ઈન્સ્યુલિન બનાવતી કંપનીએ ટ્વિટર પર ટ્વીટ કરી, 1223 કરોડનું થયું નુકસાન


  • Published By :
  • Published Date : 2022-11-12 16:40:42

એલોન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદી લીધું છે. પણ ઈલોન મસ્કના નિર્ણયો ઘણા લોકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. ટ્વીટર પર ઘણા લોકો બ્લુ ટેગ ખરીદીને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને ટ્વીટરના માધ્યમનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એલી લીલીને આવી જ રીતે અરબો રૂપિયાનું નુકસાન થયું છે. 

Image

આવી રીતે કંપની સાથે થઈ ગયો જોલ

ખેલ કંઈક આવી રીતે થયો હતો કે એલી લીલી કંપનીના નામે ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવાયું હતું. આ એકાઉન્ટ પર 8 ડોલર આપીને બ્લુ ટિક ખરીદવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ એકાઉન્ટ પરથી "ઈન્સ્યુલિન હવે ફ્રી મળશે" તેવી ટ્વીટ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઈન્સ્યુલિન બનાવતી અમેરિકી કંપનીને જે ફટકો પડ્યો તે તેને જીવન ભર યાદ રહેશે. આ ટ્વીટના કારણે કંપનીના સ્ટૉક 4.3 ટકા નીચે ગયો હતો અને કંપનીની માર્કેટ કેપને 15 અરબ ડોલરનું નુકસાન થયું હતું. કારણ કે લોકોને લાગ્યું હતું કે કંપનીના નિર્ણયથી તેમને નુકસાન થશે. જો કે ટ્વીટ તો કોઈ ફેક એકાઉન્ટે બ્લુ ટીક ખરીદીને કહ્યું હતું. 

Image



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.