા સહિતના કલાકારોએ ખીચડીમાં ગુજરાતીઓનો રોલ ભજવ્યો હતો. આ સિરિયલ 2002માં આવી હતી. હંસા, હિમાંશુ, બાપુજી તેમજ પ્રફૂલનું કેરેક્ટર આજે પણ લોકોના દિલમાં જીવે છે. 

Saath Nibhana Saathiya Season 2 to be launch in October devoleena  bhattacharjee and Rupal Patel part of the show - 'साथ निभाना साथिया' के  फैन्स के लिए खुशखबरी, जानिए कब लॉन्च होगा

સાથ નિભાના સાથિયામાં પણ ગુજરાતી કલ્ચરને સારી રીતે પડદા પર દર્શાવામાં આવ્યું છે. કોકિલા, ગોપી બહુ, અહેમ તેમજ બીજા કલાકારે ગુજરાતી કલ્ચરને દર્શાવી છે. આ સિવાય ક્યુંકી સાસ ભી કભી બહુથીમાં પણ ગુજરાતી સંસ્કૃતિને બતાવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈને ખુશ થયો ICUનો દર્દી, તસ્વીર થઈ Viral - GSTV

આ ઉપરાંત છેલ્લા અનેક વર્ષોથી લોકોના દિલમાં વાસ કરતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પણ ગુજરાતી કલ્ચર બતાવામાં આવ્યું છે. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી, દયાબેન ઉર્ફે દિશા વાકાણીએ આ શોમાં ગુજરાતીની ભૂમિકા ભજવી છે. આ શો લગભગ 14 વર્ષથી સબ ટીવીમાં ચાલી રહ્યો છે. આવી સિરિયલોને કારણે લોકો ગુજરાતને સમજતા થયા ઉપરાંત થોડી થોડી ગુજરાતી ભાષાને સમજતા થયા.             



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.