Waqf સુધારા બિલ માટે રચાયેલી JPCમાં આમનો કરાયો સમાવેશ, જાણો કોને આપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-08-09 18:03:19

વકફ સંશોધન ખરડો 2024ને લઈને ખુબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં આ ખરડાને લઈને હવે JPC એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીમાં ક્યા સાંસદો હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ કમિટીમાં રાજ્યસભાના પણ સદસ્યો હશે . સરકારે ગઈકાલે જ લોકસભામાં આ ખરડાને JPCને મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.  ગઈકાલે આને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.  

કેન્દ્ર સરકારે આ ખરડાને લઈ જાહેરાત કરી.. 

કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજ્જુ દ્વારા લોકસભામાં વકફ સંશોધન ખરડો ગઈકાલે રજૂ કરવામાં આવ્યો. ત્યારે વિપક્ષના સાંસદોએ ગૃહમાં આ ખરડા પર ચર્ચા દરમિયાન ખુબ હોબાળો કર્યો હતો. જોકે આ પછી કેન્દ્ર સરકારે લોકસભામાં આ ખરડાને જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીને મોકલવાની જાહેરાત કરી હતી. તો હવે આ JPCના નિર્માણ માટે 31 સદસ્યોની નિમણુંક કરી દેવામાં આવી છે . જેમાં 21 સાંસદો લોકસભાના હશે જ્યારે 10 સાંસદો રાજ્યસભાના હશે . આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની સામે આ વક્ફ ખરડાના બધા જ સુધારા રાખવામાં આવશે તેની પર ચર્ચા થશે , વિચાર થશે . આ JPCમાં બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિ હાજર રહેશે. 




કોણ કોણ છે  JPCના સદસ્યો?

વાત કરીએ JPCના સદસ્યોની તો બીજેપી તરફથી તેમાં જગદંબિકા પાલ , તેજસ્વી સૂર્યા , નિશિકાંત દુબે , અભિજીત ગંગોપાધ્યાય , સંજય જયસ્વાલ, ડી.કે.અરુણા હશે . આ ઉપરાંત વિપક્ષ તરફથી ઇમરાન મસૂદ , ગૌરવ ગોગોઈ , મોહમ્મદ જાવેદ , કલ્યાણ બેનર્જી , એ રાજા વગેરે સાંસદો આ JPCમાં વક્ફ સંશોધન ખરડાની તપાસ કરશે. આ બધામાં 1 ચેરમેન પણ હશે . આ JPC પાસે 4 મહિનાનો સમય હશે , ઉપરાંત તમામ સ્ટેક હોલ્ડર સાથે વાતચીત કરવામાં આવશે. પોઇન્ટ બાય પોઇન્ટ ચર્ચા થશે. પછી જે સૂચન આવશે તેની એક યાદી બનાવવામાં આવશે તેની યાદી પરથી એક રિપોર્ટ બનાવવામાં આવશે . આ રિપોર્ટ બંને ગૃહોમાં જમા કરાવવામાં આવશે. એક વસ્તુ ચોક્કસ છે કે , ગઠબંધન યુગમાં પૂર્ણ બહુમત સાથે પાસ કરાવવાની જગ્યાએ સરકારે આ બિલને JPCને મોકલવાનું પસંદ કર્યું છે . કહેવાઈ રહ્યું છે કે , સાથી પક્ષો JDU અને TDPનું સરકાર પર JPC ગઠન માટે દબાણ હતું. 



ક્યારે બનાવામાં આવે છે  જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી?

વાત કરીએ આ JPCની એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની તો તે સંસદમાં કોઈ બિલની તપાસ માટે બનાવવામાં આવે છે . આ JPCમાં બેઉ પક્ષો સત્તાધારી અને વિરોધ પક્ષના સાંસદો હોય છે . સભ્ય સંખ્યા પર કોઈ લિમિટ હોતી નથી . આના કોઈ પણ સૂચનો એ સરકાર પર બાધ્ય નથી હોતા . ભુતકાળમાં આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીએ બોફોર્સ કૌભાંડ 1987 , હર્ષદ મહેતાનું સ્ટોક માર્કેટ સ્કેમ 1992 , કેતન પારેખ સ્કેમ 2001, આ પછી નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન 2016 વખતે અને છેલ્લે 2019માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર બનાવવામાં આવી હતી. તો જોઈએ આ JPCનો રિપોર્ટ વક્ફ સંશોધન ખરડા પર કેવો હશે?



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.