ઉત્તરાખંડના જોશીમઠ પર વધતો ખતરો, પરિવારોને કરાઈ રહ્યા છે શિફ્ટ


  • Published By :
  • Published Date : 2023-01-07 14:29:29

ભારતમાં અનેક પવિત્ર યાત્રાધામ આવેલા છે. તેમાંથી ઉત્તરાખંડમાં આવેલા તીર્થસ્થાનોમાં વિશેષ મહત્વ રહેલું છે. ઉત્તરાખંડમાં જોશીમઠનું વિશેષ મહત્વ રહેલું છે. પરંતુ ત્યાં બનતી ઘટનાઓને કારણે ચિંતાનો વિષય બની છે.  રસ્તાઓ પર તેમજ ઘરોમાં લાંબી લાંબી તિરાડો પડી રહી છે. તિરાડો પડવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. 

Image


મુખ્યમંત્રીએ લીધી ઘટનાસ્થળની મુલાકાત 

ઉત્તરાખંડમાં જમીન અને પર્વતો ઘસી રહ્યા છે. ઘરોમાં તિરાડો પડી રહી છે. જોશીમઠ પર સંકટ સતત વધી રહ્યું છે. આડેધડ બાંધકામ, વહેતી નદીઓના કારણે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે.  જોશીમઠ પર ખતરો વધતા મુખ્યમંત્રી એક્ટિવ થઈ ગયા છે. જોશીમઠની મુલાકાત લેવા અને ઘટના સ્થળની હાલત જોવા મુખ્યમંત્રી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 


561 ઘર થયા છે પ્રભાવિત 

જોશીમઠમાં જમીન ધસવાને કારણે 561 ઘરોમાં તિરાડ પડી ગઈ છે. ત્યાં થતા તમામ કામોને તાત્કાલિક રોકવા આદેશ આપવામાં આવ્યો છે.  જોશીમઠની આવી પરિસ્થિતિ માટે જવાબદાર એનટીપીસીની હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલ અને ચારધામ ઓલ વેધર રોડ નિર્માણને કારણે આ બની રહ્યું છે. આ બાંધકામને કારણે આ દુર્ઘટના સર્જાઈ રહી છે તેવું માનવામાં આવી રહ્યું છે. 


આદિગુરૂ શંકરાચાર્યની આવી છે ગાદી

જોશીમઠમાં થતા ભૂસ્ખલનની અસર જ્યોતિર્મઠ પર પણ જોવા મળી રહી છે. ત્યાંના પ્રભારીએ જણાવ્યું કે પરિસરમાં આવેલા ભવનો, લક્ષ્મી નારાયણ મંદિરની આસપાસ મોટી મોટી તિરાડો જોવા મળી રહી છે. આ પરિસરમાં ટોટકાર્ચાર્ય ગુફા, ત્રિપુર સુંદરી રાજરાજેશ્વરી મંદિર અને જ્યોતિષ પીઠને આદિગુરૂ શંકરાચાર્યની ગાદી આવેલી છે. 

 

તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે સર્વે 

થોડા વર્ષો પહેલા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું પરંતુ તે વખતે ઘ્યાન આપવામાં ન આવ્યું હતું. આ ઘટનાને લઈ ચેતવણી આપવામાં આવી હતી. દિવસનો સમય તો પસાર થઈ ગયા છે પરંતુ આવી પરિસ્થિતિમાં રાતનો સમય પસાર કરવો ઘણો મુશ્કેલ બની રહે છે. આટલી ઠંડીમાં લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. ભૂર્ગમાં જળ સતત લીકેજ થઈ રહ્યું છે.  વહીવટીતંત્ર અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ ડોર-ટુ-ડોર સર્વે પણ કર્યો હતો.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.