મન કી બાત કાર્યક્રમને લઈ ટીએમસીના સાંસદનું ટ્વિટ! PGIMER વિવાદ વચ્ચે મહુઆ મોઈત્રાનું વિવાદિત Tweet!


  • Published By :
  • Published Date : 2023-05-12 16:14:44

30 એપ્રિલે પીએમ મોદીના રેડિયો કાર્યક્રમનો 100મો એપિસોડ આવ્યો હતો. ભાજપ દ્વારા આ દિવસ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકો મન કી બાત સાંભળે તેવી વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે મન કી બાત કાર્યક્રમ સાંભળવા ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે તૃણુમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ એક વિવાદિત ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે મન કી બાતને મંકી બાત કહી દીધું.   


'મન કી બાત'ની જગ્યાએ સાંસદે કહ્યું 'મંકી બાત'!

ટીએમસીના સાંસદે મન કી બાત કાર્યક્રમ ન સાંભળનાર વિરૂદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે ટ્વિટ કર્યું હતું. ટ્વિટ કરતા સાંસદ મહુઆ મોઈત્રાએ લખ્યું કે મેં પણ મંકી બાત નથી સાંભળી. એકવાર પણ નહી. ક્યારેય સાંભળીશ પણ નહી. શું મને એક સપ્તાહ માટે પોતાના ઘરમાંથી બહાર નિકળવાની મનાઈ કરવામાં આવશે? આ ટ્વિટ ત્યારે કરવામાં આવી છે જ્યારે  PGIMERએ વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર ન નીકળવા દીધા હતા. 


PGIMER વિદ્યાર્થીઓ વિરૂદ્ધ લેવાયા પગલા!

મહિનાના અંતિમ રવિવારે પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમ રેડિયો પર પ્રસારિત થતો હોય છે. ત્યારે 30 એપ્રિલે આ કાર્યક્રમના 100 એપિસોડ પૂર્ણ થયા હતા. મન કી બાત લાખો લોકો સાંભળે તે માટે ભાજપ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સફળ પણ થયો. પરંતુ જે લોકો આ કાર્યક્રમમાં સામેલ ન થયા હતા તે લોકો વિરૂદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે. ચંદીગઢની નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ PGIMERના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓ સામેલ ન થયા હતા જેને લઈ 36 વિદ્યાર્થી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. એક અઠવાડિયા માટે હોસ્ટેલમાંથી બહાર 36 વિદ્યાર્થીઓને નીકળવા દેતા ન હતા.  


વિદ્યાર્થીઓ પાસેથી લીધો 100 રુપિયાનો દંડ! 

આ ઘટના માત્ર ચંદીગઢની નથી  દહેરાદુનની GRD નિરંજનપુર એકેડમીએ  PM મોદીના 'મન કી બાત' કાર્યક્રમને સાંભળવા માટે શાળામાં ન પહોંચેલા વિદ્યાર્થીઓ પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ અંગે નેશનલ એસોસિએશન ફોર પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ રાઈટ્સના રાષ્ટ્રીય અધ્યક્ષ આરીફ ખાને મુખ્ય શિક્ષણ અધિકારી, દેહરાદૂનને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી છે. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ પાઠવી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.