USA આ રીતે બદલાઈ રહ્યું છે। ત્યાં ઘુસતા પહેલા હવે 100 વાર વિચાર કરજો। વિડિયો જુઓ


  • Published By :
  • Published Date : 2025-02-19 18:29:34

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. જેમાં થોડા થોડા દિવસનાં અંતરે જ ત્રણ વિમાન ભરીને ભારતના પણ અનેક લોકોને પાછા મોકલ્યા છે. અમેરિકા તેની જગ્યાએ સાચુ છે ગેરકાયદેસર રીતે કોઈ પોતાના દેશમાં વસે અને તેના કારણે પોતાના દેશનાં નાગરિકોની રોજગારી છીનવાતી હોય તેમજ બીજી પણ ઘણી બધી સમસ્યાઓ વધતી હોય તો આવામાં અમેરિકા દ્વારા લેવાયેલો નિર્ણય તેમની દ્રષ્ટિએ સાચો છે.

પરંતુ હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. જે રીતે ભારતીયોને પાછા મોકલાઈ રહ્યા છે એ વ્યવહાર કેટલી હદે યોગ્ય છે? એકતરફ અમેરિકા ભારતને પોતાનુ મિત્ર બતાવી રહ્યુ છે અને બીજી તરફ એ જ અમેરિકા ભારતીય નાગરિકોને સામાન્ય અને સરળ રીતે પાછા નહીં મોકલીને તેઓને અડધૂત કરીને હાથ અને પગમાં બેડીઓ પહેરાવીને મોકલે છે. આનાથી પણ વધારે પંજાબના પરત ફરેલા નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને અને કેટલો ખરાબ વ્યવહાર કરીને  તેમને પાછા મોકલયા છે. ભારતના જે શીખ નાગરિકો છે જેમના માટે તેમનાં માથા પરની પાઘડી એ પોતાના આત્મ સમ્માનનું પ્રતિક છે એ પાઘડી અમેરિકા દ્વારા ઉતરાવવામાં આવે છે

ટ્રમ્પ દ્વારા કહેવાઈ રહ્યુ છે કે, ભારત સાથેના તેમના સંબંધો હવે વધુ ગાઢ થઈ રહ્યા છે. તો મિત્ર દેશનાં નાગરિકો સાથે આટલો ખરાબ વ્યવહાર શા માટે? 

અન્ય દેશોની સરખામણીએ ભારતનાં નાગરિકો સાથે થોડુ નરમ વલણ અપનાવીને સીધી સરળ રીતે જો ભારત પાછા મોકલ્યા હોત તો એમની ગાઢ મિત્રતા વાાળો શબ્દ સાર્થક સાબિત થાત.







ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.