ઉત્તરાખંડના જોશીમઠ પર વધતો ખતરો, પરિવારોને કરાઈ રહ્યા છે શિફ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-07 14:29:29

ભારતમાં અનેક પવિત્ર યાત્રાધામ આવેલા છે. તેમાંથી ઉત્તરાખંડમાં આવેલા તીર્થસ્થાનોમાં વિશેષ મહત્વ રહેલું છે. ઉત્તરાખંડમાં જોશીમઠનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ ત્યાં બનતી ઘટનાઓને કારણે ચિંતાનો વિષય બની છે.  રસ્તાઓ પર તેમજ ઘરોમાં લાંબી લાંબી તિરાડો પડી રહી છે. તિરાડો પડવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. 

Image


મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત 

ઉત્તરાખંડમાં જમીન અને પર્વતો ઘસી રહ્યા છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. જોશીમઠ પર સંકટ સતત વધી રહ્યું છે. આડેધડ બાંધકામ, વહેતી નદીઓના કારણે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે.  જોશીમઠ પર ખતરો વધતા મુખ્યમંત્રી એક્ટિવ થઈ ગયા છે. જોશીમઠની મુલાકાત લેવા અને ઘટના સ્થળની હાલત જોવા મુખ્યમંત્રી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 


561 ઘર થયા છે પ્રભાવિત 

જોશીમઠમાં જમીન ધસવાને કારણે 561 ઘરોમાં તિરાડ પડી ગઈ છે. ત્યાં થતા તમામ કામોને તાત્કાલિક રોકવા આદેશ આપવામાં આવ્યો છે.  જોશીમઠની આવી પરિસ્થિતિ માટે જવાબદાર એનટીપીસીની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલ અને ચારધામ ઓલ વેધર રોડ નિર્માણને કારણે આ બની રહ્યું છે. આ બાંધકામને કારણે આ દુર્ઘટના સર્જાઈ રહી છે તેવું માનવામાં આવી રહ્યું છે. 


આદિગુરૂ શંકરાચાર્યની આવી છે ગાદી

જોશીમઠમાં થતા ભૂસ્ખલનની અસર જ્યોતિર્મઠ પર પણ જોવા મળી રહી છે. ત્યાંના પ્રભારીએ જણાવ્યું કે પરિસરમાં આવેલા ભવનો, લક્ષ્મી નારાયણ મંદિરની આસપાસ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. આ પરિસરમાં ટોટકાર્ચાર્ય ગુફા, ત્રિપુર સુંદરી રાજરાજેશ્વરી મંદિર અને જ્યોતિષ પીઠને આદિગુરૂ શંકરાચાર્યની ગાદી આવેલી છે. 

 

તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે સર્વે 

થોડા વર્ષો પહેલા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું પરંતુ તે વખતે ઘ્યાન આપવામાં ન આવ્યું હતું. આ ઘટનાને લઈ ચેતવણી આપવામાં આવી હતી. દિવસનો સમય તો પસાર થઈ ગયા છે પરંતુ આવી પરિસ્થિતિમાં રાતનો સમય પસાર કરવો ઘણો મુશ્કેલ બની રહે છે. આટલી ઠંડીમાં લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂર્ગમાં જળ સતત લીકેજ થઈ રહ્યું છે.  વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ ડોર-ટુ-ડોર સર્વે પણ કર્યો હતો.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.