કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારનો આ નિર્ણય પડી શકે છે ભારે, જાણો શું લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-09 12:08:38

ચીનમાં કોરોના સંકટ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના સંકટને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ વઘી રહ્યું છે પણ ચીન સરકાર પ્રતિબંધો લગાવાને બદલે પ્રતિબંધો હટાવી રહી છે. સરકારે તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. ચીને પોતાની તમામ બોર્ડર પણ ખોલી દીધી છે.       

Corona explosion in China about 220000 new cases - ચીનમાં કોરોના વિસ્ફોટ, 1  જાન્યુઆરી સુધી એક સપ્તાહમાં આવ્યા લગભગ 2,20,000 નવા કેસ – News18 Gujarati

ચીને હટાવ્યા તમામ પ્રતિબંધો 

ચીનમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના કેસને લઈ બીજા દેશોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે થોડા સમય બાદ લૂનાર વર્ષ આવવાનું છે. લૂનાર નવ વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ચીન આવતા હોય છે. જેને કારણે ચીને કોરોના પર પ્રતિબંધો લગાવવાની બદલીમાં નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ બોર્ડર ખોલી દીધી છે. લાખો લોકો આ દરમિયાન મોટા શહેરોથી લઈ નાના ગામડાની મુલાકાત લેશે. આ દરમિયાન કોરોના સંક્રમણ ઝડપથી વધી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોના!, લોકડાઉન પણ કામ ન લાગ્યું, શાંઘાઈમાં  3ના મોત

The peak of Corona in China will come on 13 Jan. 37 lakh new cases per day  | Sandesh

અંતિમ સંસ્કાર માટે જોવા મળી લાંબી કતાર

ચીનમાં રોકેટગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. વિશ્વના અનેક દેશોએ ચીન પર કોરોનાના આંકડા છૂપાવાનો આરોપ લગાવ્યો છે. કોરોનાના સાચા આંકડા ચીન કદી આપતું નથી. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડોક્ટરો પર પણ દબાણ કરવાની શરૂઆત કરી દીધી છે. મળતી  માહિતી અનુસાર કોરોનાથી જો મોત થઈ હોય તો તેનું કારણ ન આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા તો વધી રહી છે પરંતુ સ્મશાન બહાર પણ અંતિમ સંસ્કાર કરવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.   

  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.