દિલ્હીમાં લૂંટના ઈરાદે આવેલા ચોરોએ સામેથી કપલને આપ્યા રુપિયા! જાણો શું છે સમગ્ર મામલો અને પોલીસે કેવી રીતે કરી કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-26 13:25:14

આપણે જ્યારે ચોરોનું નામ સાંભળીએ ત્યારે આપણને લાગે કે ચોર માત્ર ચોરી કરે. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જે બાદ લોકો તેમને દયાવાન ચોર કહી રહ્યા છે. વાત એવી છે કે ચોર દંપત્તિને લૂંટવા આવ્યા. અનેક વખત તલાશી લીધી પરંતુ તેમની પાસેથી માત્ર 20 રૂપિયા જ મળી આવ્યા. ત્યારે ચોરોએ ચાલવા નીકળેલા દંપત્તિને સામેથી 100 રુપિયા આપ્યા. 100 રુપિયા આપી લૂંટેરાઓ ફરાર થઈ ગયા પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસ સુધી આ વાત પહોંચી અને આસપાસના સીસીટીવી ચેક કરી તપાસ આરંભી અને ચોરોને પકડી પાડ્યા છે.         



ચાલવા નીકળેલા દંપત્તિને લૂંટવાનો કરાયો પ્રયાસ 

જો તમને કોઈ કહે કે તમે દયાવાન ચોરોને જોયા છે તો તમે શું કહેશો? જવાબમાં ના જ મળશે. તમને એમ થતું હશે કે ચોર છે તો ચોરી જ કરે ને. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જેમાં જે લોકોને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો તેમને જ પૈસા આપી લૂંટેરાઓ જતા રહ્યા. જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના છે 21 જૂન રાતની. એક દંપત્તિ રાતના સમયે ચાલવા નીકળે છે ત્યારે બે બૂંદૂક ધારી ચોરો ચોરીને અંજામ આપવા ત્યાં આવી પહોંચે છે અને તે દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરે છે. જ્યારે ચોરો દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ ઘટના ત્યાં ઉભેલા વ્યક્તિએ પોતાના કેમેરામાં કેપ્ચર કરી લીધી. અને સાથે જ આ મામલે પોલીસને જાણકારી આપી. 


પોલીસે આ મામલે નોંધી ફરિયાદ 

જાણકારી મળતા જ ફર્શ બજાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને દંપત્તિ સાથે વાતચીત કરી. પોલીસને જણાવતી વખતે દંપત્તિએ જણાવ્યું કે બંદૂક બતાવી અમને રોકી અમને લૂંટવાનો પ્રયાસ કર્યો. જ્યારે તલાશી લઈ રહ્યા હતા ત્યારે અમારી પાસે માત્ર 20 રૂપિયા જ હતા. માત્ર 20 રુપિયા મળતા ફરી એક વખત તલાશી લેવામાં  આવી પરંતુ તો પણ 20 રુપિયા સિવાય કંઈ ન મળ્યું. લૂંટવા માટે કંઈ ન મળ્યું ત્યારે તેઓ 100 રુપિયા આપીને ફરાર થઈ ગયા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.    



દયાવાન ચોરો આવ્યા પોલીસ કસ્ટડીમાં 

ચોરોને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જે વિસ્તારમાં દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વિસ્તાર તેમજ આસપાસની જગ્યાઓના સીસીટીવી તપાસ્યા. અંદાજીત 200 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને અંતે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.