હાર્ટ એટેકને કારણે આ પ્રખ્યાત ટીવી એક્ટરનું થયું અવસાન! લોકપ્રિય સિરીયલ 'અનુપમા'માં નિભાવતા હતા આ રોલ! ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-24 11:11:26

હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે લોકપ્રિય અભિનેતા નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 51 વર્ષની ઉંમરે એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. હાલ એક્ટર લોકપ્રિય સીરિયલ અનુપમામાં અનુપમાની મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવી રહ્યા હતા. એક્ટરના નિધનના સમાચાર મળતા ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એક્ટરના નિધનથી ન માત્ર પરિવારમાં શોક છે પરંતુ તેમના ફેન્સ પણ શોકમાં ડુબી ગયા છે.


મોડી રાત્રે એક્ટરને આવ્યો હાર્ટ એટેક! 

ટીવી ઈન્ડસ્ટ્રીથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા કલાકો પહેલા વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે હવે વધુ એક પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમા સિરીયલમાં અનુપમાના મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવનાર નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 23 મેના રોજ રાત્રે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થઈ ગયું છે. આ વાતની પુષ્ટિ લેખક સિદ્ધાર્થ નાગરે કરી છે. શૂટિંગ માટે નિતેશ પાંડે ઈગતપુર ગયા હતા અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો. 


આ સિરીયલોમાં કર્યું છે કામ!

નિતેશ પાંડેએ અનેક ટીવી સિરીયલોમાં તેમજ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ઓમ શાંતિ ઓમ, દબંગ 2, બધાઈ હો જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે સિવાય પ્યાર કા દર્દ હે શોમાં, હમ લડકિયાં, કુછ તો લોગ કહેંગે જેવી અનેક સિરીયલોમાં અભિનય કર્યો છે. હાલ તે અનુપમા સિરીયલમાં ધીરજ કપૂરની ભૂમિકા નિભાવતા હતા. 


હાર્ટ એટેકના પ્રમાણમાં થયો વધારો!

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાને કારણે અનેક લોકોના જીવ ગયા છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને વ્હાલું થાય છે. ત્યારે કઈ ક્ષણ જીવનની અંતિમ ક્ષણ હોય તે જાણી શકાતું નથી.  






જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.