મન કી બાત કાર્યક્રમને લઈ ટીએમસીના સાંસદનું ટ્વિટ! PGIMER વિવાદ વચ્ચે મહુઆ મોઈત્રાનું વિવાદિત Tweet!


  • Published By :
  • Published Date : 2023-05-12 16:14:44

30 એપ્રિલે પીએમ મોદીના રેડિયો કાર્યક્રમનો 100મો એપિસોડ આવ્યો હતો. ભાજપ દ્વારા આ દિવસ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકો મન કી બાત સાંભળે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મન કી બાત કાર્યક્રમ સાંભળવા ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે તૃણુમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ એક વિવાદિત ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે મન કી બાતને મંકી બાત કહી દીધું.   


'મન કી બાત'ની જગ્યાએ સાંસદે કહ્યું 'મંકી બાત'!

ટીએમસીના સાંસદે મન કી બાત કાર્યક્રમ ન સાંભળનાર વિરૂદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે ટ્વિટ કર્યું હતું. ટ્વિટ કરતા સાંસદ મહુઆ મોઈત્રાએ લખ્યું કે મેં પણ મંકી બાત નથી સાંભળી. એકવાર પણ નહી. ક્યારેય સાંભળીશ પણ નહી. શું મને એક સપ્તાહ માટે પોતાના ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ કરવામાં આવશે? આ ટ્વિટ ત્યારે કરવામાં આવી છે જ્યારે  PGIMERએ વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર ન નીકળવા દીધા હતા. 


PGIMER વિદ્યાર્થીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!

મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થતો હોય છે. ત્યારે 30 એપ્રિલે આ કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા હતા. મન કી બાત લાખો લોકો સાંભળે તે માટે ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ પણ થયો. પરંતુ જે લોકો આ કાર્યક્રમમાં સામેલ ન થયા હતા તે લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ 36 વિદ્યાર્થી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એક અઠવાડિયા માટે હોસ્ટેલમાંથી બહાર 36 વિદ્યાર્થીઓને નીકળવા દેતા ન હતા.  


વિદ્યાર્થીઓ પાસેથી લીધો 100 રુપિયાનો દંડ! 

આ ઘટના માત્ર ચંદીગઢની નથી  દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.