સોશિયલ મીડિયા પર ટાઈગર શ્રોફે રિલીઝ કર્યું ફિલ્મ ગણપથનું ટિઝર, શું તમે જોયુ ટિઝર?


  • Published By :
  • Published Date : 2023-02-23 08:07:40

બોલિવુડની ફિલ્મ મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ અનેક રેકોર્ડ તોડી રહી છે ત્યારે ટાઈગર શ્રોફે પોતાની આગામી ફિલ્મ ગણપથ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. સોશિયલ મીડિયા પર ટીઝર રિલીઝ કર્યું છે જેમાં તે ધાંસૂ એક્શન કરતા નજરે પડી રહ્યા છે. આ ફિલ્મથી ટાઈગર શ્રોફ મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે.

  


20 ઓક્ટોબર 2023એ ફિલ્મ થવાની છે રિલીઝ  

છેલ્લા ઘણા સમયથી બોલિવુડની એવી અનેક ફિલ્મો આવી છે જેણે લોકોના દિલમાં જગ્યા બનાઈ છે અને રેકોર્ડબ્રેક કમાણી પણ કરી છે. ત્યારે ટાઈગર શ્રોફ પણ પોતાની આગામી ફિલ્મ ગણપથને લઈ ચર્ચામાં આવ્યા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર ધમાકેદાર ટીઝર રિલીઝ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે એક એવી દુનિયા જ્યાં આતંકનું રાજ છે, ત્યાં ગણપથ આવી રહ્યો છે બનવા લોકોનો અવાજ. 20 ઓક્ટોબરના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ટીઝરમાં ટાઈગર શ્રોફ ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. 


કૃતિ સેનન પણજોવા મળશે આ ફિલ્મમાં 

ટીઝર જેવું રિલીઝ થયું અને થોડી જ વારમાં હજારો લોકોએ જોઈ લીધું. ટીઝરને જોઈ અનેક ફેન્સે કમેન્ટ કરી હતી જેમાં જોવા મળ્યું હતું કે ટાઈગરના ફેન્સ આ ફિલ્મને લઈ ઉત્સુક્તા જોવા મળી હતી. તેમના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ટાઈગરની સાથે કૃતિ સેનન પણ જોવા મળવાના છે. આ ફિલ્મમાં એક્શન થ્રિલર પણ જોવા મળશે. હિરોપંતી બાદ કૃતિ સેનન અને ટાઈગર શ્રોફ ફરી વખત એક સાથે જોવા મળશે. ગણપથ સિવાય ટાઈગરની બીજી એક ફિલ્મ પણ આવવાની છે.        




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી