સોશિયલ મીડિયા પર ટાઈગર શ્રોફે રિલીઝ કર્યું ફિલ્મ ગણપથનું ટિઝર, શું તમે જોયુ ટિઝર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-23 08:07:40

બોલિવુડની ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ અનેક રેકોર્ડ તોડી રહી છે ત્યારે ટાઈગર શ્રોફે પોતાની આગામી ફિલ્મ ગણપથ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કર્યું છે જેમાં તે ધાંસૂ એક્શન કરતા નજરે પડી રહ્યા છે. આ ફિલ્મથી ટાઈગર શ્રોફ મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે.

  


20 ઓક્ટોબર 2023એ ફિલ્મ થવાની છે રિલીઝ  

છેલ્લા ઘણા સમયથી બોલિવુડની એવી અનેક ફિલ્મો આવી છે જેણે લોકોના દિલમાં જગ્યા બનાઈ છે અને રેકોર્ડબ્રેક કમાણી પણ કરી છે. ત્યારે ટાઈગર શ્રોફ પણ પોતાની આગામી ફિલ્મ ગણપથને લઈ ચર્ચામાં આવ્યા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર ધમાકેદાર ટીઝર રિલીઝ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે એક એવી દુનિયા જ્યાં આતંકનું રાજ છે, ત્યાં ગણપથ આવી રહ્યો છે બનવા લોકોનો અવાજ. 20 ઓક્ટોબરના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ટીઝરમાં ટાઈગર શ્રોફ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. 


કૃતિ સેનન પણજોવા મળશે આ ફિલ્મમાં 

ટીઝર જેવું રિલીઝ થયું અને થોડી જ વારમાં હજારો લોકોએ જોઈ લીધું. ટીઝરને જોઈ અનેક ફેન્સે કમેન્ટ કરી હતી જેમાં જોવા મળ્યું હતું કે ટાઈગરના ફેન્સ આ ફિલ્મને લઈ ઉત્સુક્તા જોવા મળી હતી. તેમના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ટાઈગરની સાથે કૃતિ સેનન પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં એક્શન થ્રિલર પણ જોવા મળશે. હિરોપંતી બાદ કૃતિ સેનન અને ટાઈગર શ્રોફ ફરી વખત એક સાથે જોવા મળશે. ગણપથ સિવાય ટાઈગરની બીજી એક ફિલ્મ પણ આવવાની છે.        




રાજકોટ કોંગ્રેસના નેતાએ એક ટ્વિટ કરી હતી જેને કારણે રાજકારણ ગરમાયું છે. સુરતમાં જે ઘટના બની તેવી ઘટના રાજકોટમાં બનતા બનતા રહી ગઈ તેવો ઉલ્લેખ કોંગ્રેસનેતાએ ટ્વિટ કરી હતી.

જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સાતમી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરવાના છે.

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.