હાર્ટ એટેકને કારણે આ પ્રખ્યાત ટીવી એક્ટરનું થયું અવસાન! લોકપ્રિય સિરીયલ 'અનુપમા'માં નિભાવતા હતા આ રોલ! ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી!


  • Published By :
  • Published Date : 2023-05-24 11:11:26

હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. ત્યારે લોકપ્રિય અભિનેતા નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. 51 વર્ષની ઉંમરે એક્ટરે અંતિમ શ્વાસ લીધા છે. હાલ એક્ટર લોકપ્રિય સીરિયલ અનુપમામાં અનુપમાની મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવી રહ્યા હતા. એક્ટરના નિધનના સમાચાર મળતા ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. એક્ટરના નિધનથી ન માત્ર પરિવારમાં શોક છે પરંતુ તેમના ફેન્સ પણ શોકમાં ડુબી ગયા છે.


મોડી રાત્રે એક્ટરને આવ્યો હાર્ટ એટેક! 

ટીવી ઈન્ડસ્ટ્રીથી એક બાદ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા કલાકો પહેલા વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે હવે વધુ એક પ્રખ્યાત અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. અનુપમા સિરીયલમાં અનુપમાના મિત્ર દેવિકાના પતિનો રોલ નિભાવનાર નિતેશ પાંડેનું નિધન હાર્ટ એટેકને કારણે થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર 23 મેના રોજ રાત્રે હાર્ટ એટેકને કારણે તેમનું મોત થઈ ગયું છે. આ વાતની પુષ્ટિ લેખક સિદ્ધાર્થ નાગરે કરી છે. શૂટિંગ માટે નિતેશ પાંડે ઈગતપુર ગયા હતા અને રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને હાર્ટ એટેક આવ્યો. 


આ સિરીયલોમાં કર્યું છે કામ!

નિતેશ પાંડેએ અનેક ટીવી સિરીયલોમાં તેમજ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ઓમ શાંતિ ઓમ, દબંગ 2, બધાઈ હો જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે સિવાય પ્યાર કા દર્દ હે શોમાં, હમ લડકિયાં, કુછ તો લોગ કહેંગે જેવી અનેક સિરીયલોમાં અભિનય કર્યો છે. હાલ તે અનુપમા સિરીયલમાં ધીરજ કપૂરની ભૂમિકા નિભાવતા હતા. 


હાર્ટ એટેકના પ્રમાણમાં થયો વધારો!

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાને કારણે અનેક લોકોના જીવ ગયા છે. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ યોગા કરતા કરતા મોતને વ્હાલું થાય છે. ત્યારે કઈ ક્ષણ જીવનની અંતિમ ક્ષણ હોય તે જાણી શકાતું નથી.  






જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.