લો બોલો... સોના ચાંદીની નહીં પરંતુ ચોરોએ કરી ટામેટાની ચોરી! જાણો ક્યાં બન્યો આ કિસ્સો અને શું થઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-07-06 13:53:34

એક સમય હતો જ્યારે સોના ચાંદીના ઘરેણાઓની કે કિંમતી વસ્તુઓની ચોરી થતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ચોરો ઘરેણાઓની ચોરી નહીં પરંતુ ટામેટાની ચોરી કરી રહ્યા છે. જી હા, ખેતરમાંથી લાખો રુપિયાના ટામેટાની ચોરી થઈ હોવાનો દાવો કર્ણાટકના એક ખેડૂત કરી રહ્યા છે. કર્ણાટકના હાસન જિલ્લામાં ટામેટા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂત આરોપ લગાવી રહ્યો છે કે ચોરોએ ખેતરમાંથી અનેક કિલો ટામેટાની ચોરી કરી છે જેની કિંમત લાખોમાં થાય છે. પોલીસે અજ્ઞાત ચોરો વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે.

 


2.5 લાખના ટામેટાની થઈ ચોરી!

ટામેટાના ભાવમાં એકાએક વધારો થઈ ગયો છે. થોડા સમય પહેલા જે ટામેટાના ભાવ 20-30 રુપિયા કિલો બોલાતા હતા તે જ ટામેટાના ભાવમાં અનેક ઘણો વધારો થયો છે. 100થી 150 રુપિયા કિલો ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે. એકાએક ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ખેડૂતો પોતાના ટામેટાના પાકને લઈ ચિંતિત થયા છે.ત્યારે કર્ણાટકથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચોરોએ સોના ચાંદીના ઘરેણા નહીં પરંતુ ટામેટાના ખેતરમાં હાથ સાફ કર્યો હતો. ચોરોએ અનેક કિલો ટામેટાની ચોરી કરી જેને લઈ ખેડૂતને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ટામેટાની ચોરી થઈ હોય તેવો દાવો ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા અજ્ઞાત ચોર વિરુદ્ધ તપાસ આરંભી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર અંદાજીત 2.5 લાખના ટામેટાઓ ચોર ચોરી કરીને લઈ ગયા છે. 



અનેક શાકભાજીના ભાવમાં થયો વધારો 

ટામેટાના ભાવ વધવાની પાછળ અનેક કારણો જવાબદાર છે. ન માત્ર ટામેટાના પરંતુ અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આદુ, મરચા સહિતના ભાવોમાં ધરખમ વધારો થયો છે. ત્યારે આવનાર દિવસોમાં ટામેટા 200 રૂપિયે કિલોએ પણ મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.