ગોવામાં આયોજીત થનાર નવમાં વિશ્વ આયુર્વેદિક સંમેલનમાં થશે ત્રણ ચિકિત્સા સંસ્થાનું ઉદ્ધાટન


  • Published By :
  • Published Date : 2022-12-07 08:47:00

દેશને ત્રણ ચિકિત્સા સંસ્થા મળવા જઈ જેમાં અભ્યાસની સાથે દર્દીઓનો ઈલાજ પણ કરવામાં આવશે. આ ત્રણ ચિકિત્સા સંસ્થામાં આયુર્વેદ, હોમીયોપેથી તેમજ યુનાની ચિકિત્સા પદ્ધતિ ભણાવામાં આવશે. કેંદ્રીય આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય આયુર્વેદિક સંસ્થા ગોવામાં શરૂ થશે. દિલ્હીમાં રાષ્ટ્રીય હોમીયોપેથી સંસ્થા શરૂ થશે જ્યારે ગાજિયાબાદમાં રાષ્ટ્રીય યુનાની સંસ્થાનો પ્રારંભ થશે. 

WHO to set up global centre on traditional medicine in India: PM Modi |  India News - Times of India

ત્રણેય સંસ્થાઓનું એક સાથે થશે ઉદ્ઘાટન 

પહેલી વખત દેશમાં ત્રણ ચિકિત્સા સંસ્થાનો પ્રારંભ એક સાથે થશે. આ ત્રણેય સંસ્થાનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. ગોવામાં આયોજીત થનાર નવમું વિશ્વ આયુર્વેદિક સંમેલનમાં આ સંસ્થાઓનું ઉદ્ધાટન થવાનું છે. કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનેવાલે જણાવ્યું કે પીએમ મોદીએ એક નવા આયુષ મંત્રાલયને બનાવ્યું છે અને ટૂંક સમય બાદ આ મંત્રાલયનું બજેટ અનેક ઘણું વધારવામાં આવશે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.