ઈન્સ્યુલિન બનાવતી કંપનીએ ટ્વિટર પર ટ્વીટ કરી, 1223 કરોડનું થયું નુકસાન


  • Published By :
  • Published Date : 2022-11-12 16:40:42

એલોન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદી લીધું છે. પણ ઈલોન મસ્કના નિર્ણયો ઘણા લોકો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. ટ્વીટર પર ઘણા લોકો બ્લુ ટેગ ખરીદીને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને ટ્વીટરના માધ્યમનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. એલી લીલીને આવી જ રીતે અરબો રૂપિયાનું નુકસાન થયું છે. 

Image

આવી રીતે કંપની સાથે થઈ ગયો જોલ

ખેલ કંઈક આવી રીતે થયો હતો કે એલી લીલી કંપનીના નામે ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવાયું હતું. આ એકાઉન્ટ પર 8 ડોલર આપીને બ્લુ ટિક ખરીદવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ એકાઉન્ટ પરથી "ઈન્સ્યુલિન હવે ફ્રી મળશે" તેવી ટ્વીટ કરવામાં આવી હતી. ત્યાર બાદ ઈન્સ્યુલિન બનાવતી અમેરિકી કંપનીને જે ફટકો પડ્યો તે તેને જીવન ભર યાદ રહેશે. આ ટ્વીટના કારણે કંપનીના સ્ટૉક 4.3 ટકા નીચે ગયો હતો અને કંપનીની માર્કેટ કેપને 15 અરબ ડોલરનું નુકસાન થયું હતું. કારણ કે લોકોને લાગ્યું હતું કે કંપનીના નિર્ણયથી તેમને નુકસાન થશે. જો કે ટ્વીટ તો કોઈ ફેક એકાઉન્ટે બ્લુ ટીક ખરીદીને કહ્યું હતું. 

Image



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.