કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારનો આ નિર્ણય પડી શકે છે ભારે, જાણો શું લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-09 12:08:38

ચીનમાં કોરોના સંકટ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના સંકટને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ વઘી રહ્યું છે પણ ચીન સરકાર પ્રતિબંધો લગાવાને બદલે પ્રતિબંધો હટાવી રહી છે. સરકારે તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. ચીને પોતાની તમામ બોર્ડર પણ ખોલી દીધી છે.       

Corona explosion in China about 220000 new cases - ચીનમાં કોરોના વિસ્ફોટ, 1  જાન્યુઆરી સુધી એક સપ્તાહમાં આવ્યા લગભગ 2,20,000 નવા કેસ – News18 Gujarati

ચીને હટાવ્યા તમામ પ્રતિબંધો 

ચીનમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના કેસને લઈ બીજા દેશોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે થોડા સમય બાદ લૂનાર વર્ષ આવવાનું છે. લૂનાર નવ વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ચીન આવતા હોય છે. જેને કારણે ચીને કોરોના પર પ્રતિબંધો લગાવવાની બદલીમાં નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ બોર્ડર ખોલી દીધી છે. લાખો લોકો આ દરમિયાન મોટા શહેરોથી લઈ નાના ગામડાની મુલાકાત લેશે. આ દરમિયાન કોરોના સંક્રમણ ઝડપથી વધી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોના!, લોકડાઉન પણ કામ ન લાગ્યું, શાંઘાઈમાં  3ના મોત

The peak of Corona in China will come on 13 Jan. 37 lakh new cases per day  | Sandesh

અંતિમ સંસ્કાર માટે જોવા મળી લાંબી કતાર

ચીનમાં રોકેટગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. વિશ્વના અનેક દેશોએ ચીન પર કોરોનાના આંકડા છૂપાવાનો આરોપ લગાવ્યો છે. કોરોનાના સાચા આંકડા ચીન કદી આપતું નથી. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડોક્ટરો પર પણ દબાણ કરવાની શરૂઆત કરી દીધી છે. મળતી  માહિતી અનુસાર કોરોનાથી જો મોત થઈ હોય તો તેનું કારણ ન આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા તો વધી રહી છે પરંતુ સ્મશાન બહાર પણ અંતિમ સંસ્કાર કરવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.   

  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .