ચીનમાં કોરોનાને કારણે હજારો લોકોના થઈ રહ્યા છે મોત! સ્મશાન ગૃહ બહાર લાગી લાંબી લાઈનો


  • Published By :
  • Published Date : 2023-01-22 13:50:10

કોરોના ફરી એક વખત દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાથી હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં વધતા કોરોનાના કેસને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ચીનમાં વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. એક અંદાજા પ્રમાણે ચીનની 80 ટકા વસતી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. ઉપરાંત ચીને કોરોનાને કારણે લગાવેલા પ્રતિબંધો પણ હટાવી દીધા છે. જેને કારણે આવનાર દિવસોમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે.

 

ચીનમાં કોરોનાને કારણે હાહાકાર 

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં તો કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ચીનની 80 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ ગઈ છે. 13થી 19 જાન્યુઆરી દરમિયાન કોરોનાને કારણે 13 હજારથી વધુ લોકોના મોત થયા છે. 


એક અઠવાડિયામાં થયા 13 હજાર લોકોના થયા મોત! 

કોરોના કેસ વધવાને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. પરંતુ કડક નિયમોનો વિરોધ ત્યાંના લોકોએ કર્યો હતો. રસ્તા પર આવી લોકોએ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જે બાદ કોરોના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. હમણાં પણ ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ચીનમાં 13થી 19 જાન્યુઆરી દરમિયાન 13 હજાર લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે. સ્માશાન ગૃહ બહાર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. 


કોરોનાનો સાચો આંકડો છૂપાવવાનો ચીન પર લાગ્યો છે આરોપ

ચીન પર કોરોનાનો આંકડો છુપાવવાના આરોપો લાગ્યા છે. જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની ટીકા થઈ રહી છે. શરૂઆતથી જ ચીન મૃત્યુઆંક છૂપાવી રહી છે. ચીનનું કહેવું છે કે અહીં માત્ર 5 હજાર લોકોનો જ મોત થયા છે પરંતુ સ્મશાન ઘરની બહાર ઉભેલી લાઈન કંઈક બીજુ જ દર્શાવે છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .