હાર્ટ એટેકને કારણે આ પ્રખ્યાત ટીવી એક્ટરનું થયું અવસાન! લોકપ્રિય સિરીયલ 'અનુપમા'માં નિભાવતા હતા આ રોલ! ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી!


  • Published By :
  • Published Date : 2023-05-24 11:11:26

હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે લોકપ્રિય અભિનેતા નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 51 વર્ષની ઉંમરે એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. હાલ એક્ટર લોકપ્રિય સીરિયલ અનુપમામાં અનુપમાની મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવી રહ્યા હતા. એક્ટરના નિધનના સમાચાર મળતા ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એક્ટરના નિધનથી ન માત્ર પરિવારમાં શોક છે પરંતુ તેમના ફેન્સ પણ શોકમાં ડુબી ગયા છે.


મોડી રાત્રે એક્ટરને આવ્યો હાર્ટ એટેક! 

ટીવી ઈન્ડસ્ટ્રીથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા કલાકો પહેલા વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે હવે વધુ એક પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમા સિરીયલમાં અનુપમાના મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવનાર નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 23 મેના રોજ રાત્રે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થઈ ગયું છે. આ વાતની પુષ્ટિ લેખક સિદ્ધાર્થ નાગરે કરી છે. શૂટિંગ માટે નિતેશ પાંડે ઈગતપુર ગયા હતા અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો. 


આ સિરીયલોમાં કર્યું છે કામ!

નિતેશ પાંડેએ અનેક ટીવી સિરીયલોમાં તેમજ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ઓમ શાંતિ ઓમ, દબંગ 2, બધાઈ હો જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે સિવાય પ્યાર કા દર્દ હે શોમાં, હમ લડકિયાં, કુછ તો લોગ કહેંગે જેવી અનેક સિરીયલોમાં અભિનય કર્યો છે. હાલ તે અનુપમા સિરીયલમાં ધીરજ કપૂરની ભૂમિકા નિભાવતા હતા. 


હાર્ટ એટેકના પ્રમાણમાં થયો વધારો!

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાને કારણે અનેક લોકોના જીવ ગયા છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને વ્હાલું થાય છે. ત્યારે કઈ ક્ષણ જીવનની અંતિમ ક્ષણ હોય તે જાણી શકાતું નથી.  






ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી