પાકિસ્તાનની આ અભિનેત્રીને કરવી છે પીએમ મોદી વિરૂદ્ધ ફરિયાદ! ઈમરાન ખાનની ધરપકડ બાદ અભિનેત્રીએ શા માટે માગી દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક?


  • Published By :
  • Published Date : 2023-05-10 17:22:06

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નિકળી હતી. ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે ઉપરાંત ધારા 144 લાગુ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ એક ટ્વિટ કર્યું હતું જેને લઈ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ કરવાની માગ કરી છે. તો તેના જવાબમાં દિલ્હી પોલીસે રસપ્રદ જવાબ આપ્યો છે.

  

ફરિયાદ કરવા અભિનેત્રીએ માગી દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક! 

ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં પરિસ્થિતિ બેકાબુ બની છે. હિંસા ફાટી નીકળી છે. સ્થિતિ પર કાબુ મેળવવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાનની અભિનેત્રી સેહર શિનવારીની ટ્વિટ હાલ ચર્ચામાં આવી છે. મંગળવાર રાત્રે સેહરે ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવા ઓનલાઈન લિંક માગી છે. ટ્વિટમાં લખ્યું કે દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક કોઈને ખબર છે? મારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુપ્તચર એજન્સી RAW વિરૂદ્ધ ફરિયાદ કરવી છે, તેઓ મારા દેશમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે. જો ભારતની સુપ્રીમ કોર્ટ દાવો કરે છે એટલી સ્વતંત્ર છે, તો હું અપેક્ષા રાખું છું કે ત્યાં ન્યાય મળશે. 

પાકિસ્તાન હજુ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું - દિલ્હી પોલીસ!

આ ટ્વિટ સામે આવતા દિલ્હી પોલીસે ટ્વિટ કરી હતી. દિલ્હી પોલીસે સેહરના ટ્વિટનો જવાબ આપ્યો હતો. દિલ્હી પોલીસે અભિનેત્રીને ટેગ કરીને લખ્યું કે પાકિસ્તાન હજુ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. હા, અમે ચોક્કસપણે જાણવા માગીએ છીએ કે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ છે તો તમે કેવી રીતે ટ્વિટ કરી રહ્યા છો. 


વર્લ્ડ કપ દરમિયાન પણ અભિનેત્રી આવી હતી ચર્ચા! 

આ પહેલી વખત નથી જ્યારે અભિનેત્રી ચર્ચામાં આવી છે. 2022 ટી-20 વર્લ્ડ કપ દરમિયાન શિનવારીએ કહ્યું હતું કે જો ઝિમ્બાબ્વે ટીમ ભારતને હરાવશે તો તે ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરશે. તે પહેલા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ટ્વિટ કર્યું હતું જેમાં ચૂંટણીમાં ભાજપને શરમજનક હાર મળશે. જો એ ન થાય તો પછી તમે જે ઈચ્છોએ મને કહેજો. ત્યારે ફરી એક વખત અભિનેત્રી દ્વારા કરવામાં આવેલું ટ્વિટ ચર્ચામાં આવ્યું છે.                  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.