South Africa ODI માટે Indiaના મુખ્ય કોચ તરીકે Rahul Dravid કે Laxmanને નહીં, પરંતુ આ ક્રિકેટરને સોંપવામાં આવી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-12-16 10:25:18

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે મેચ રમાવાની છે. મેચ રમાય તે પહેલા BCCIએ કોચ અને કોચિંગ સ્ટાફને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. રાહુલ દ્રવિડ આ સિરીઝ માટે કોચિંગની જવાબદારી નહીં સંભાળે. ઈન્ડિયા ટીમના કોચ તરીકેની જવાબદારી સિતાશું કોટકને સોંપવામાં આવી છે. એક નવા સ્ટાફને જવાબદારી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રા ટીમના ફિલ્ડીંગ કોચ હશે જ્યારે બોલિંગ કોચ તરીકેની જવાબદારી રાજીબ દત્તને સોંપવામાં આવી છે. 

No Dravid as India head coach for South Africa ODIs, surprise replacement  named | Cricket - Hindustan Times

રાહુલ દ્રવિડે આ માટે છોડી જવાબદારી!

ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેની જવાબદારી રાહુલ દ્રવિડ સંભાળતા હતા. રવિવારે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વન-ડે મેચ રમાનારી છે. 17 ડિસેમ્બરે જોહાનિલબર્ગમાં પ્રથમ વન-ડે મેચ રમાવાની છે, જ્યારે બીજી મેચ 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ પાર્લમાં 21 ડિસેમ્બરે રમાવાની છે. ઓડિઆઈમાં કોચ તરીકેની જવાબદારી રાહુલ દ્રવિડ નહીં સંભાળશે તેવો નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. આ ઓડીઆઈ દરમિયાન કોચ તરીકેની જવાબદારી સિતાંશુ કોટક સંભાળશે. ટેસ્ટ સિરીઝ પર રાહુલ દ્રવિડ ધ્યાન કેન્દ્રીત કરવાના છે જેને કારણે આ નિર્ણય લેવાયો છે.        



વન-ડે પહેલા બીસીસીઆઈ દ્વારા લેવાયો નિર્ણય

ટેસ્ટ મેચમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાહુલ દ્રવિડે બીસીસીઆઈ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો તેવી માહિતી સામે આવી છે. બીસીસીઆઈ દ્વારા તેમની આ વાતને માની લીધી છે અને તેમને કોચની જવાબદારીથી દૂર રાખ્યા છે! દ્રવિડ અને તેની કોચિંગ ટીમ ત્રણ વન ડે મેચમાંથી કોઇમાં પણ સામેલ નહીં થાય. 20થી 22 ડિસેમ્બર સુધી પ્રિટોરિયામાં રમાનારી ત્રણ દિવસીય મેચ પર નજર રાખશે. જેથી ટેસ્ટ મેચના સારા પ્રદર્શનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ ટેબલમાં ટીમ ઇન્ડિયા સારૂ પ્રદર્શન કરી શકે.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.