પતિના શરીરના 15 ટુકડા કરી પત્ની પ્રેમી સાથે ગઈ ફરવા પછી આ રીતે ફુટ્યો ભાંડો ને...


  • Published By : Admin
  • Published Date : 2025-03-21 21:25:56

એક મા પોતાની જ દિકરી માટે ફાંસીની માંગ કરી રહી છે. માતા એવું કહી રહી છે કે મારી દિકરી જ નફફ્ટ છે. છોકરો તો સારો હતો. પિતા દિકરી માટે કહી રહ્યાં છે આવા માણસને જીવવાનો કોઈ અધિકાર નથી. અને દિકરીએ શું કર્યું. તો પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધો. એટલું જ નહીં એના શરીરના ટુકડા કરીને સિમેન્ટના ડ્રમમાં ભરી દીધા. અને પ્રેમી સાથે નીકળી ગઈ ફરવા.... શું છે આખી ઘટના અને ક્યાંની છે એના વિશે વાત કરીશું.


અનહન પ્રેમ કરતા પતિનો લીધો જીવ

ઉત્તરપ્રદેશના મેરઠમાં વર્ષ 2016માં મર્ચેન્ટ નેવીમાં કામ કરતા સૌરભ રાજપૂત સાથે મુસ્કાન રસ્તોગીએ લવ મેરેજ કર્યા. તેની છ વર્ષની દિકરી છે જે બીજા ધોરણમાં ભણે છે. સૌરભ મુસ્કાનને અનહદ પ્રેમ કરે છે. લગ્ન પછી સૌરભ અને તેના પરિવાર સાથે રહેતી મુસ્કાનને બહુ જ ઝઘડા થાય. એટલે માતા-પિતાથી અલગ તેમણે ભાડાનું મકાન લીધું.  ઘણા સમય પછી સૌરભનું પોસ્ટિંગ લંડનમાં થયું એટલે એ લંડન ગયો. અને પત્ની મુસ્કાન અહીંયા હતી. સૌરભ કામના કારણે મોટાભાગે વિદેશમાં રહેતો હતો. પત્ની મુસ્કાનને તેમની જ શેરીમાં રહેતા સાહિલ શુક્લા સાથે પ્રેમ સંબધ બંધાયો. સૌરભને બે વર્ષ પહેલા આ વાતની ખબર પડી. તેણે વિરોધ કર્યો. ઝઘડો થયો બંને વચ્ચે વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ. પરિજનોએ સમાધાન કરાવ્યું. પતિ લંડન ગયો ફરી સ્થિતિ એની એજ આવી. સૌરભ 24 ફેબ્રુઆરીએ લંડનથી પાછો આવ્યો કેમ કે 25 ફેબ્રુઆરીએ મુસ્કાનનો જન્મદિવસ હતો. સેલિબ્રેટ કરવા માટે પોતે આવ્યો હતો લંડનથી. અને પત્નીએ પ્લાન બનાવ્યો હતો પતિનો જીવ લેવાનો.


ભોજનમાં ઝેર ભેળવીને આપી દીધું પતિને 

4 માર્ચની રાત્રે પતિને જમવામાં ઝેર આપ્યું... પછી પ્રેમી સાહિલને ફોન કર્યો... સાહિલ આવ્યો અને બંનેએ મળીને સૌરભનો જીવ લઈ લીધો... ડ્રમ અને સિમેન્ટ પહેલાથી જ લાવીને રાખ્યા હતા.. પણ શરીર એમાં સમાયું નહીં. એટલે શરીરના 15 જેટલા ટુકડા કરી નાંખ્યા અને સિમેન્ટમાં ચણી દીધા. તેના પર ઢાંકણ મુક્યું. બીજા દિવસે આડોશ પાડોશમાં એવી વાતો કરી મુસ્કાને કે પતિ સાથે ચાર દિવસ હિમાચલમાં ફરવા જાઉં છું. અને નીકળી પ્રેમી સાહિલ સાથે મનાલી ફરવા. ખુબ એન્જોય કર્યું મનાલીમાં પણ પૈસા ખુટી ગયા. સૌરભના ખાતામાંથી પૈસા ઉપાડવા હતા પણ શક્ય થયું નહીં. મનાલીથી પરત આવીને મુસ્કાને તેની માતાને વાત કરી કે પોતે સૌરભની હત્યા કરી નાંખી છે.  અને પછી મુસ્કાનના માતા-પિતાએ જ પોલીસને જાણ કરી અને મુસ્કાનની ધરપકડ કરવામાં આવી. દિકરી પર માતા-પિતાને જરા પણ દયા નથી. પિતા ખુદ કહી રહ્યાં છે કે આવા માણસને જીવવાનો જ કોઈ અધિકાર નથી. તેને ફાંસી આપવી જોઈએ. જે પ્રેમી હતો સાહિલ એ મુસ્કાનને ડ્રગ્સ આપી રહ્યો હતો એવી પણ માહિતી છે.  


