મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સી એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-07 12:50:39

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટોને લઈ અનેક સમાચાર સામે આવતા હોય છે. ફ્લાઈટને ઉડાવાની ધમકી મળતી હોય છે જેને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાતી હોય છે. ત્યારે  મુંબઈના છત્રપતી શિવાજી મહારાજ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. હમલાની ધમકી મળતા એરપોર્ટ તંત્ર સર્તક થઈ ગયું હતું. ફોન કરનાર પોતાની ઓળખ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની આપી. ધમકીભર્યો ફોન આવ્યો હતો જેને કારણે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.     


હમલાની ધમકી મળતા એરપોર્ટ પર વધારાઈ સુરક્ષા 

આ અંગે મળતી માહિતી અનુસાર એરપોર્ટ સેન્ટર પર અંદાજીત રાતના 10 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહમદ શેખ બતાવ્યું અને કહ્યું કે તે ઈન્ડિયન મુજાહિદ્દિન નામના આતંકી સંગઠનનો સદસ્ય છે. પોતાની જાણકારી આપ્યા બાદ કોડ ભાષામાં તેમણે વાત કરી પરંતુ ફોન ઉઠાવનાર વ્યક્તિ તે સમજવામાં અસમર્થ રહ્યો. એરર્પોર્ટ પર આ પ્રકારનો ફોન આવવાની જાણકારી મુંબઈ પોલીસને આપવામાં આવી હતી. જાણકારી મળતા જ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અને ફોન કોણે કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. તે પહેલા કેરળની એક મહિલાએ બેંગ્લુરૂ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી આપી હતી. આ ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે અને આ ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.