આ વખતે કર્ણાટકમાં ઘડાશે લોકસભા ચૂંટણીને લઈ રણનીતિ! આ તારીખે આયોજીત થવાની છે વિપક્ષી એકતા બેઠક


  • Published By :
  • Published Date : 2023-07-12 16:07:54

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં એકતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિપક્ષી પાર્ટી દ્વારા એકતા બેઠક કરવામાં આવી હતી જેમાં અનેક પાર્ટીના નેતાઓનો સમાવેશ થયો હતો. ત્યારે ફરી એક વખત બેઠકનું આયોજન થવાનું છે જે કર્ણાટકના બેંગ્લુરૂમાં આયોજીત થવાની છે. 24 જેટલી પાર્ટીઓ આ બેઠકમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસે આ બેઠક બોલાવી છે, જે 17-18 જુલાઈના રોજ આયોજીત થવાની છે.

  

પહેલી બેઠક મળી હતી પટનામાં 

કેન્દ્રમાં હાલ ભાજપની સત્તા છે. ભાજપ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો વિરોધ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષમાં એકતા આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 23 જૂનના રોજ પટનામાં વિપક્ષના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠકમાં અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. મુખ્યમંત્રી નિતીશ કુમારના નિવાસસ્થાને મળેલી બેઠકમાં જનતા દળ યુનાઈટેડના નિતીશ કુમાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, કોંગ્રેસ તરફથી આ બેઠકમાં સામેલ થવા રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે આવશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તે સિવાય શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે, પીડીપીના મહબૂબા મૂફ્તી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી હાજર રહ્યા હતા. ત્યારે આ વખતની બેઠકમાં પણ 24 જેટલી રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ વખતે કર્ણાટકમાં બેઠક બોલાવાઈ છે. 


સોનિયા ગાંધી બેઠકમાં થઈ શકે છે સામેલ 

વિપક્ષી એકતા બેઠકમાં 24 જેટલી રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં MDMK, KDMK, VCK, RSP,ફોરવર્ડ બ્લોક, IUML,કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ) ના નામનો સમાવેશ થાય છે. 18  જુલાઈના રોજ સત્તાવાર રીતે નેતાઓ મળશે, પરંતુ બેઠકના એક દિવસ પહેલા એટલે કે 17 જુલાઈના રોજ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. નેતાઓ અનઔપચારિક રીતે બેઠક કરશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સોનિયા ગાંધી પણ સામેલ થઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે બંને દિવસની બેઠકમાં હાજર રહેવાના છે. ત્યારે 2024માં થનારી લોકસભાની ચૂંટણી કયા મુદ્દે લડવી, તેમજ કેવી રીતે ભાજપને હરાવી તે મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .