ગોવામાં આયોજીત થનાર નવમાં વિશ્વ આયુર્વેદિક સંમેલનમાં થશે ત્રણ ચિકિત્સા સંસ્થાનું ઉદ્ધાટન


  • Published By :
  • Published Date : 2022-12-07 08:47:00

દેશને ત્રણ ચિકિત્સા સંસ્થા મળવા જઈ જેમાં અભ્યાસની સાથે દર્દીઓનો ઈલાજ પણ કરવામાં આવશે. આ ત્રણ ચિકિત્સા સંસ્થામાં આયુર્વેદ, હોમીયોપેથી તેમજ યુનાની ચિકિત્સા પદ્ધતિ ભણાવામાં આવશે. કેંદ્રીય આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય આયુર્વેદિક સંસ્થા ગોવામાં શરૂ થશે. દિલ્હીમાં રાષ્ટ્રીય હોમીયોપેથી સંસ્થા શરૂ થશે જ્યારે ગાજિયાબાદમાં રાષ્ટ્રીય યુનાની સંસ્થાનો પ્રારંભ થશે. 

WHO to set up global centre on traditional medicine in India: PM Modi |  India News - Times of India

ત્રણેય સંસ્થાઓનું એક સાથે થશે ઉદ્ઘાટન 

પહેલી વખત દેશમાં ત્રણ ચિકિત્સા સંસ્થાનો પ્રારંભ એક સાથે થશે. આ ત્રણેય સંસ્થાનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. ગોવામાં આયોજીત થનાર નવમું વિશ્વ આયુર્વેદિક સંમેલનમાં આ સંસ્થાઓનું ઉદ્ધાટન થવાનું છે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનેવાલે જણાવ્યું કે પીએમ મોદીએ એક નવા આયુષ મંત્રાલયને બનાવ્યું છે અને ટૂંક સમય બાદ આ મંત્રાલયનું બજેટ અનેક ઘણું વધારવામાં આવશે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.