માતા કહે છે અમારી દિકરી જ નફ્ફટ છે

દિકરી મુસ્કાન વિશે એની માતા કવિતા રસ્તોગી કહે છે કે, મુસ્કાનને અમે જ પકડાવી છે, એણે મારી પાસે જ આવીને 18 તારીખે જ કન્ફેસ કર્યું હતું કે તેણે સૌરભ સાથે આવુ-આવુ કર્યું છે.. અમે તેને તરત જ ચાર વાગ્યે પોલીસ સ્ટેશન લઈ ગયા. બે વર્ષથી જ્યારથી સૌરભ લંડન ગયા હતા ત્યારથી એ પરિવારથી આવી રીતે અલગ રુમ રાખીને અલગ રહેતી હતી. જ્યારથી લગ્ન થયા ત્યારથી પરિવારથી અલગ જ રહેતા હતા. એક વર્ષ જ સાસરિયામાં રહી ત્યાં પણ તેને ભળતુ નહોતુ. સૌરભને શું સમજાવ્યું કે શું કર્યું ખબર નહીં. પણ એટલી ખબર છે કે સૌરભ આને આંધળો પ્રેમ કરતો હતો. છોકરી જ નફ્ફટ હતી અમારી. એને જ સૌરભને કોઈ રીતે અલગ કર્યો પરિવારથી અને હવે આવુ કરી દીધું. અમે ઈચ્છીએ છીએ કે સૌરભના પરિવારને ન્યાય મળે. એ બાળક સૌરભને ન્યાય મળવો જોઈએ જેણે મારી મુસ્કાન માટે પોતાના મા-બાપને દાવ પર લગાવ્યા. એમની કરોડો રુપિયાની પ્રોપટી છોડી દીધી અને આના કહેવાથી અલગ થયો.  અને આ નફફ્ટે શું કર્યું . એ પણ મારો જ દિકરો હતો. અમને ખબર છે એ કેમ રાખતો હતો. ફાંસી હોવી જોઈએ આવાને તો. જ્યારે અલગ રહેતા હતા ત્યારે દરેક વસ્તુમાં સૌરભ એને સપોર્ટ કરતા હતા. અમે કહ્યું કે, તમે લંડન જાવ તો મુસ્કાનને અહીંયા મુકીને જાવ, પણ મુસ્કાન નહોતી ઈચ્છતી કેમ કે માતા-પિતા તો ટોકે, મમ્મી-પપ્પા કોઈને કોઈ વાત માટે રોકશે. એ સવારે 10-11 વાગ્યે ઉઠે રાત્રે મોડે સુધી જાગે. પણ સૌરભ એનો બધો જ સપોર્ટ કરતા હતા. સૌરભ લંડનમાં હતા ત્યારે તેમને કહ્યું કે સૌરભ આ બહુ જ પાતળી થઈ ગઈ છે વજન 10 કિલો ઘટી ગયું છે. અમને એવું લાગી રહ્યું હતું કે સૌરભની યાદમાં આ પાતળી થતી જાય છે. પણ અમને નહોતી ખબર કે, પેલો નફ્ફટ સાહિલ આને ડ્રગ્સનો નશો કરાવે છે એટલે આવુ થયું છે. અમે ચેકિંગ કરાવ્યું હતું તો ખબર પડી કે બ્લડ ઓછું હતી. એમની દિકરી તો જન્મથી જ અમારી સાથે રહે છે. પણ અમને ખબર નહોતી કે મુસ્કાન આ વસ્તુનો ફાયદો ઉઠાવે છે પોતે એકલી રહેવા માંગે છે. અમને એવું કહેતી હતી કે મમ્મી આ નાની પાસે રહેવા માંગે છે, તમારી પાસે રહેવા માંગે છે. 


પિતાએ કહ્યું ફાંસી થવી જોઈએ દિકરીને

મારવાનું કારણ શું આવો સવાલ જ્યારે પુછાયો તો પિતા બોલ્યા કે, એનો પ્રેમી એને કહી રહ્યો હતો કે હવે આપણે નશો નહીં કરી શકીએ સૌરભ આપણને રોકશે, નશાનું કારણ આપ્યું કે હવે નહીં કરી શકીએ એટલે આને મારવો પડશે.  ફાંસી હોવી જોઈએ, એણે જીવવાનો હક ખોઈ દીધો. આવા માણસને જીવવાનો કોઈ અધિકાર નથી.


હાલ તો મુસ્કાન અને સાહિલ બંને પોલીસ કસ્ટડીમાં છે પુછપરછમાં અનેક પ્રકારના ખુલાસા કર્યા છે.  કઈ રીતે પતિને બેભાન કર્યો, ક્યાંથી દવા મંગાવી,કેવી રીતે એ બંને મૃતદેહના નિકાલની રીત શોધતા હતા આ બધા જ ખુલાસા કર્યા છે. બંને સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.  


એક સ્ત્રી હોવાથી એ દોષિત નથી એવું તો બિલકુલ નથી આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. કોઈપણ ઘટના બને તો આપણે સીધો દોષનો ટોપલો સંસ્કારો પર કે મા-બાપ પર ઢોળી દઈએ છીએ. કે સમાજને સવાલો માનસિકતાને સવાલો કરીએ છીએ.  પણ શું માત્ર પેરેન્ટિંગથી જ બાળકમાં સંસ્કારો આવે છે. છેલ્લા 10 વર્ષમાં સમાજનું માનસચિત્ર જે રીતે બદલાયુયં છે એમાં માત્ર માતા-પિતા જ બાળકને સંસ્કાર આપી શકે એવુ જરુરી નથી. સોશિયલ મીડિયા, નશાનો પ્રયોગ, સમાજજીવન, મિત્રો, માનસિકતા આ બધુ પણ તો અસર કરે છે. હવે એવું નથી કે સંસ્કારોનું સિંચન માત્ર મા-બાપ જ કરી શકે. મા-બાપ ગમે તેટલું સમજાવે તો પણ બાળકની આસપાસની સ્થિતિઓ એને બહુ જ અસરકર્તા હોય છે. સમાજજીવન સમુળગુ બદલાયું એટલે પણ પરિસ્થિતિ અને માનસિકતા બદલાય છે. અપેક્ષા રાખીએ કે આ મુસ્કાનને કડકમાં કડક સજા થાય.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.