લો બોલો... સોના ચાંદીની નહીં પરંતુ ચોરોએ કરી ટામેટાની ચોરી! જાણો ક્યાં બન્યો આ કિસ્સો અને શું થઈ કાર્યવાહી?


  • Published By :
  • Published Date : 2023-07-06 13:53:34

એક સમય હતો જ્યારે સોના ચાંદીના ઘરેણાઓની કે કિંમતી વસ્તુઓની ચોરી થતી હતી. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. ચોરો ઘરેણાઓની ચોરી નહીં પરંતુ ટામેટાની ચોરી કરી રહ્યા છે. જી હા, ખેતરમાંથી લાખો રુપિયાના ટામેટાની ચોરી થઈ હોવાનો દાવો કર્ણાટકના એક ખેડૂત કરી રહ્યા છે. કર્ણાટકના હાસન જિલ્લામાં ટામેટા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂત આરોપ લગાવી રહ્યો છે કે ચોરોએ ખેતરમાંથી અનેક કિલો ટામેટાની ચોરી કરી છે જેની કિંમત લાખોમાં થાય છે. પોલીસે અજ્ઞાત ચોરો વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે.

 


2.5 લાખના ટામેટાની થઈ ચોરી!

ટામેટાના ભાવમાં એકાએક વધારો થઈ ગયો છે. થોડા સમય પહેલા જે ટામેટાના ભાવ 20-30 રુપિયા કિલો બોલાતા હતા તે જ ટામેટાના ભાવમાં અનેક ઘણો વધારો થયો છે. 100થી 150 રુપિયા કિલો ટામેટા બજારમાં વેચાઈ રહ્યા છે. એકાએક ભાવ વધારાને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. ખેડૂતો પોતાના ટામેટાના પાકને લઈ ચિંતિત થયા છે.ત્યારે કર્ણાટકથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ચોરોએ સોના ચાંદીના ઘરેણા નહીં પરંતુ ટામેટાના ખેતરમાં હાથ સાફ કર્યો હતો. ચોરોએ અનેક કિલો ટામેટાની ચોરી કરી જેને લઈ ખેડૂતને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ટામેટાની ચોરી થઈ હોય તેવો દાવો ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા અજ્ઞાત ચોર વિરુદ્ધ તપાસ આરંભી છે. ખેડૂતના જણાવ્યા અનુસાર અંદાજીત 2.5 લાખના ટામેટાઓ ચોર ચોરી કરીને લઈ ગયા છે. 



અનેક શાકભાજીના ભાવમાં થયો વધારો 

ટામેટાના ભાવ વધવાની પાછળ અનેક કારણો જવાબદાર છે. ન માત્ર ટામેટાના પરંતુ અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આદુ, મરચા સહિતના ભાવોમાં ધરખમ વધારો થયો છે. ત્યારે આવનાર દિવસોમાં ટામેટા 200 રૂપિયે કિલોએ પણ મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.