મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સી એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-02-07 12:50:39

છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટોને લઈ અનેક સમાચાર સામે આવતા હોય છે. ફ્લાઈટને ઉડાવાની ધમકી મળતી હોય છે જેને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાતી હોય છે. ત્યારે  મુંબઈના છત્રપતી શિવાજી મહારાજ અંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધમકી ભર્યો ફોન આવ્યો હતો. હમલાની ધમકી મળતા એરપોર્ટ તંત્ર સર્તક થઈ ગયું હતું. ફોન કરનાર પોતાની ઓળખ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાની આપી. ધમકીભર્યો ફોન આવ્યો હતો જેને કારણે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે.     


હમલાની ધમકી મળતા એરપોર્ટ પર વધારાઈ સુરક્ષા 

આ અંગે મળતી માહિતી અનુસાર એરપોર્ટ સેન્ટર પર અંદાજીત રાતના 10 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઈરફાન અહમદ શેખ બતાવ્યું અને કહ્યું કે તે ઈન્ડિયન મુજાહિદ્દિન નામના આતંકી સંગઠનનો સદસ્ય છે. પોતાની જાણકારી આપ્યા બાદ કોડ ભાષામાં તેમણે વાત કરી પરંતુ ફોન ઉઠાવનાર વ્યક્તિ તે સમજવામાં અસમર્થ રહ્યો. એરર્પોર્ટ પર આ પ્રકારનો ફોન આવવાની જાણકારી મુંબઈ પોલીસને આપવામાં આવી હતી. જાણકારી મળતા જ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અને ફોન કોણે કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. તે પહેલા કેરળની એક મહિલાએ બેંગ્લુરૂ એરપોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી આપી હતી. આ ધમકી મળતા પોલીસ સતર્ક થઈ છે અને આ ફોન કોણે કર્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.