Waqf સુધારા બિલ માટે રચાયેલી JPCમાં આમનો કરાયો સમાવેશ, જાણો કોને આપવામાં આવી જવાબદારી?


  • Published By :
  • Published Date : 2024-08-09 18:03:19

વકફ સંશોધન ખરડો 2024ને લઈને ખુબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં આ ખરડાને લઈને હવે JPC એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીમાં ક્યા સાંસદો હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. આ કમિટીમાં રાજ્યસભાના પણ સદસ્યો હશે . સરકારે ગઈકાલે જ લોકસભામાં આ ખરડાને JPCને મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.  ગઈકાલે આને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો.  

કેન્દ્ર સરકારે આ ખરડાને લઈ જાહેરાત કરી.. 

કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજ્જુ દ્વારા લોકસભામાં વકફ સંશોધન ખરડો ગઈકાલે રજૂ કરવામાં આવ્યો. ત્યારે વિપક્ષના સાંસદોએ ગૃહમાં આ ખરડા પર ચર્ચા દરમિયાન ખુબ હોબાળો કર્યો હતો. જોકે આ પછી કેન્દ્ર સરકારે લોકસભામાં આ ખરડાને જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીને મોકલવાની જાહેરાત કરી હતી. તો હવે આ JPCના નિર્માણ માટે 31 સદસ્યોની નિમણુંક કરી દેવામાં આવી છે . જેમાં 21 સાંસદો લોકસભાના હશે જ્યારે 10 સાંસદો રાજ્યસભાના હશે . આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની સામે આ વક્ફ ખરડાના બધા જ સુધારા રાખવામાં આવશે તેની પર ચર્ચા થશે , વિચાર થશે . આ JPCમાં બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિ હાજર રહેશે. 




કોણ કોણ છે  JPCના સદસ્યો?

વાત કરીએ JPCના સદસ્યોની તો બીજેપી તરફથી તેમાં જગદંબિકા પાલ , તેજસ્વી સૂર્યા , નિશિકાંત દુબે , અભિજીત ગંગોપાધ્યાય , સંજય જયસ્વાલ, ડી.કે.અરુણા હશે . આ ઉપરાંત વિપક્ષ તરફથી ઇમરાન મસૂદ , ગૌરવ ગોગોઈ , મોહમ્મદ જાવેદ , કલ્યાણ બેનર્જી , એ રાજા વગેરે સાંસદો આ JPCમાં વક્ફ સંશોધન ખરડાની તપાસ કરશે. આ બધામાં 1 ચેરમેન પણ હશે . આ JPC પાસે 4 મહિનાનો સમય હશે , ઉપરાંત તમામ સ્ટેક હોલ્ડર સાથે વાતચીત કરવામાં આવશે. પોઇન્ટ બાય પોઇન્ટ ચર્ચા થશે. પછી જે સૂચન આવશે તેની એક યાદી બનાવવામાં આવશે તેની યાદી પરથી એક રિપોર્ટ બનાવવામાં આવશે . આ રિપોર્ટ બંને ગૃહોમાં જમા કરાવવામાં આવશે. એક વસ્તુ ચોક્કસ છે કે , ગઠબંધન યુગમાં પૂર્ણ બહુમત સાથે પાસ કરાવવાની જગ્યાએ સરકારે આ બિલને JPCને મોકલવાનું પસંદ કર્યું છે . કહેવાઈ રહ્યું છે કે , સાથી પક્ષો JDU અને TDPનું સરકાર પર JPC ગઠન માટે દબાણ હતું. 



ક્યારે બનાવામાં આવે છે  જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી?

વાત કરીએ આ JPCની એટલે કે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીની તો તે સંસદમાં કોઈ બિલની તપાસ માટે બનાવવામાં આવે છે . આ JPCમાં બેઉ પક્ષો સત્તાધારી અને વિરોધ પક્ષના સાંસદો હોય છે . સભ્ય સંખ્યા પર કોઈ લિમિટ હોતી નથી . આના કોઈ પણ સૂચનો એ સરકાર પર બાધ્ય નથી હોતા . ભુતકાળમાં આ જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટીએ બોફોર્સ કૌભાંડ 1987 , હર્ષદ મહેતાનું સ્ટોક માર્કેટ સ્કેમ 1992 , કેતન પારેખ સ્કેમ 2001, આ પછી નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન 2016 વખતે અને છેલ્લે 2019માં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર બનાવવામાં આવી હતી. તો જોઈએ આ JPCનો રિપોર્ટ વક્ફ સંશોધન ખરડા પર કેવો હશે?



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .