પાકિસ્તાનની આ અભિનેત્રીને કરવી છે પીએમ મોદી વિરૂદ્ધ ફરિયાદ! ઈમરાન ખાનની ધરપકડ બાદ અભિનેત્રીએ શા માટે માગી દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક?


  • Published By :
  • Published Date : 2023-05-10 17:22:06

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નિકળી હતી. ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે ઉપરાંત ધારા 144 લાગુ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ એક ટ્વિટ કર્યું હતું જેને લઈ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ કરવાની માગ કરી છે. તો તેના જવાબમાં દિલ્હી પોલીસે રસપ્રદ જવાબ આપ્યો છે.

  

ફરિયાદ કરવા અભિનેત્રીએ માગી દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક! 

ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં પરિસ્થિતિ બેકાબુ બની છે. હિંસા ફાટી નીકળી છે. સ્થિતિ પર કાબુ મેળવવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાનની અભિનેત્રી સેહર શિનવારીની ટ્વિટ હાલ ચર્ચામાં આવી છે. મંગળવાર રાત્રે સેહરે ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવા ઓનલાઈન લિંક માગી છે. ટ્વિટમાં લખ્યું કે દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક કોઈને ખબર છે? મારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુપ્તચર એજન્સી RAW વિરૂદ્ધ ફરિયાદ કરવી છે, તેઓ મારા દેશમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે. જો ભારતની સુપ્રીમ કોર્ટ દાવો કરે છે એટલી સ્વતંત્ર છે, તો હું અપેક્ષા રાખું છું કે ત્યાં ન્યાય મળશે. 

પાકિસ્તાન હજુ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું - દિલ્હી પોલીસ!

આ ટ્વિટ સામે આવતા દિલ્હી પોલીસે ટ્વિટ કરી હતી. દિલ્હી પોલીસે સેહરના ટ્વિટનો જવાબ આપ્યો હતો. દિલ્હી પોલીસે અભિનેત્રીને ટેગ કરીને લખ્યું કે પાકિસ્તાન હજુ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. હા, અમે ચોક્કસપણે જાણવા માગીએ છીએ કે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ છે તો તમે કેવી રીતે ટ્વિટ કરી રહ્યા છો. 


વર્લ્ડ કપ દરમિયાન પણ અભિનેત્રી આવી હતી ચર્ચા! 

આ પહેલી વખત નથી જ્યારે અભિનેત્રી ચર્ચામાં આવી છે. 2022 ટી-20 વર્લ્ડ કપ દરમિયાન શિનવારીએ કહ્યું હતું કે જો ઝિમ્બાબ્વે ટીમ ભારતને હરાવશે તો તે ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરશે. તે પહેલા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ટ્વિટ કર્યું હતું જેમાં ચૂંટણીમાં ભાજપને શરમજનક હાર મળશે. જો એ ન થાય તો પછી તમે જે ઈચ્છોએ મને કહેજો. ત્યારે ફરી એક વખત અભિનેત્રી દ્વારા કરવામાં આવેલું ટ્વિટ ચર્ચામાં આવ્યું છે.                  




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .