એન્ટરટેન્મેન્ટની આ કંપની કરશે મોટા પાયે કર્મચારીઓની છટણી! જાણો કેટલા લોકોની નોકરી આવી ખતરામાં


  • Published By :
  • Published Date : 2023-03-28 11:59:32

છેલ્લા ઘણા સમયથી અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. અનેક ઈન્ટરનેશનલ કંપની દ્વારા કર્મચારીઓની હકાલ પટ્ટી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા એમેઝોન, મેટા સહિતની કંપની દ્વારા આવા નિર્ણય લેવામાં આવ્યા હતા ત્યારે આ લિસ્ટમાં ડિઝનીનો સમાવેશ થવાનો છે. ત્યારે મળતી માહિતી અનુસાર આવનાર દિવસોમાં  7000 જેટલા કર્મચારીઓને નોકરીથી હટાવી દેવાઈ શકે છે.  


7 હજાર જેટલા કર્મચારીઓને કંપની કરશે ઘરભેગા!

દુનિયાભરની મોટી મોટી કંપની દ્વારા કર્મચારીઓને છૂટા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક કર્મચારીઓની નોકરી જઈ રહી છે. એમેઝોન, માઈક્રોસોફ્ટ,મેટા જેવી ઈન્ટરનેશનલ કંપનીઓ દ્વારા કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં મંદીના ભંકારા વાગી રહ્યા છે. ત્યારે વધુ એક દિગ્ગજ કંપની પોતાના 7 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરી શકે છે.   


એપ્રિલ મહિનામાં કંપની કરશે કર્મચારીઓની છટણી 

કર્મચારીઓને છૂટા કરવાની ઘટના પ્રથમ વખત નથી બની.  મનોરંજન ક્ષેત્રમાં દિગ્ગજ કંપની માનવામાં આવતી ડિઝનીએ આ પહેલા પણ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારના નિર્ણયથી અનેક લોકોની નોકરી જવાની છે. કયા કર્મચારીને ઘરભેગા કરવાના છે તે માહિતી પણ એકત્રિત કરવામાં આવી ગઈ છએે. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવના જણાવ્યા અનુસાર કંપની આગામી ચાર દિવસમાં એ કર્મચારીઓને જાણ કરશે જેમની પ્રથમ રાઉન્ડમાં છટણી થવાની છે. 


વધારે ખર્ચ થતો હોવાથી કંપની કરી રહી છે કર્મચારીઓની હકાલપટ્ટી 

એપ્રિલમાં સ્ટાફની ક્ષમતામાં હજારોની સંખ્યામાં ઘટાડો થશે. ઉનાળાની શરૂઆતમાં છટણી પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે. મળતી માહિતી અનુસાર 7 હજાર કર્મચારીઓને બહાર નિકાળતા કંપનીના ખર્ચનો ઘટાડો થશે. 5.5 બિલિયન ડોલર ખર્ચનો ઘટાડો થશે. ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ છટણી કરી હતી ત્યારે એપ્રિલ મહિનામાં પણ ફરી એક વખત કર્મચારીઓની છટણી કરશે. 2022ની શરૂઆતમાં જ્યારે નેટફ્લિક્સે એક દાયકામાં તેના સબ્સ્કાઈબર્સની પ્રથમ ખોટ પોસ્ટ કરી ત્યારથી ખર્ચ પર લગામ લગાવવાનું શરૂ કરી દીધું હતું.    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.