મહિલા આરક્ષણ બિલ વિરૂદ્ધ આ બે સાંસદોએ લોકસભામાં કર્યા હતા વોટ, જાણો શું કહ્યું સાંસદોએ?


  • Published By :
  • Published Date : 2023-09-21 17:33:17

ગઈકાલે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલના સમર્થનમાં કુલ 454 વોટ પડ્યા હતા જ્યારે બે સાંસદોએ આ બિલ વિરૂદ્ધ વોટ કર્યા હતા. આ બિલના વિરોધમાં માત્ર  બે વોટ પડ્યા હતા અને આ વોટ કોણે આપ્યા છે તેની જાણકારી સામે આવી છે. જે સાંસદોએ આ બિલ વિરૂદ્ધ વોટ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાર્ટીના સાંસદ ઈમ્તિયાજ જલીલ છે. આ બંને સાંસદોએ આ બિલ વિરૂદ્ધ વોટ કર્યા હતા,



શું કહ્યું ઓવૈસીએ બિલને લઈ? 

મીડિયાને ઈન્ટરવ્યુ આપતા ઓવૈસીએ કહ્યું હતું કે "બે બાબતો છે. એક, આ દેશમાં ઓબીસીની વસ્તી 50 ટકાથી વધુ છે. આજે લોકસભામાં તેમના માત્ર 22 ટકા સાંસદો છે. ઉચ્ચ જાતિના સાંસદોની સંખ્યા 232 છે. તેથી તમે તેમને અનામત નહીં આપો. (ઓબીસી) મહિલાઓ. બીજું, મુસ્લિમ મહિલાઓ... 17મી લોકસભા સુધી 600થી વધુ મહિલાઓ સાંસદ બની છે, જેમાંથી 25 મુસ્લિમ છે. મુસ્લિમ મહિલાઓની વસ્તી 7 ટકા છે. હવે 2.7 ટકા લોકસભામાં છે તેમને સામેલ ન કરીને તમે શું ન્યાય કરશો."



સંસદમાં સોનિયા ગાંધીએ કર્યા રાજીવ ગાંધીને યાદ

સંસદમાં વિશેષ સત્રનો ગઈકાલે ત્રીજો દિવસ હતો. આ વિશેષ સત્રમાં અનેક બિલોને લઈ ચર્ચા કરવામાં આવશે. અનેક બિલો પેશ કરવામાં આવશે. ત્યારે ગઈકાલે લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને ઐતિહાસિક બિલ ગણવામાં આવે છે. સાંસદોએ આ બિલને સમર્થન તો આપ્યું, તેની તરફેણમાં વોટ પણ કર્યા પરંતુ રાજનીતિ શરૂ થઈ ગઈ હતી. સોનિયા ગાંધીએ પોતાના ભાષણમાં રાજીવ ગાંધીને યાદ કર્યા હતા તો ડીએમકે તેમજ ટીએમસીના સાંસદોએ પણ બિલને લઈ પોતાના વિચાર રજૂ કર્યા હતા.  


તમામ પાર્ટીઓએ આપ્યું આ બિલને સમર્થન

લોકસભા મહિલા અનામત બિલને બે તૃતીયાંશ બહુમતી મળી હતી. બહુમતી મળતા જ તે લોકસભામાં પસાર થયું. મહિલા અનામત બિલની તરફેણમાં 454 મત પડ્યા હતા. 454 વોટ બિલના સમર્થનમાં મળ્યા છે જ્યારે તેના વિરોધમાં માત્ર 2 મત પડ્યા હતા. જો બંધારણમાં સુધારો કરવો હોય તો ગૃહની બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. જ્યારે સામાન્ય બિલ પસાર કરવા માટે 50 ટકાથી વધુ સભ્યો ગૃહમાં હાજર હોવા જોઈએ. તે બે તૃતીયાંશ બહુમતીથી પસાર થવો જોઈએ. પરંતુ આ બંધારણ સંશોધન બિલ હતું, તેથી કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષી દળોએ પણ સરકારને ટેકો આપ્યો હતો. જોકે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ સરકાર સાથે ઉભા જોવા મળ્યા હતા.



શું છે આ બિલમાં?

મહિલા આરક્ષણ બિલ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અથવા એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની દરખાસ્ત કરે છે. આ બિલમાં 33 ટકા ક્વોટાની અંદર SC, ST અને એંગ્લો-ઈન્ડિયન માટે પેટા-આરક્ષણનો પણ પ્રસ્તાવ છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો રોટેટ કરવામાં આવવી જોઈએ. રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં વિવિધ મતવિસ્તારોમાં રોટેશન દ્વારા અનામત બેઠકો ફાળવવામાં આવી શકે છે. આ સુધારો અધિનિયમ લાગુ થયાના 15 વર્ષ પછી મહિલાઓ માટે અનામત અનામત સમાપ્ત થઈ જશે.




27 વર્ષથી પેન્ડિંગ છે આરક્ષણ બિલ

મહિલા આરક્ષણ બિલ લગભગ 27 વર્ષથી પેન્ડિંગ છે, હવે આ બિલ સંસદના ટેબલ પર આવશે. આંકડાઓ અનુસાર, લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે રાજ્યની વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. છેલ્લી વખત આ મુદ્દા પર કાર્યવાહી 2010 માં કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાએ હોબાળા વચ્ચે બિલ પસાર કર્યું હતું અને માર્શલ્સે મહિલાઓ માટે 33 ટકા અનામતનો વિરોધ કરતા કેટલાક સાંસદોને બહાર કાઢ્યા હતા. જો કે, આ બિલ રદ્દ કરવામાં આવ્યું કારણ કે તે લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.