Waqf સુધારા બિલ માટે રચાયેલી JPCમાં આમનો કરાયો સમાવેશ, જાણો કોને આપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-08-09 18:03:19

વકફ સંશોધન ખરડો 2024ને લઈને ખુબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં આ ખરડાને લઈને હવે JPC એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીમાં ક્યા સાંસદો હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ કમિટીમાં રાજ્યસભાના પણ સદસ્યો હશે . સરકારે ગઈકાલે જ લોકસભામાં આ ખરડાને JPCને મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.  ગઈકાલે આને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.  

કેન્દ્ર સરકારે આ ખરડાને લઈ જાહેરાત કરી.. 

કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજ્જુ દ્વારા લોકસભામાં વકફ સંશોધન ખરડો ગઈકાલે રજૂ કરવામાં આવ્યો. ત્યારે વિપક્ષના સાંસદોએ ગૃહમાં આ ખરડા પર ચર્ચા દરમિયાન ખુબ હોબાળો કર્યો હતો. જોકે આ પછી કેન્દ્ર સરકારે લોકસભામાં આ ખરડાને જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીને મોકલવાની જાહેરાત કરી હતી. તો હવે આ JPCના નિર્માણ માટે 31 સદસ્યોની નિમણુંક કરી દેવામાં આવી છે . જેમાં 21 સાંસદો લોકસભાના હશે જ્યારે 10 સાંસદો રાજ્યસભાના હશે . આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની સામે આ વક્ફ ખરડાના બધા જ સુધારા રાખવામાં આવશે તેની પર ચર્ચા થશે , વિચાર થશે . આ JPCમાં બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિ હાજર રહેશે. 




કોણ કોણ છે  JPCના સદસ્યો?

વાત કરીએ JPCના સદસ્યોની તો બીજેપી તરફથી તેમાં જગદંબિકા પાલ , તેજસ્વી સૂર્યા , નિશિકાંત દુબે , અભિજીત ગંગોપાધ્યાય , સંજય જયસ્વાલ, ડી.કે.અરુણા હશે . આ ઉપરાંત વિપક્ષ તરફથી ઇમરાન મસૂદ , ગૌરવ ગોગોઈ , મોહમ્મદ જાવેદ , કલ્યાણ બેનર્જી , એ રાજા વગેરે સાંસદો આ JPCમાં વક્ફ સંશોધન ખરડાની તપાસ કરશે. આ બધામાં 1 ચેરમેન પણ હશે . આ JPC પાસે 4 મહિનાનો સમય હશે , ઉપરાંત તમામ સ્ટેક હોલ્ડર સાથે વાતચીત કરવામાં આવશે. પોઇન્ટ બાય પોઇન્ટ ચર્ચા થશે. પછી જે સૂચન આવશે તેની એક યાદી બનાવવામાં આવશે તેની યાદી પરથી એક રિપોર્ટ બનાવવામાં આવશે . આ રિપોર્ટ બંને ગૃહોમાં જમા કરાવવામાં આવશે. એક વસ્તુ ચોક્કસ છે કે , ગઠબંધન યુગમાં પૂર્ણ બહુમત સાથે પાસ કરાવવાની જગ્યાએ સરકારે આ બિલને JPCને મોકલવાનું પસંદ કર્યું છે . કહેવાઈ રહ્યું છે કે , સાથી પક્ષો JDU અને TDPનું સરકાર પર JPC ગઠન માટે દબાણ હતું. 



ક્યારે બનાવામાં આવે છે  જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી?

વાત કરીએ આ JPCની એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની તો તે સંસદમાં કોઈ બિલની તપાસ માટે બનાવવામાં આવે છે . આ JPCમાં બેઉ પક્ષો સત્તાધારી અને વિરોધ પક્ષના સાંસદો હોય છે . સભ્ય સંખ્યા પર કોઈ લિમિટ હોતી નથી . આના કોઈ પણ સૂચનો એ સરકાર પર બાધ્ય નથી હોતા . ભુતકાળમાં આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીએ બોફોર્સ કૌભાંડ 1987 , હર્ષદ મહેતાનું સ્ટોક માર્કેટ સ્કેમ 1992 , કેતન પારેખ સ્કેમ 2001, આ પછી નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન 2016 વખતે અને છેલ્લે 2019માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર બનાવવામાં આવી હતી. તો જોઈએ આ JPCનો રિપોર્ટ વક્ફ સંશોધન ખરડા પર કેવો હશે?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.