ગોવામાં આયોજીત થનાર નવમાં વિશ્વ આયુર્વેદિક સંમેલનમાં થશે ત્રણ ચિકિત્સા સંસ્થાનું ઉદ્ધાટન


  • Published By :
  • Published Date : 2022-12-07 08:47:00

દેશને ત્રણ ચિકિત્સા સંસ્થા મળવા જઈ જેમાં અભ્યાસની સાથે દર્દીઓનો ઈલાજ પણ કરવામાં આવશે. આ ત્રણ ચિકિત્સા સંસ્થામાં આયુર્વેદ, હોમીયોપેથી તેમજ યુનાની ચિકિત્સા પદ્ધતિ ભણાવામાં આવશે. કેંદ્રીય આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય આયુર્વેદિક સંસ્થા ગોવામાં શરૂ થશે. દિલ્હીમાં રાષ્ટ્રીય હોમીયોપેથી સંસ્થા શરૂ થશે જ્યારે ગાજિયાબાદમાં રાષ્ટ્રીય યુનાની સંસ્થાનો પ્રારંભ થશે. 

WHO to set up global centre on traditional medicine in India: PM Modi |  India News - Times of India

ત્રણેય સંસ્થાઓનું એક સાથે થશે ઉદ્ઘાટન 

પહેલી વખત દેશમાં ત્રણ ચિકિત્સા સંસ્થાનો પ્રારંભ એક સાથે થશે. આ ત્રણેય સંસ્થાનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. ગોવામાં આયોજીત થનાર નવમું વિશ્વ આયુર્વેદિક સંમેલનમાં આ સંસ્થાઓનું ઉદ્ધાટન થવાનું છે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનેવાલે જણાવ્યું કે પીએમ મોદીએ એક નવા આયુષ મંત્રાલયને બનાવ્યું છે અને ટૂંક સમય બાદ આ મંત્રાલયનું બજેટ અનેક ઘણું વધારવામાં આવશે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.