મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સી એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-07 12:50:39

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટોને લઈ અનેક સમાચાર સામે આવતા હોય છે. ફ્લાઈટને ઉડાવાની ધમકી મળતી હોય છે જેને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાતી હોય છે. ત્યારે  મુંબઈના છત્રપતી શિવાજી મહારાજ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. હમલાની ધમકી મળતા એરપોર્ટ તંત્ર સર્તક થઈ ગયું હતું. ફોન કરનાર પોતાની ઓળખ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની આપી. ધમકીભર્યો ફોન આવ્યો હતો જેને કારણે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.     


હમલાની ધમકી મળતા એરપોર્ટ પર વધારાઈ સુરક્ષા 

આ અંગે મળતી માહિતી અનુસાર એરપોર્ટ સેન્ટર પર અંદાજીત રાતના 10 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહમદ શેખ બતાવ્યું અને કહ્યું કે તે ઈન્ડિયન મુજાહિદ્દિન નામના આતંકી સંગઠનનો સદસ્ય છે. પોતાની જાણકારી આપ્યા બાદ કોડ ભાષામાં તેમણે વાત કરી પરંતુ ફોન ઉઠાવનાર વ્યક્તિ તે સમજવામાં અસમર્થ રહ્યો. એરર્પોર્ટ પર આ પ્રકારનો ફોન આવવાની જાણકારી મુંબઈ પોલીસને આપવામાં આવી હતી. જાણકારી મળતા જ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અને ફોન કોણે કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. તે પહેલા કેરળની એક મહિલાએ બેંગ્લુરૂ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી આપી હતી. આ ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે અને આ ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.