પાકિસ્તાનની આ અભિનેત્રીને કરવી છે પીએમ મોદી વિરૂદ્ધ ફરિયાદ! ઈમરાન ખાનની ધરપકડ બાદ અભિનેત્રીએ શા માટે માગી દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક?


  • Published By :
  • Published Date : 2023-05-10 17:22:06

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ ગઈકાલે કરવામાં આવી હતી. જે બાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નિકળી હતી. ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે ઉપરાંત ધારા 144 લાગુ કરવામાં આવી છે. ત્યારે પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ એક ટ્વિટ કર્યું હતું જેને લઈ ચર્ચા થઈ રહી છે. પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ કરવાની માગ કરી છે. તો તેના જવાબમાં દિલ્હી પોલીસે રસપ્રદ જવાબ આપ્યો છે.

  

ફરિયાદ કરવા અભિનેત્રીએ માગી દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક! 

ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં પરિસ્થિતિ બેકાબુ બની છે. હિંસા ફાટી નીકળી છે. સ્થિતિ પર કાબુ મેળવવા માટે ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાનની અભિનેત્રી સેહર શિનવારીની ટ્વિટ હાલ ચર્ચામાં આવી છે. મંગળવાર રાત્રે સેહરે ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવા ઓનલાઈન લિંક માગી છે. ટ્વિટમાં લખ્યું કે દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક કોઈને ખબર છે? મારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુપ્તચર એજન્સી RAW વિરૂદ્ધ ફરિયાદ કરવી છે, તેઓ મારા દેશમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે. જો ભારતની સુપ્રીમ કોર્ટ દાવો કરે છે એટલી સ્વતંત્ર છે, તો હું અપેક્ષા રાખું છું કે ત્યાં ન્યાય મળશે. 

પાકિસ્તાન હજુ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું - દિલ્હી પોલીસ!

આ ટ્વિટ સામે આવતા દિલ્હી પોલીસે ટ્વિટ કરી હતી. દિલ્હી પોલીસે સેહરના ટ્વિટનો જવાબ આપ્યો હતો. દિલ્હી પોલીસે અભિનેત્રીને ટેગ કરીને લખ્યું કે પાકિસ્તાન હજુ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું. હા, અમે ચોક્કસપણે જાણવા માગીએ છીએ કે તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ છે તો તમે કેવી રીતે ટ્વિટ કરી રહ્યા છો. 


વર્લ્ડ કપ દરમિયાન પણ અભિનેત્રી આવી હતી ચર્ચા! 

આ પહેલી વખત નથી જ્યારે અભિનેત્રી ચર્ચામાં આવી છે. 2022 ટી-20 વર્લ્ડ કપ દરમિયાન શિનવારીએ કહ્યું હતું કે જો ઝિમ્બાબ્વે ટીમ ભારતને હરાવશે તો તે ઝિમ્બાબ્વેના છોકરા સાથે લગ્ન કરશે. તે પહેલા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ટ્વિટ કર્યું હતું જેમાં ચૂંટણીમાં ભાજપને શરમજનક હાર મળશે. જો એ ન થાય તો પછી તમે જે ઈચ્છોએ મને કહેજો. ત્યારે ફરી એક વખત અભિનેત્રી દ્વારા કરવામાં આવેલું ટ્વિટ ચર્ચામાં આવ્યું છે.                  




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.