આ વખતે કર્ણાટકમાં ઘડાશે લોકસભા ચૂંટણીને લઈ રણનીતિ! આ તારીખે આયોજીત થવાની છે વિપક્ષી એકતા બેઠક


  • Published By :
  • Published Date : 2023-07-12 16:07:54

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટીએ ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીમાં એકતા આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા વિપક્ષી પાર્ટી દ્વારા એકતા બેઠક કરવામાં આવી હતી જેમાં અનેક પાર્ટીના નેતાઓનો સમાવેશ થયો હતો. ત્યારે ફરી એક વખત બેઠકનું આયોજન થવાનું છે જે કર્ણાટકના બેંગ્લુરૂમાં આયોજીત થવાની છે. 24 જેટલી પાર્ટીઓ આ બેઠકમાં સામેલ થઈ શકે છે. કોંગ્રેસે આ બેઠક બોલાવી છે, જે 17-18 જુલાઈના રોજ આયોજીત થવાની છે.

  

પહેલી બેઠક મળી હતી પટનામાં 

કેન્દ્રમાં હાલ ભાજપની સત્તા છે. ભાજપ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો વિરોધ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષમાં એકતા આવે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 23 જૂનના રોજ પટનામાં વિપક્ષના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી. તે બેઠકમાં અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. મુખ્યમંત્રી નિતીશ કુમારના નિવાસસ્થાને મળેલી બેઠકમાં જનતા દળ યુનાઈટેડના નિતીશ કુમાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, કોંગ્રેસ તરફથી આ બેઠકમાં સામેલ થવા રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે આવશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, તે સિવાય શિવસેના તરફથી ઉદ્ધવ ઠાકરે, પીડીપીના મહબૂબા મૂફ્તી તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી હાજર રહ્યા હતા. ત્યારે આ વખતની બેઠકમાં પણ 24 જેટલી રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ વખતે કર્ણાટકમાં બેઠક બોલાવાઈ છે. 


સોનિયા ગાંધી બેઠકમાં થઈ શકે છે સામેલ 

વિપક્ષી એકતા બેઠકમાં 24 જેટલી રાજકીય પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં MDMK, KDMK, VCK, RSP,ફોરવર્ડ બ્લોક, IUML,કેરળ કોંગ્રેસ (જોસેફ) અને કેરળ કોંગ્રેસ (મણિ) ના નામનો સમાવેશ થાય છે. 18  જુલાઈના રોજ સત્તાવાર રીતે નેતાઓ મળશે, પરંતુ બેઠકના એક દિવસ પહેલા એટલે કે 17 જુલાઈના રોજ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. નેતાઓ અનઔપચારિક રીતે બેઠક કરશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સોનિયા ગાંધી પણ સામેલ થઈ શકે છે. મલ્લિકાર્જુન ખડગે બંને દિવસની બેઠકમાં હાજર રહેવાના છે. ત્યારે 2024માં થનારી લોકસભાની ચૂંટણી કયા મુદ્દે લડવી, તેમજ કેવી રીતે ભાજપને હરાવી તે મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.