મન કી બાત કાર્યક્રમને લઈ ટીએમસીના સાંસદનું ટ્વિટ! PGIMER વિવાદ વચ્ચે મહુઆ મોઈત્રાનું વિવાદિત Tweet!


  • Published By :
  • Published Date : 2023-05-12 16:14:44

30 એપ્રિલે પીએમ મોદીના રેડિયો કાર્યક્રમનો 100મો એપિસોડ આવ્યો હતો. ભાજપ દ્વારા આ દિવસ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકો મન કી બાત સાંભળે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મન કી બાત કાર્યક્રમ સાંભળવા ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે તૃણુમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ એક વિવાદિત ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે મન કી બાતને મંકી બાત કહી દીધું.   


'મન કી બાત'ની જગ્યાએ સાંસદે કહ્યું 'મંકી બાત'!

ટીએમસીના સાંસદે મન કી બાત કાર્યક્રમ ન સાંભળનાર વિરૂદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે ટ્વિટ કર્યું હતું. ટ્વિટ કરતા સાંસદ મહુઆ મોઈત્રાએ લખ્યું કે મેં પણ મંકી બાત નથી સાંભળી. એકવાર પણ નહી. ક્યારેય સાંભળીશ પણ નહી. શું મને એક સપ્તાહ માટે પોતાના ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ કરવામાં આવશે? આ ટ્વિટ ત્યારે કરવામાં આવી છે જ્યારે  PGIMERએ વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર ન નીકળવા દીધા હતા. 


PGIMER વિદ્યાર્થીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!

મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થતો હોય છે. ત્યારે 30 એપ્રિલે આ કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા હતા. મન કી બાત લાખો લોકો સાંભળે તે માટે ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ પણ થયો. પરંતુ જે લોકો આ કાર્યક્રમમાં સામેલ ન થયા હતા તે લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ 36 વિદ્યાર્થી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એક અઠવાડિયા માટે હોસ્ટેલમાંથી બહાર 36 વિદ્યાર્થીઓને નીકળવા દેતા ન હતા.  


વિદ્યાર્થીઓ પાસેથી લીધો 100 રુપિયાનો દંડ! 

આ ઘટના માત્ર ચંદીગઢની નથી  દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.