સોશિયલ મીડિયા પર ટાઈગર શ્રોફે રિલીઝ કર્યું ફિલ્મ ગણપથનું ટિઝર, શું તમે જોયુ ટિઝર?


  • Published By :
  • Published Date : 2023-02-23 08:07:40

બોલિવુડની ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ અનેક રેકોર્ડ તોડી રહી છે ત્યારે ટાઈગર શ્રોફે પોતાની આગામી ફિલ્મ ગણપથ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કર્યું છે જેમાં તે ધાંસૂ એક્શન કરતા નજરે પડી રહ્યા છે. આ ફિલ્મથી ટાઈગર શ્રોફ મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે.

  


20 ઓક્ટોબર 2023એ ફિલ્મ થવાની છે રિલીઝ  

છેલ્લા ઘણા સમયથી બોલિવુડની એવી અનેક ફિલ્મો આવી છે જેણે લોકોના દિલમાં જગ્યા બનાઈ છે અને રેકોર્ડબ્રેક કમાણી પણ કરી છે. ત્યારે ટાઈગર શ્રોફ પણ પોતાની આગામી ફિલ્મ ગણપથને લઈ ચર્ચામાં આવ્યા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર ધમાકેદાર ટીઝર રિલીઝ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે એક એવી દુનિયા જ્યાં આતંકનું રાજ છે, ત્યાં ગણપથ આવી રહ્યો છે બનવા લોકોનો અવાજ. 20 ઓક્ટોબરના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ટીઝરમાં ટાઈગર શ્રોફ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. 


કૃતિ સેનન પણજોવા મળશે આ ફિલ્મમાં 

ટીઝર જેવું રિલીઝ થયું અને થોડી જ વારમાં હજારો લોકોએ જોઈ લીધું. ટીઝરને જોઈ અનેક ફેન્સે કમેન્ટ કરી હતી જેમાં જોવા મળ્યું હતું કે ટાઈગરના ફેન્સ આ ફિલ્મને લઈ ઉત્સુક્તા જોવા મળી હતી. તેમના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ટાઈગરની સાથે કૃતિ સેનન પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં એક્શન થ્રિલર પણ જોવા મળશે. હિરોપંતી બાદ કૃતિ સેનન અને ટાઈગર શ્રોફ ફરી વખત એક સાથે જોવા મળશે. ગણપથ સિવાય ટાઈગરની બીજી એક ફિલ્મ પણ આવવાની છે.        




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.