તારક મહેતા શોના આ કલાકારે કહ્યું દુનિયાને અલવિદા, ચાહકોમાં છવાઈ શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-01-14 13:25:52

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. દર્શકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ શોના સેટ પરથી ખરાબ સમાચાર આવ્યા છે. સિરિયલમાં તેમજ અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરનાર સુનીલ હોલકરનું નિધન થયું છે. 40 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં તેમજ પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.


અનેક કલાકારોએ શોને કહ્યો છે અલવિદા  

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં સૌથી લાંબો શો તારક મહેતાને માનવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી ટીવી જગતમાં તે રાજ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કલાકારો શોને છોડી રહ્યા છે. દિશા વાકાણી, શૈલેષ લોઢા સહિતના કલાકારોએ શોને અલવિદા કહી દીધો છે. અનેક કલાકારો રિપ્લેશ થઈ ગયા છે. 


13 જાન્યુઆરીએ લીધા હતા અંતિમ શ્વાસ

ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભૂમિકા ભજવનાર સુનીલ હોલકરનું 40 વર્ષે નિધન થયું છે. તેમના વિદાયથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર સુનીલ હોલકર ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને લીવર સોરાયસીસ હતા. અચાનક તબિયત બગડી હતી અને 13 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. 


અનેક સિરિયલમાં કર્યું છે કામ 

સુનિલ હોલકરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. નેશનલ એવોર્ડ વિજેતા ગોશ્ત એક પૈઠાનીમાં અભિનય કર્યો હતો. તે સિવાય નાટકો, ફિલ્મો અને અનેક ટીવી સિરિયલોમાં મનોરંજન કરતા નજરે પડ્યા હતા.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.