ઉત્તરાખંડના જોશીમઠ પર વધતો ખતરો, પરિવારોને કરાઈ રહ્યા છે શિફ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-07 14:29:29

ભારતમાં અનેક પવિત્ર યાત્રાધામ આવેલા છે. તેમાંથી ઉત્તરાખંડમાં આવેલા તીર્થસ્થાનોમાં વિશેષ મહત્વ રહેલું છે. ઉત્તરાખંડમાં જોશીમઠનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ ત્યાં બનતી ઘટનાઓને કારણે ચિંતાનો વિષય બની છે.  રસ્તાઓ પર તેમજ ઘરોમાં લાંબી લાંબી તિરાડો પડી રહી છે. તિરાડો પડવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. 

Image


મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત 

ઉત્તરાખંડમાં જમીન અને પર્વતો ઘસી રહ્યા છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. જોશીમઠ પર સંકટ સતત વધી રહ્યું છે. આડેધડ બાંધકામ, વહેતી નદીઓના કારણે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે.  જોશીમઠ પર ખતરો વધતા મુખ્યમંત્રી એક્ટિવ થઈ ગયા છે. જોશીમઠની મુલાકાત લેવા અને ઘટના સ્થળની હાલત જોવા મુખ્યમંત્રી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 


561 ઘર થયા છે પ્રભાવિત 

જોશીમઠમાં જમીન ધસવાને કારણે 561 ઘરોમાં તિરાડ પડી ગઈ છે. ત્યાં થતા તમામ કામોને તાત્કાલિક રોકવા આદેશ આપવામાં આવ્યો છે.  જોશીમઠની આવી પરિસ્થિતિ માટે જવાબદાર એનટીપીસીની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલ અને ચારધામ ઓલ વેધર રોડ નિર્માણને કારણે આ બની રહ્યું છે. આ બાંધકામને કારણે આ દુર્ઘટના સર્જાઈ રહી છે તેવું માનવામાં આવી રહ્યું છે. 


આદિગુરૂ શંકરાચાર્યની આવી છે ગાદી

જોશીમઠમાં થતા ભૂસ્ખલનની અસર જ્યોતિર્મઠ પર પણ જોવા મળી રહી છે. ત્યાંના પ્રભારીએ જણાવ્યું કે પરિસરમાં આવેલા ભવનો, લક્ષ્મી નારાયણ મંદિરની આસપાસ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. આ પરિસરમાં ટોટકાર્ચાર્ય ગુફા, ત્રિપુર સુંદરી રાજરાજેશ્વરી મંદિર અને જ્યોતિષ પીઠને આદિગુરૂ શંકરાચાર્યની ગાદી આવેલી છે. 

 

તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે સર્વે 

થોડા વર્ષો પહેલા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું પરંતુ તે વખતે ઘ્યાન આપવામાં ન આવ્યું હતું. આ ઘટનાને લઈ ચેતવણી આપવામાં આવી હતી. દિવસનો સમય તો પસાર થઈ ગયા છે પરંતુ આવી પરિસ્થિતિમાં રાતનો સમય પસાર કરવો ઘણો મુશ્કેલ બની રહે છે. આટલી ઠંડીમાં લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂર્ગમાં જળ સતત લીકેજ થઈ રહ્યું છે.  વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ ડોર-ટુ-ડોર સર્વે પણ કર્યો હતો.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.