લો બોલો... સોના ચાંદીની નહીં પરંતુ ચોરોએ કરી ટામેટાની ચોરી! જાણો ક્યાં બન્યો આ કિસ્સો અને શું થઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-07-06 13:53:34

એક સમય હતો જ્યારે સોના ચાંદીના ઘરેણાઓની કે કિંમતી વસ્તુઓની ચોરી થતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ચોરો ઘરેણાઓની ચોરી નહીં પરંતુ ટામેટાની ચોરી કરી રહ્યા છે. જી હા, ખેતરમાંથી લાખો રુપિયાના ટામેટાની ચોરી થઈ હોવાનો દાવો કર્ણાટકના એક ખેડૂત કરી રહ્યા છે. કર્ણાટકના હાસન જિલ્લામાં ટામેટા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂત આરોપ લગાવી રહ્યો છે કે ચોરોએ ખેતરમાંથી અનેક કિલો ટામેટાની ચોરી કરી છે જેની કિંમત લાખોમાં થાય છે. પોલીસે અજ્ઞાત ચોરો વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે.

 


2.5 લાખના ટામેટાની થઈ ચોરી!

ટામેટાના ભાવમાં એકાએક વધારો થઈ ગયો છે. થોડા સમય પહેલા જે ટામેટાના ભાવ 20-30 રુપિયા કિલો બોલાતા હતા તે જ ટામેટાના ભાવમાં અનેક ઘણો વધારો થયો છે. 100થી 150 રુપિયા કિલો ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે. એકાએક ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ખેડૂતો પોતાના ટામેટાના પાકને લઈ ચિંતિત થયા છે.ત્યારે કર્ણાટકથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચોરોએ સોના ચાંદીના ઘરેણા નહીં પરંતુ ટામેટાના ખેતરમાં હાથ સાફ કર્યો હતો. ચોરોએ અનેક કિલો ટામેટાની ચોરી કરી જેને લઈ ખેડૂતને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ટામેટાની ચોરી થઈ હોય તેવો દાવો ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા અજ્ઞાત ચોર વિરુદ્ધ તપાસ આરંભી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર અંદાજીત 2.5 લાખના ટામેટાઓ ચોર ચોરી કરીને લઈ ગયા છે. 



અનેક શાકભાજીના ભાવમાં થયો વધારો 

ટામેટાના ભાવ વધવાની પાછળ અનેક કારણો જવાબદાર છે. ન માત્ર ટામેટાના પરંતુ અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આદુ, મરચા સહિતના ભાવોમાં ધરખમ વધારો થયો છે. ત્યારે આવનાર દિવસોમાં ટામેટા 200 રૂપિયે કિલોએ પણ મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.