એન્ટરટેન્મેન્ટની આ કંપની કરશે મોટા પાયે કર્મચારીઓની છટણી! જાણો કેટલા લોકોની નોકરી આવી ખતરામાં


  • Published By :
  • Published Date : 2023-03-28 11:59:32

છેલ્લા ઘણા સમયથી અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. અનેક ઈન્ટરનેશનલ કંપની દ્વારા કર્મચારીઓની હકાલ પટ્ટી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા એમેઝોન, મેટા સહિતની કંપની દ્વારા આવા નિર્ણય લેવામાં આવ્યા હતા ત્યારે આ લિસ્ટમાં ડિઝનીનો સમાવેશ થવાનો છે. ત્યારે મળતી માહિતી અનુસાર આવનાર દિવસોમાં  7000 જેટલા કર્મચારીઓને નોકરીથી હટાવી દેવાઈ શકે છે.  


7 હજાર જેટલા કર્મચારીઓને કંપની કરશે ઘરભેગા!

દુનિયાભરની મોટી મોટી કંપની દ્વારા કર્મચારીઓને છૂટા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક કર્મચારીઓની નોકરી જઈ રહી છે. એમેઝોન, માઈક્રોસોફ્ટ,મેટા જેવી ઈન્ટરનેશનલ કંપનીઓ દ્વારા કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં મંદીના ભંકારા વાગી રહ્યા છે. ત્યારે વધુ એક દિગ્ગજ કંપની પોતાના 7 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરી શકે છે.   


એપ્રિલ મહિનામાં કંપની કરશે કર્મચારીઓની છટણી 

કર્મચારીઓને છૂટા કરવાની ઘટના પ્રથમ વખત નથી બની.  મનોરંજન ક્ષેત્રમાં દિગ્ગજ કંપની માનવામાં આવતી ડિઝનીએ આ પહેલા પણ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારના નિર્ણયથી અનેક લોકોની નોકરી જવાની છે. કયા કર્મચારીને ઘરભેગા કરવાના છે તે માહિતી પણ એકત્રિત કરવામાં આવી ગઈ છએે. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવના જણાવ્યા અનુસાર કંપની આગામી ચાર દિવસમાં એ કર્મચારીઓને જાણ કરશે જેમની પ્રથમ રાઉન્ડમાં છટણી થવાની છે. 


વધારે ખર્ચ થતો હોવાથી કંપની કરી રહી છે કર્મચારીઓની હકાલપટ્ટી 

એપ્રિલમાં સ્ટાફની ક્ષમતામાં હજારોની સંખ્યામાં ઘટાડો થશે. ઉનાળાની શરૂઆતમાં છટણી પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે. મળતી માહિતી અનુસાર 7 હજાર કર્મચારીઓને બહાર નિકાળતા કંપનીના ખર્ચનો ઘટાડો થશે. 5.5 બિલિયન ડોલર ખર્ચનો ઘટાડો થશે. ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ છટણી કરી હતી ત્યારે એપ્રિલ મહિનામાં પણ ફરી એક વખત કર્મચારીઓની છટણી કરશે. 2022ની શરૂઆતમાં જ્યારે નેટફ્લિક્સે એક દાયકામાં તેના સબ્સ્કાઈબર્સની પ્રથમ ખોટ પોસ્ટ કરી ત્યારથી ખર્ચ પર લગામ લગાવવાનું શરૂ કરી દીધું હતું.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.