ચીનમાં કોરોનાને કારણે હજારો લોકોના થઈ રહ્યા છે મોત! સ્મશાન ગૃહ બહાર લાગી લાંબી લાઈનો


  • Published By :
  • Published Date : 2023-01-22 13:50:10

કોરોના ફરી એક વખત દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાથી હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં વધતા કોરોનાના કેસને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ચીનમાં વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. એક અંદાજા પ્રમાણે ચીનની 80 ટકા વસતી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. ઉપરાંત ચીને કોરોનાને કારણે લગાવેલા પ્રતિબંધો પણ હટાવી દીધા છે. જેને કારણે આવનાર દિવસોમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે.

 

ચીનમાં કોરોનાને કારણે હાહાકાર 

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં તો કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ચીનની 80 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ ગઈ છે. 13થી 19 જાન્યુઆરી દરમિયાન કોરોનાને કારણે 13 હજારથી વધુ લોકોના મોત થયા છે. 


એક અઠવાડિયામાં થયા 13 હજાર લોકોના થયા મોત! 

કોરોના કેસ વધવાને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. પરંતુ કડક નિયમોનો વિરોધ ત્યાંના લોકોએ કર્યો હતો. રસ્તા પર આવી લોકોએ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જે બાદ કોરોના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. હમણાં પણ ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ચીનમાં 13થી 19 જાન્યુઆરી દરમિયાન 13 હજાર લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે. સ્માશાન ગૃહ બહાર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. 


કોરોનાનો સાચો આંકડો છૂપાવવાનો ચીન પર લાગ્યો છે આરોપ

ચીન પર કોરોનાનો આંકડો છુપાવવાના આરોપો લાગ્યા છે. જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની ટીકા થઈ રહી છે. શરૂઆતથી જ ચીન મૃત્યુઆંક છૂપાવી રહી છે. ચીનનું કહેવું છે કે અહીં માત્ર 5 હજાર લોકોનો જ મોત થયા છે પરંતુ સ્મશાન ઘરની બહાર ઉભેલી લાઈન કંઈક બીજુ જ દર્શાવે છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .