હાર્ટ એટેકને કારણે આ પ્રખ્યાત ટીવી એક્ટરનું થયું અવસાન! લોકપ્રિય સિરીયલ 'અનુપમા'માં નિભાવતા હતા આ રોલ! ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી!


  • Published By :
  • Published Date : 2023-05-24 11:11:26

હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે લોકપ્રિય અભિનેતા નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 51 વર્ષની ઉંમરે એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. હાલ એક્ટર લોકપ્રિય સીરિયલ અનુપમામાં અનુપમાની મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવી રહ્યા હતા. એક્ટરના નિધનના સમાચાર મળતા ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એક્ટરના નિધનથી ન માત્ર પરિવારમાં શોક છે પરંતુ તેમના ફેન્સ પણ શોકમાં ડુબી ગયા છે.


મોડી રાત્રે એક્ટરને આવ્યો હાર્ટ એટેક! 

ટીવી ઈન્ડસ્ટ્રીથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા કલાકો પહેલા વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે હવે વધુ એક પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમા સિરીયલમાં અનુપમાના મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવનાર નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 23 મેના રોજ રાત્રે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થઈ ગયું છે. આ વાતની પુષ્ટિ લેખક સિદ્ધાર્થ નાગરે કરી છે. શૂટિંગ માટે નિતેશ પાંડે ઈગતપુર ગયા હતા અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો. 


આ સિરીયલોમાં કર્યું છે કામ!

નિતેશ પાંડેએ અનેક ટીવી સિરીયલોમાં તેમજ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ઓમ શાંતિ ઓમ, દબંગ 2, બધાઈ હો જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે સિવાય પ્યાર કા દર્દ હે શોમાં, હમ લડકિયાં, કુછ તો લોગ કહેંગે જેવી અનેક સિરીયલોમાં અભિનય કર્યો છે. હાલ તે અનુપમા સિરીયલમાં ધીરજ કપૂરની ભૂમિકા નિભાવતા હતા. 


હાર્ટ એટેકના પ્રમાણમાં થયો વધારો!

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાને કારણે અનેક લોકોના જીવ ગયા છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને વ્હાલું થાય છે. ત્યારે કઈ ક્ષણ જીવનની અંતિમ ક્ષણ હોય તે જાણી શકાતું નથી.  






ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .