તારક મહેતા શોના આ કલાકારે કહ્યું દુનિયાને અલવિદા, ચાહકોમાં છવાઈ શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-01-14 13:25:52

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. દર્શકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ શોના સેટ પરથી ખરાબ સમાચાર આવ્યા છે. સિરિયલમાં તેમજ અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરનાર સુનીલ હોલકરનું નિધન થયું છે. 40 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં તેમજ પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.


અનેક કલાકારોએ શોને કહ્યો છે અલવિદા  

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં સૌથી લાંબો શો તારક મહેતાને માનવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી ટીવી જગતમાં તે રાજ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કલાકારો શોને છોડી રહ્યા છે. દિશા વાકાણી, શૈલેષ લોઢા સહિતના કલાકારોએ શોને અલવિદા કહી દીધો છે. અનેક કલાકારો રિપ્લેશ થઈ ગયા છે. 


13 જાન્યુઆરીએ લીધા હતા અંતિમ શ્વાસ

ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભૂમિકા ભજવનાર સુનીલ હોલકરનું 40 વર્ષે નિધન થયું છે. તેમના વિદાયથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર સુનીલ હોલકર ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને લીવર સોરાયસીસ હતા. અચાનક તબિયત બગડી હતી અને 13 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. 


અનેક સિરિયલમાં કર્યું છે કામ 

સુનિલ હોલકરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. નેશનલ એવોર્ડ વિજેતા ગોશ્ત એક પૈઠાનીમાં અભિનય કર્યો હતો. તે સિવાય નાટકો, ફિલ્મો અને અનેક ટીવી સિરિયલોમાં મનોરંજન કરતા નજરે પડ્યા હતા.     



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .