ચીનમાં કોરોનાને કારણે હજારો લોકોના થઈ રહ્યા છે મોત! સ્મશાન ગૃહ બહાર લાગી લાંબી લાઈનો


  • Published By :
  • Published Date : 2023-01-22 13:50:10

કોરોના ફરી એક વખત દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાથી હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ચીનમાં વધતા કોરોનાના કેસને કારણે વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. ચીનમાં વાયરસે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. એક અંદાજા પ્રમાણે ચીનની 80 ટકા વસતી કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. ઉપરાંત ચીને કોરોનાને કારણે લગાવેલા પ્રતિબંધો પણ હટાવી દીધા છે. જેને કારણે આવનાર દિવસોમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી શકે છે.

 

ચીનમાં કોરોનાને કારણે હાહાકાર 

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. ચીનમાં તો કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ચીનની 80 ટકા વસ્તી કોરોના સંક્રમિત થઈ ગઈ છે. 13થી 19 જાન્યુઆરી દરમિયાન કોરોનાને કારણે 13 હજારથી વધુ લોકોના મોત થયા છે. 


એક અઠવાડિયામાં થયા 13 હજાર લોકોના થયા મોત! 

કોરોના કેસ વધવાને કારણે ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા હતા. પરંતુ કડક નિયમોનો વિરોધ ત્યાંના લોકોએ કર્યો હતો. રસ્તા પર આવી લોકોએ સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જે બાદ કોરોના કેસમાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. હમણાં પણ ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ચીનમાં 13થી 19 જાન્યુઆરી દરમિયાન 13 હજાર લોકોના મોત કોરોનાને કારણે થઈ ગયા છે. સ્માશાન ગૃહ બહાર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. 


કોરોનાનો સાચો આંકડો છૂપાવવાનો ચીન પર લાગ્યો છે આરોપ

ચીન પર કોરોનાનો આંકડો છુપાવવાના આરોપો લાગ્યા છે. જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચીનની ટીકા થઈ રહી છે. શરૂઆતથી જ ચીન મૃત્યુઆંક છૂપાવી રહી છે. ચીનનું કહેવું છે કે અહીં માત્ર 5 હજાર લોકોનો જ મોત થયા છે પરંતુ સ્મશાન ઘરની બહાર ઉભેલી લાઈન કંઈક બીજુ જ દર્શાવે છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.