ઈન્સ્યુલિન બનાવતી કંપનીએ ટ્વિટર પર ટ્વીટ કરી, 1223 કરોડનું થયું નુકસાન


  • Published By :
  • Published Date : 2022-11-12 16:40:42

એલોન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદી લીધું છે. પણ ઈલોન મસ્કના નિર્ણયો ઘણા લોકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. ટ્વીટર પર ઘણા લોકો બ્લુ ટેગ ખરીદીને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને ટ્વીટરના માધ્યમનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એલી લીલીને આવી જ રીતે અરબો રૂપિયાનું નુકસાન થયું છે. 

Image

આવી રીતે કંપની સાથે થઈ ગયો જોલ

ખેલ કંઈક આવી રીતે થયો હતો કે એલી લીલી કંપનીના નામે ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવાયું હતું. આ એકાઉન્ટ પર 8 ડોલર આપીને બ્લુ ટિક ખરીદવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ એકાઉન્ટ પરથી "ઈન્સ્યુલિન હવે ફ્રી મળશે" તેવી ટ્વીટ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઈન્સ્યુલિન બનાવતી અમેરિકી કંપનીને જે ફટકો પડ્યો તે તેને જીવન ભર યાદ રહેશે. આ ટ્વીટના કારણે કંપનીના સ્ટૉક 4.3 ટકા નીચે ગયો હતો અને કંપનીની માર્કેટ કેપને 15 અરબ ડોલરનું નુકસાન થયું હતું. કારણ કે લોકોને લાગ્યું હતું કે કંપનીના નિર્ણયથી તેમને નુકસાન થશે. જો કે ટ્વીટ તો કોઈ ફેક એકાઉન્ટે બ્લુ ટીક ખરીદીને કહ્યું હતું. 

Image



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .