ઈન્સ્યુલિન બનાવતી કંપનીએ ટ્વિટર પર ટ્વીટ કરી, 1223 કરોડનું થયું નુકસાન


  • Published By :
  • Published Date : 2022-11-12 16:40:42

એલોન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદી લીધું છે. પણ ઈલોન મસ્કના નિર્ણયો ઘણા લોકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. ટ્વીટર પર ઘણા લોકો બ્લુ ટેગ ખરીદીને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને ટ્વીટરના માધ્યમનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એલી લીલીને આવી જ રીતે અરબો રૂપિયાનું નુકસાન થયું છે. 

Image

આવી રીતે કંપની સાથે થઈ ગયો જોલ

ખેલ કંઈક આવી રીતે થયો હતો કે એલી લીલી કંપનીના નામે ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવાયું હતું. આ એકાઉન્ટ પર 8 ડોલર આપીને બ્લુ ટિક ખરીદવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ એકાઉન્ટ પરથી "ઈન્સ્યુલિન હવે ફ્રી મળશે" તેવી ટ્વીટ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઈન્સ્યુલિન બનાવતી અમેરિકી કંપનીને જે ફટકો પડ્યો તે તેને જીવન ભર યાદ રહેશે. આ ટ્વીટના કારણે કંપનીના સ્ટૉક 4.3 ટકા નીચે ગયો હતો અને કંપનીની માર્કેટ કેપને 15 અરબ ડોલરનું નુકસાન થયું હતું. કારણ કે લોકોને લાગ્યું હતું કે કંપનીના નિર્ણયથી તેમને નુકસાન થશે. જો કે ટ્વીટ તો કોઈ ફેક એકાઉન્ટે બ્લુ ટીક ખરીદીને કહ્યું હતું. 

Image



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?