South Africa ODI માટે Indiaના મુખ્ય કોચ તરીકે Rahul Dravid કે Laxmanને નહીં, પરંતુ આ ક્રિકેટરને સોંપવામાં આવી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-12-16 10:25:18

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વનડે મેચ રમાવાની છે. મેચ રમાય તે પહેલા BCCIએ કોચ અને કોચિંગ સ્ટાફને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. રાહુલ દ્રવિડ આ સિરીઝ માટે કોચિંગની જવાબદારી નહીં સંભાળે. ઈન્ડિયા ટીમના કોચ તરીકેની જવાબદારી સિતાશું કોટકને સોંપવામાં આવી છે. એક નવા સ્ટાફને જવાબદારી આપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રા ટીમના ફિલ્ડીંગ કોચ હશે જ્યારે બોલિંગ કોચ તરીકેની જવાબદારી રાજીબ દત્તને સોંપવામાં આવી છે. 

No Dravid as India head coach for South Africa ODIs, surprise replacement  named | Cricket - Hindustan Times

રાહુલ દ્રવિડે આ માટે છોડી જવાબદારી!

ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેની જવાબદારી રાહુલ દ્રવિડ સંભાળતા હતા. રવિવારે દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વન-ડે મેચ રમાનારી છે. 17 ડિસેમ્બરે જોહાનિલબર્ગમાં પ્રથમ વન-ડે મેચ રમાવાની છે, જ્યારે બીજી મેચ 19 ડિસેમ્બરે પોર્ટ એલિઝાબેથમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ પાર્લમાં 21 ડિસેમ્બરે રમાવાની છે. ઓડિઆઈમાં કોચ તરીકેની જવાબદારી રાહુલ દ્રવિડ નહીં સંભાળશે તેવો નિર્ણય બીસીસીઆઈ દ્વારા લેવામાં આવ્યો છે. આ ઓડીઆઈ દરમિયાન કોચ તરીકેની જવાબદારી સિતાંશુ કોટક સંભાળશે. ટેસ્ટ સિરીઝ પર રાહુલ દ્રવિડ ધ્યાન કેન્દ્રીત કરવાના છે જેને કારણે આ નિર્ણય લેવાયો છે.        



વન-ડે પહેલા બીસીસીઆઈ દ્વારા લેવાયો નિર્ણય

ટેસ્ટ મેચમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાહુલ દ્રવિડે બીસીસીઆઈ સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હતો તેવી માહિતી સામે આવી છે. બીસીસીઆઈ દ્વારા તેમની આ વાતને માની લીધી છે અને તેમને કોચની જવાબદારીથી દૂર રાખ્યા છે! દ્રવિડ અને તેની કોચિંગ ટીમ ત્રણ વન ડે મેચમાંથી કોઇમાં પણ સામેલ નહીં થાય. 20થી 22 ડિસેમ્બર સુધી પ્રિટોરિયામાં રમાનારી ત્રણ દિવસીય મેચ પર નજર રાખશે. જેથી ટેસ્ટ મેચના સારા પ્રદર્શનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ ટેબલમાં ટીમ ઇન્ડિયા સારૂ પ્રદર્શન કરી શકે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.