દિલ્હીમાં લૂંટના ઈરાદે આવેલા ચોરોએ સામેથી કપલને આપ્યા રુપિયા! જાણો શું છે સમગ્ર મામલો અને પોલીસે કેવી રીતે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-26 13:25:14

આપણે જ્યારે ચોરોનું નામ સાંભળીએ ત્યારે આપણને લાગે કે ચોર માત્ર ચોરી કરે. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જે બાદ લોકો તેમને દયાવાન ચોર કહી રહ્યા છે. વાત એવી છે કે ચોર દંપત્તિને લૂંટવા આવ્યા. અનેક વખત તલાશી લીધી પરંતુ તેમની પાસેથી માત્ર 20 રૂપિયા જ મળી આવ્યા. ત્યારે ચોરોએ ચાલવા નીકળેલા દંપત્તિને સામેથી 100 રુપિયા આપ્યા. 100 રુપિયા આપી લૂંટેરાઓ ફરાર થઈ ગયા પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસ સુધી આ વાત પહોંચી અને આસપાસના સીસીટીવી ચેક કરી તપાસ આરંભી અને ચોરોને પકડી પાડ્યા છે.         



ચાલવા નીકળેલા દંપત્તિને લૂંટવાનો કરાયો પ્રયાસ 

જો તમને કોઈ કહે કે તમે દયાવાન ચોરોને જોયા છે તો તમે શું કહેશો? જવાબમાં ના જ મળશે. તમને એમ થતું હશે કે ચોર છે તો ચોરી જ કરે ને. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જેમાં જે લોકોને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો તેમને જ પૈસા આપી લૂંટેરાઓ જતા રહ્યા. જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના છે 21 જૂન રાતની. એક દંપત્તિ રાતના સમયે ચાલવા નીકળે છે ત્યારે બે બૂંદૂક ધારી ચોરો ચોરીને અંજામ આપવા ત્યાં આવી પહોંચે છે અને તે દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરે છે. જ્યારે ચોરો દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ ઘટના ત્યાં ઉભેલા વ્યક્તિએ પોતાના કેમેરામાં કેપ્ચર કરી લીધી. અને સાથે જ આ મામલે પોલીસને જાણકારી આપી. 


પોલીસે આ મામલે નોંધી ફરિયાદ 

જાણકારી મળતા જ ફર્શ બજાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને દંપત્તિ સાથે વાતચીત કરી. પોલીસને જણાવતી વખતે દંપત્તિએ જણાવ્યું કે બંદૂક બતાવી અમને રોકી અમને લૂંટવાનો પ્રયાસ કર્યો. જ્યારે તલાશી લઈ રહ્યા હતા ત્યારે અમારી પાસે માત્ર 20 રૂપિયા જ હતા. માત્ર 20 રુપિયા મળતા ફરી એક વખત તલાશી લેવામાં  આવી પરંતુ તો પણ 20 રુપિયા સિવાય કંઈ ન મળ્યું. લૂંટવા માટે કંઈ ન મળ્યું ત્યારે તેઓ 100 રુપિયા આપીને ફરાર થઈ ગયા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.    



દયાવાન ચોરો આવ્યા પોલીસ કસ્ટડીમાં 

ચોરોને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જે વિસ્તારમાં દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વિસ્તાર તેમજ આસપાસની જગ્યાઓના સીસીટીવી તપાસ્યા. અંદાજીત 200 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને અંતે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.