કોરોના સંક્રમણ વચ્ચે ચીન સરકારનો આ નિર્ણય પડી શકે છે ભારે, જાણો શું લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-01-09 12:08:38

ચીનમાં કોરોના સંકટ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ચીનમાં વધતા કોરોના સંકટને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. ચીનમાં કોરોના સંક્રમણ વઘી રહ્યું છે પણ ચીન સરકાર પ્રતિબંધો લગાવાને બદલે પ્રતિબંધો હટાવી રહી છે. સરકારે તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. ચીને પોતાની તમામ બોર્ડર પણ ખોલી દીધી છે.       

Corona explosion in China about 220000 new cases - ચીનમાં કોરોના વિસ્ફોટ, 1  જાન્યુઆરી સુધી એક સપ્તાહમાં આવ્યા લગભગ 2,20,000 નવા કેસ – News18 Gujarati

ચીને હટાવ્યા તમામ પ્રતિબંધો 

ચીનમાં એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના કેસને લઈ બીજા દેશોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે થોડા સમય બાદ લૂનાર વર્ષ આવવાનું છે. લૂનાર નવ વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ચીન આવતા હોય છે. જેને કારણે ચીને કોરોના પર પ્રતિબંધો લગાવવાની બદલીમાં નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ બોર્ડર ખોલી દીધી છે. લાખો લોકો આ દરમિયાન મોટા શહેરોથી લઈ નાના ગામડાની મુલાકાત લેશે. આ દરમિયાન કોરોના સંક્રમણ ઝડપથી વધી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.

ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોના!, લોકડાઉન પણ કામ ન લાગ્યું, શાંઘાઈમાં  3ના મોત

The peak of Corona in China will come on 13 Jan. 37 lakh new cases per day  | Sandesh

અંતિમ સંસ્કાર માટે જોવા મળી લાંબી કતાર

ચીનમાં રોકેટગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. વિશ્વના અનેક દેશોએ ચીન પર કોરોનાના આંકડા છૂપાવાનો આરોપ લગાવ્યો છે. કોરોનાના સાચા આંકડા ચીન કદી આપતું નથી. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડોક્ટરો પર પણ દબાણ કરવાની શરૂઆત કરી દીધી છે. મળતી  માહિતી અનુસાર કોરોનાથી જો મોત થઈ હોય તો તેનું કારણ ન આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમિતોની સંખ્યા તો વધી રહી છે પરંતુ સ્મશાન બહાર પણ અંતિમ સંસ્કાર કરવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે.   

  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.