એન્ટરટેન્મેન્ટની આ કંપની કરશે મોટા પાયે કર્મચારીઓની છટણી! જાણો કેટલા લોકોની નોકરી આવી ખતરામાં


  • Published By :
  • Published Date : 2023-03-28 11:59:32

છેલ્લા ઘણા સમયથી અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓની છટણી કરી રહી છે. અનેક ઈન્ટરનેશનલ કંપની દ્વારા કર્મચારીઓની હકાલ પટ્ટી કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા એમેઝોન, મેટા સહિતની કંપની દ્વારા આવા નિર્ણય લેવામાં આવ્યા હતા ત્યારે આ લિસ્ટમાં ડિઝનીનો સમાવેશ થવાનો છે. ત્યારે મળતી માહિતી અનુસાર આવનાર દિવસોમાં  7000 જેટલા કર્મચારીઓને નોકરીથી હટાવી દેવાઈ શકે છે.  


7 હજાર જેટલા કર્મચારીઓને કંપની કરશે ઘરભેગા!

દુનિયાભરની મોટી મોટી કંપની દ્વારા કર્મચારીઓને છૂટા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અનેક કર્મચારીઓની નોકરી જઈ રહી છે. એમેઝોન, માઈક્રોસોફ્ટ,મેટા જેવી ઈન્ટરનેશનલ કંપનીઓ દ્વારા કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં મંદીના ભંકારા વાગી રહ્યા છે. ત્યારે વધુ એક દિગ્ગજ કંપની પોતાના 7 હજાર જેટલા કર્મચારીઓની છટણી કરી શકે છે.   


એપ્રિલ મહિનામાં કંપની કરશે કર્મચારીઓની છટણી 

કર્મચારીઓને છૂટા કરવાની ઘટના પ્રથમ વખત નથી બની.  મનોરંજન ક્ષેત્રમાં દિગ્ગજ કંપની માનવામાં આવતી ડિઝનીએ આ પહેલા પણ પોતાના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારના નિર્ણયથી અનેક લોકોની નોકરી જવાની છે. કયા કર્મચારીને ઘરભેગા કરવાના છે તે માહિતી પણ એકત્રિત કરવામાં આવી ગઈ છએે. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવના જણાવ્યા અનુસાર કંપની આગામી ચાર દિવસમાં એ કર્મચારીઓને જાણ કરશે જેમની પ્રથમ રાઉન્ડમાં છટણી થવાની છે. 


વધારે ખર્ચ થતો હોવાથી કંપની કરી રહી છે કર્મચારીઓની હકાલપટ્ટી 

એપ્રિલમાં સ્ટાફની ક્ષમતામાં હજારોની સંખ્યામાં ઘટાડો થશે. ઉનાળાની શરૂઆતમાં છટણી પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે. મળતી માહિતી અનુસાર 7 હજાર કર્મચારીઓને બહાર નિકાળતા કંપનીના ખર્ચનો ઘટાડો થશે. 5.5 બિલિયન ડોલર ખર્ચનો ઘટાડો થશે. ફેબ્રુઆરી મહિનામાં કંપનીએ છટણી કરી હતી ત્યારે એપ્રિલ મહિનામાં પણ ફરી એક વખત કર્મચારીઓની છટણી કરશે. 2022ની શરૂઆતમાં જ્યારે નેટફ્લિક્સે એક દાયકામાં તેના સબ્સ્કાઈબર્સની પ્રથમ ખોટ પોસ્ટ કરી ત્યારથી ખર્ચ પર લગામ લગાવવાનું શરૂ કરી દીધું હતું.    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.