દિલ્હીમાં લૂંટના ઈરાદે આવેલા ચોરોએ સામેથી કપલને આપ્યા રુપિયા! જાણો શું છે સમગ્ર મામલો અને પોલીસે કેવી રીતે કરી કાર્યવાહી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-26 13:25:14

આપણે જ્યારે ચોરોનું નામ સાંભળીએ ત્યારે આપણને લાગે કે ચોર માત્ર ચોરી કરે. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જે બાદ લોકો તેમને દયાવાન ચોર કહી રહ્યા છે. વાત એવી છે કે ચોર દંપત્તિને લૂંટવા આવ્યા. અનેક વખત તલાશી લીધી પરંતુ તેમની પાસેથી માત્ર 20 રૂપિયા જ મળી આવ્યા. ત્યારે ચોરોએ ચાલવા નીકળેલા દંપત્તિને સામેથી 100 રુપિયા આપ્યા. 100 રુપિયા આપી લૂંટેરાઓ ફરાર થઈ ગયા પરંતુ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. પોલીસ સુધી આ વાત પહોંચી અને આસપાસના સીસીટીવી ચેક કરી તપાસ આરંભી અને ચોરોને પકડી પાડ્યા છે.         



ચાલવા નીકળેલા દંપત્તિને લૂંટવાનો કરાયો પ્રયાસ 

જો તમને કોઈ કહે કે તમે દયાવાન ચોરોને જોયા છે તો તમે શું કહેશો? જવાબમાં ના જ મળશે. તમને એમ થતું હશે કે ચોર છે તો ચોરી જ કરે ને. પરંતુ દિલ્હીથી એક એવી ઘટના સામે આવી છે જેમાં જે લોકોને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો તેમને જ પૈસા આપી લૂંટેરાઓ જતા રહ્યા. જે ઘટનાની વાત કરીએ છીએ તે ઘટના છે 21 જૂન રાતની. એક દંપત્તિ રાતના સમયે ચાલવા નીકળે છે ત્યારે બે બૂંદૂક ધારી ચોરો ચોરીને અંજામ આપવા ત્યાં આવી પહોંચે છે અને તે દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરે છે. જ્યારે ચોરો દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ ઘટના ત્યાં ઉભેલા વ્યક્તિએ પોતાના કેમેરામાં કેપ્ચર કરી લીધી. અને સાથે જ આ મામલે પોલીસને જાણકારી આપી. 


પોલીસે આ મામલે નોંધી ફરિયાદ 

જાણકારી મળતા જ ફર્શ બજાર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને દંપત્તિ સાથે વાતચીત કરી. પોલીસને જણાવતી વખતે દંપત્તિએ જણાવ્યું કે બંદૂક બતાવી અમને રોકી અમને લૂંટવાનો પ્રયાસ કર્યો. જ્યારે તલાશી લઈ રહ્યા હતા ત્યારે અમારી પાસે માત્ર 20 રૂપિયા જ હતા. માત્ર 20 રુપિયા મળતા ફરી એક વખત તલાશી લેવામાં  આવી પરંતુ તો પણ 20 રુપિયા સિવાય કંઈ ન મળ્યું. લૂંટવા માટે કંઈ ન મળ્યું ત્યારે તેઓ 100 રુપિયા આપીને ફરાર થઈ ગયા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.    



દયાવાન ચોરો આવ્યા પોલીસ કસ્ટડીમાં 

ચોરોને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જે વિસ્તારમાં દંપત્તિને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વિસ્તાર તેમજ આસપાસની જગ્યાઓના સીસીટીવી તપાસ્યા. અંદાજીત 200 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને અંતે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.  



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.