તારક મહેતા શોના આ કલાકારે કહ્યું દુનિયાને અલવિદા, ચાહકોમાં છવાઈ શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-01-14 13:25:52

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. દર્શકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ શોના સેટ પરથી ખરાબ સમાચાર આવ્યા છે. સિરિયલમાં તેમજ અનેક મરાઠી ફિલ્મોમાં કામ કરનાર સુનીલ હોલકરનું નિધન થયું છે. 40 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનના સમાચારથી તેમના ચાહકોમાં તેમજ પરિવારમાં શોક વ્યાપી ઉઠ્યો છે.


અનેક કલાકારોએ શોને કહ્યો છે અલવિદા  

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં સૌથી લાંબો શો તારક મહેતાને માનવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી ટીવી જગતમાં તે રાજ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કલાકારો શોને છોડી રહ્યા છે. દિશા વાકાણી, શૈલેષ લોઢા સહિતના કલાકારોએ શોને અલવિદા કહી દીધો છે. અનેક કલાકારો રિપ્લેશ થઈ ગયા છે. 


13 જાન્યુઆરીએ લીધા હતા અંતિમ શ્વાસ

ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભૂમિકા ભજવનાર સુનીલ હોલકરનું 40 વર્ષે નિધન થયું છે. તેમના વિદાયથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મળતી માહિતી અનુસાર સુનીલ હોલકર ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમને લીવર સોરાયસીસ હતા. અચાનક તબિયત બગડી હતી અને 13 જાન્યુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. 


અનેક સિરિયલમાં કર્યું છે કામ 

સુનિલ હોલકરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિવાય અનેક ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. નેશનલ એવોર્ડ વિજેતા ગોશ્ત એક પૈઠાનીમાં અભિનય કર્યો હતો. તે સિવાય નાટકો, ફિલ્મો અને અનેક ટીવી સિરિયલોમાં મનોરંજન કરતા નજરે પડ્યા હતા.     



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી